PHOTOS

અહીં લગ્ન પછી નવદંપતિને 3 દિવસ સુધી ટોઈલેટ જવા દેવામાં આવતું નથી! આ રિવાજને લઈને છે અનેક માન્યતા

Tradition: આજે અમે એક દેશના એક એવા જ રિવાજ વિશે જણાવીશું જ્યાં લગ્ન બાદ 3 દિવસ સુધી દુલ્હા-દુલ્હન ટોઈલેટ જતા નથી. આ અનોખો રિવાજ ઈન્ડોનેશિયાના ટીડોંગ નામના સમુદાયમાં નિભાવવામાં આવે છે. 

Advertisement
1/5
3 દિવસ સુધી ટોઈલેટ જતું નથી કપલ
3 દિવસ સુધી ટોઈલેટ જતું નથી કપલ

ધ સ્ટારના એક રિપોર્ટ મુજબ લગ્ન બાદ આ અનોખો રિવાજ ઈન્ડોનેશિયાના ટીડોંગ નામના સમુદાયમાં નિભાવવામાં આવે છે. આ રિવાજને લઈને અનેક માન્યતા છે જેના કારણે લોકો તેને નિભાવે છે. આથી લગ્નના ત્રણ દિવસ સુધી નવ પરણિત દંપત્તિ ટોઈલેટ જતું નથી. 

2/5
ટોઈલેટ ન જવા પાછળ ચોંકાવનારું કારણ
ટોઈલેટ ન જવા પાછળ ચોંકાવનારું કારણ

આ રિવાજ પાછળ માન્યતા એવી છે કે લગ્ન એક પવિત્ર સમારોહ હોય છે અને જો વર વધુ ટોઈલેટ જાય તો તેમની પવિત્રતા ભંગ થઈ જાય છે. અને તેઓ અશુદ્ધ થઈ જાય છે. આથી લગ્નના 3 દિવસ સુધી દુલ્હા દુલ્હનના ટોઈલેટ જવા પર પ્રતિબંધ હોય છે. જો કોઈ જાય તો તેને અપશુકન માનવામાં આવે છે. 

Banner Image
3/5
ખરાબ નજરથી બચાવવું એ પણ એક કારણ
ખરાબ નજરથી બચાવવું એ પણ એક કારણ

એટલું જ નહીં આ રિવાજ નિભાવવા પાછળનું એક કારણ નવ દંપત્તિને ખરાબ નજરથી બચાવવાનું પણ હોય છે. આ જાતિના લોકોની માન્યતા મુજબ જ્યાં મળ ત્યાગ કરવામાં આવે છે ત્યાં ગંદકી હોય છે. અને તેને કારણે ત્યાં નકારાત્મક શક્તિઓ હોય છે. 

4/5
સંબંધમાં આવે છે ખટાશ
સંબંધમાં આવે છે ખટાશ

એવી માન્યતા છે કે જો દુલ્હા દુલ્હન લગ્ન બાદ તરત શૌચાલય જાય તો તેમના પર નકારાત્મકતાનો પ્રભાવ થઈ શકે છે. જેનાથી તેમના દાંપત્યજીવનમાં પરેશાનીઓ ઊભી થાય છે. સંબંધમાં ખટાશ આવી શકે છે અને નવ દંપત્તિના લગ્ન તૂટી પણ શકે છે. 

5/5
લગ્ન બાદ ઓછું મળે છે ભોજન
લગ્ન બાદ ઓછું મળે છે ભોજન

લગ્નના ત્રણ દિવસ સુધી દુલ્હા દુલ્હનને કોઈ પરેશાની ન થાય અને રિવાજ સારી રીતે પાળી શકે તે માટે તેમને ખાવા પીવાનું ઓછું આપવામાં આવે છે. એ વાતનો પણ ખ્યાલ રખાય છે કે તેઓ શૌચાલય ન જાય. અહીં આ રિવાજ ખુબ જ કડકાઈથી પાળવામાં આવે છે. 





Read More