PHOTOS

Vastu Tips : ઘરમાં જોઈએ છે સુખ-શાંતિ અને સમૃદ્ધિ...તો અજમાવો વાસ્તુના આ 5 સરળ ઉપાય

Vastu Tips : વાસ્તુ અનુસાર દરરોજ કેટલાક ઉપાય કરવાથી ભાગ્ય તમારો સાથ આપે છે અને આર્થિક પ્રગતિ પણ તમારા ઘરમાં આવે છે. ત્યારે આ લેખમાં ઘરમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ માટેના વાસ્તુ ઉપાયો કયા છે, તેના વિશે જાણીશું. 
 

Advertisement
1/7

વાસ્તુશાસ્ત્રના કેટલાક નિયમોનું પાલન કરવાથી જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. જો કે, વાસ્તુના કેટલાક નિયમોને અવગણવાથી જીવનમાં ઘણી સમસ્યાઓ આવે છે. સુખ, સમૃદ્ધિ અને સૌભાગ્ય માટે વાસ્તુના કેટલાક નિયમોનું પાલન કરવું ફાયદાકારક માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ ઉપાયો નિયમિતપણે કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે. 

2/7

વાસ્તુ અનુસાર સુખ, સમૃદ્ધિ અને સૌભાગ્ય માટે વ્યક્તિએ હંમેશા સૂર્યોદય પહેલા જાગવું જોઈએ. સૂર્યોદય પછી અને સૂર્યાસ્ત પછી વ્યક્તિએ ક્યારેય સૂવું જોઈએ નહીં.  

Banner Image
3/7

વાસ્તુશાસ્ત્ર અનુસાર, જે જગ્યાએ આર્થિક લાભ માટે પૈસા રાખવામાં આવે છે ત્યાં કોર્ટના કાગળો ક્યારેય અન્ય દસ્તાવેજો સાથે ન રાખવા જોઈએ.

4/7

વાસ્તુ અનુસાર, આર્થિક પ્રગતિ માટે વ્યક્તિએ ક્યારેય તિજોરી કે જ્યાં પૈસા રાખવામાં આવ્યા હોય તે જગ્યાને સંપૂર્ણપણે ખાલી ન રાખવી જોઈએ.  

5/7

વાસ્તુ અનુસાર ઘરમાં સમય-સમય પર કરોળિયાના જાળા દૂર કરવા જોઈએ. એવું કહેવાય છે કે આમ કરવાથી ધનનો પ્રવાહ વધે છે.  

6/7

વાસ્તુ અનુસાર ઘરના બાથરૂમ કે ટોયલેટના દરવાજા હંમેશા બંધ રાખવા જોઈએ. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી આર્થિક સ્થિતિ સુધરે છે અને વાસ્તુ દોષ દૂર થાય છે.

7/7

ડિસ્કલેમર - અહીં આપવામાં આવેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.  





Read More