Vakri Guru-Margi Shani: વર્ષ 2024 પૂર્ણ થશે ત્યારે શક્તિશાળી ગ્રહો રાશિ અને નક્ષત્ર પરિવર્તન કરશે. સાથે જ શનિદેવ અને દેવગૃહ બૃહસ્પતિ પોતાની ચાલ બદલશે. ગુરુ ગ્રહ માર્ગીમાંથી વક્રી થશે અને શનિદેવ વક્રીમાંથી માર્ગી થશે.
વક્રી ગુરુ અને માર્ગી શની 12 રાશિના લોકોના જીવન પર પ્રભાવ પાડશે. 12 રાશિમાંથી 3 રાશિના લોકો પર શનિ અને ગુરુની વિશેષ કૃપા રહેશે. આ રાશિના લોકોને ગુરુ વક્રી થઈને અને શનિ માર્ગી થઈને લાભ કરાવશે. આ રાશિના લોકોને દરેક કાર્યોમાં સફળતા મળવા લાગશે.
આ ઉપરાંત 3 રાશિના લોકોના જીવનમાં ઘણા સકારાત્મક ફેરફાર આવશે. તેમના કામમાં આવતી બાધાઓનો અંત થશે. તો ચાલો તમને જણાવીએ કઈ 3 રાશિને વક્રી ગુરુ અને માર્ગી શનિ લાભ કરાવશે.
વક્રી ગુરુ અને માર્ગી શની મિથુન રાશિના લોકોની પર્સનાલિટી સુધારશે. નવા મિત્ર બનશે. પાર્ટનર સાથે પ્રેમ વધશે. લવ લાઇફમાં સુખ શાંતિ રહેશે. મિથુન રાશિના વેપારીઓની આવક વધશે. નવા પ્રોજેક્ટ હાથમાં આવશે. બિઝનેસમાં ધન પ્રાપ્તિની તકો ઉભી થશે. પરિવારના સભ્યો સાથે વાદવિવાદ હશે તો તે દૂર થશે.
વૃશ્ચિક રાશિના લોકોને પણ વક્રી ગુરુ અને માર્ગી શનિ શુભ ફળ આપશે. વેપારીઓના વેપારમાં વૃદ્ધિ થશે. ત્રણ મહિનામાં આવક ડબલ થઈ જશે. નોકરીમાં પ્રમોશન પણ મળી શકે છે. દાંપત્યજીવન સારું રહેશે. સમાજમાં પ્રતિષ્ઠા વધશે. નોકરી કરતા લોકો માટે સૌથી સારો સમય. મન પ્રસન્ન રહેશે.
મકર રાશિના લોકોને પણ વક્રી ગુરુ અને માર્ગી શનિ લાભ કરાવશે. ધાર્મિક કાર્યો થઈ શકે છે. સમાજમાં પ્રતિષ્ઠા વધશે. નોકરી કરતા લોકોને લાભ થશે. મકર રાશિના લોકોની આર્થિક સ્થિતિ મજબૂત થશે. મોટી સફળતા મળી શકે છે. મેરીડ લાઈફમાં પ્રેમ વધશે. આ રાશિના લોકો વધારે ઉર્જાવાન અનુભવ કરશે.