PHOTOS

ગુજરાતના અનોખા લગ્ન : યુવક બે યુવતીઓ સાથે લગ્ન વગર રહ્યો, ત્રણ સંતાનો થયા, હવે રંગેચંગે બંને સાથે પરણશે

રી : વાંસદાના ખાનપુરના યુવાનના અનોખા લગ્ન ચર્ચામાં આવ્યા. વર્ષોથી તેની સાથે પત્ની તરીકે રહેતી બે યુવતીઓ સાથે આજે લગ્નગ્રંથીથી જોડાશે. ત...

Advertisement
1/8
ત્રણ સંતાનો લગ્નના સાક્ષી બનશે
ત્રણ સંતાનો લગ્નના સાક્ષી બનશે

સામાજિક રીતિ રિવાજો સામે પ્રેમ હંમેશા જીતતો જ હોય છે. જેમાં પણ લગ્નેત્તર સબંધને આજનો સમાજ સ્વીકૃતિ નથી આપતો, ત્યારે નવસારીના વાંસદા તાલુકાના આદિવાસી દેશમુખ પરિવારનો યુવાન બે દુલ્હનો સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે, જોકે અનોખી વાત એ છે કે આ લગ્નમાં તેમના ત્રણ બાળકો પણ સાક્ષી બનશે.  

2/8
એક યુવક બે યુવતીઓને સાથે પરણશે 
એક યુવક બે યુવતીઓને સાથે પરણશે 

નવસારીના વાંસદા તાલુકાના ખાનપુર ગામે રહેતા મેઘરાજ દેશમુખના વર્ષ 2010 માં કાજલ ગાંવિત સાથે લગ્ન નક્કી થયા અને સગાઈ કર્યા બાદ તેઓ લિવ ઈન રિલેશનશીપમાં પતિ પત્ની તરીકે રહેવા લાગ્યા હતા. લગ્ન જીવનમાં તેમને એક પુત્રી પણ થયો, પરંતુ લગ્નના ત્રણ વર્ષો બાદ મેઘરાજને રેખા ગાઈન સાથે આંખો ચાર થઈ અને બંને પ્રેમમાં પડ્યા.   

Banner Image
3/8
પહેલી પ્રેમિકાએ બીજી પ્રેમિકાને સ્વીકારી 
પહેલી પ્રેમિકાએ બીજી પ્રેમિકાને સ્વીકારી 

થોડો સમય લગ્નેત્તર પ્રેમ બાદ મેઘરાજ રેખાને પણ પોતાના ઘરે પત્ની તરીકે લઈ આવ્યો હતો. મેઘરાજ જ્યારે રેખાને ઘરે લાવ્યો, ત્યારે કાજલે તેનો વિરોધ નહીં, પણ રેખાને નાની બેન તરીકે અપનાવી લીધી હતી. પ્રેમના ખાતર પતિના પ્રેમને પણ કાજલે અપનાવ્યો અને છેલ્લા 12 વર્ષોથી રેખા પણ મેઘરાજ સાથે લિવ ઈન રિલેશનશીપમાં રહેવા માંડી હતી.   

4/8
સૌતન નહિ, સખી તરીકે રહે છે બંને પત્ની 
સૌતન નહિ, સખી તરીકે રહે છે બંને પત્ની 

આટલા વર્ષોમાં ક્યારેય કાજલ અને રેખા એક બીજાની સોતન તરીકે નહીં, પણ પ્રેમથી, સમજથી અને બંને એકબીજાની પૂરક એટલે બહેન બનીને મેઘરાજ સાથે લગ્ન જીવન ખુશીથી જીવી રહી છે. લગ્ન જીવન દરમિયાન કાજલને એક દીકરી અને એક દીકરો છે, જ્યારે કાજલને એક દીકરો છે. બે પત્ની હોવા છતાં પણ મેઘરાજ બંનેને સરખો પ્રેમ આપીને આજે સુખી દાંપત્ય જીવન જીવી રહ્યો છે.  

5/8
આદિવાસી સમાજના આ પરંપરા છે
આદિવાસી સમાજના આ પરંપરા છે

આદિવાસી સમાજમાં પરંપરાથી બહુપત્નીત્વનો રિવાજ છે. જેમાં પણ આદિવાસી સમાજમાં ઘણા યુગલો જુવાનીથી વૃદ્ધાવસ્થા સુધી લગ્નગ્રંથીથી જોડાયા વિના જ લિવ ઈન રિલેશનશીપમાં રહે છે. જેના પાછળનું મુખ્ય કારણ તેમની આર્થિક સ્થિતિ હોય છે. પરંતુ લગ્ન વિના પણ તેમનું એક બીજા પ્રત્યેનું કમિટમેન્ટ ઓછું નથી હોતું. 

6/8
આર્થિક રીતે સક્ષમ થતા હવે મેઘરાજ બે યુવતીઓ સાથે સાત ફેરા લેશે
આર્થિક રીતે સક્ષમ થતા હવે મેઘરાજ બે યુવતીઓ સાથે સાત ફેરા લેશે

મેઘરાજ દેશમુખે પણ આર્થિક સ્થિતિ તંગ હોવાને કારણે કાજલ અને રેખા સાથે લિવ ઈન રિલેશનશીપમાં રહી, પતિ પત્ની તરીકે સાત જન્મોનો સફર શરૂ કર્યો હતો. આજે જ્યારે મેઘરાજ આર્થિક રીતે થોડો મજબૂત થયો, તો બંને પત્નીઓ સાથે 19 મે, 2025 ના રોજ હિન્દુ વિધિ વિધાન સાથે ચોરીએ સાત ફેરા ફરી લગ્નગ્રંથીથી જોડાશે. જોકે મેઘરાજના પિતા રામ દેશમુખને પણ બે પત્નીઓ છે અને તેમના દાદાને પણ બે પત્નીઓ હતી.  

7/8
આદિવાસીઓમાં બહુપત્નીત્વનો રિવાજ જૂનો છે - મેઘરાજના પિતા 
આદિવાસીઓમાં બહુપત્નીત્વનો રિવાજ જૂનો છે - મેઘરાજના પિતા 

મેઘરાજના પિતા રામ દેશમુખ કહે છે કે, હિન્દુ સંસ્કૃતિમાં એક પત્નીત્વનો રિવાજ પૌરાણિક કાળથી ચાલી આવે છે. પરંતુ આદિવાસી સમાજમાં બહુપત્નીત્વનો રિવાજ તેમની સંસ્કૃતિમાં વર્ષોથી છે. ત્યારે પરંપરા અનુસાર મેઘરાજ દેશમુખના બે યુવતીઓ સાથે પોતાના બાળકોની સાક્ષીએ થનારા અનોખા લગ્ન નવસારી સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ચર્ચાનો વિષય બન્યા છે.  

8/8




Read More