PHOTOS

આ રાશિના જાતકો જીવશે રાજા જેવું જીવન ! 50 વર્ષ બાદ સૂર્યની રાશિમાં બનશે ત્રિગ્રહી યોગ

Trigrahi Yog : વૈદિક પંચાંગ અનુસાર, સિંહ રાશિમાં ત્રિગ્રહી યોગ બનવા જઈ રહ્યો છે. જેના કારણે કેટલીક રાશિઓને દરેક ક્ષેત્રમાં સફળતા મળી શકે છે. ત્યારે આ ભાગ્યશાળી રાશિઓ કઈ છે, તેના વિશે આ લેખમાં જાણીશું.

Advertisement
1/5

Trigrahi Yog : વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર, ગ્રહો ચોક્કસ અંતરાલે ગોચર કરે છે અને ત્રિગ્રહી અને ચતુર્ગ્રહી યોગ બનાવે છે, જેનો માનવ જીવન, દેશ અને વિશ્વ પર વ્યાપક પ્રભાવ પડે છે. તમને જણાવી દઈએ કે સપ્ટેમ્બર મહિનામાં બુધ અને સૂર્ય સિંહ રાશિમાં ગોચર કરશે. તો ચંદ્ર સિંહ રાશિમાં ગોચર કરશે. જેના કારણે ત્રિગ્રહી યોગ બનશે. જેના કારણે કેટલીક રાશિઓ માટે સારા દિવસો શરૂ થઈ શકે છે. 

2/5
તુલા રાશિ
તુલા રાશિ

ત્રિગ્રહી યોગની રચના તુલા રાશિના લોકો માટે અનુકૂળ સાબિત થઈ શકે છે. કારણ કે આ યોગ તમારી ગોચર કુંડળીના આવક અને લાભ સ્થાનમાં બનવાનો છે. તેથી આ સમયે તમને રોકાણથી લાભ થઈ શકે છે. ઉપરાંત આવકના નવા સ્ત્રોત પણ બની શકે છે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં સારા પરિણામ મળશે અને પ્રેમ સંબંધોમાં સુધારો થશે. તમારી નાણાકીય સ્થિતિ સારી બનશે. તમને રોકાણથી લાભ થશે. 

Banner Image
3/5
સિંહ રાશિ
સિંહ રાશિ

ત્રગ્રહી યોગનું નિર્માણ સિંહ રાશિના લોકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. કારણ કે આ યોગ તમારી રાશિથી લગ્નના ભાવ પર બનવાનો છે. તેથી આ સમયે તમારો આત્મવિશ્વાસ વધશે. ઉપરાંત તમે સમાજમાં વધુ લોકપ્રિય બનશો. લગ્નજીવનમાં ખુશીઓ રહેશે અને ભાગીદારીના વ્યવસાયમાં મોટો નફો થઈ શકે છે. કાનૂની બાબતોમાં નિર્ણય તમારા પક્ષમાં આવશે અને કારકિર્દીમાં નવી સિદ્ધિઓ પ્રાપ્ત થશે.

4/5
કર્ક રાશિ
કર્ક રાશિ

ત્રિગ્રહી યોગ કર્ક રાશિના લોકો માટે શુભ સાબિત થઈ શકે છે. કારણ કે આ યોગ તમારી રાશિના ધન અને વાણી સ્થાનમાં બનવાનો છે. તેથી આ સમયે તમને સમયાંતરે અચાનક નાણાકીય લાભ મળી શકે છે. વિદ્યાર્થીઓ માટે અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરવા અને નવી કુશળતા શીખવા માટે આ સમય શુભ છે. પ્રેમ સંબંધોમાં મધુરતા રહેશે. ઉપરાંત આ સમયે તમને અટકેલા પૈસા મળી શકે છે. 

5/5

Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.





Read More