Vastu Tips For South Direction: વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરની દક્ષિણ દિશામાં યમ અને પિતૃઓનો વાસ માનવામાં આવે છે. આ દિશા પદ અને પ્રતિષ્ઠાનું પણ પ્રતીક હોય છે. મોટાભાગના લોકો આ દિશાને અશુભ માને છે પરંતુ આ દિશા અશુભ નથી. કહેવાય છે કે આ દિશામાં ખાસ વસ્તુઓ રાખવામાં આવે તો તે સુખ, સમૃદ્ધિ, ધન, ધાન્ય આકર્ષિત કરે છે.
સાવરણી માં લક્ષ્મીનું પ્રતીક છે. દક્ષિણ દિશામાં સાવરણી રાખવાથી માં લક્ષ્મીની વિશેષ કૃપા સદૈવ બની રહે છે. બસ સાવરણી એવી રીતે રાખવી કે તેના પર કોઈની નજર ન પડે.
ઘરનો કીમતી સામાન કે પછી સોનુ હોય તો તેને પણ દક્ષિણ દિશામાં રાખવાની સલાહ આપવામાં આવે છે. કહેવાય છે કે આમ કરવાથી ભગવાન કુબેરના આશીર્વાદ હંમેશા ઘર પર રહે છે.
દક્ષિણ દિશામાં જેડ પ્લાંટ રાખવો પણ શુભ માનવામાં આવે છે. એવી માન્યતા છે કે આ દિશામાં જેટ પ્લાંટ રાખવાથી દરેક કામમાં સફળતા મળે છે.
દક્ષિણ દિશામાં ફિનિક્સ પક્ષીની તસવીર લગાવવી પણ શુભ છે. કહેવાય છે કે તેનાથી સકારાત્મકતા આવે છે અને ઘર પરિવારમાં ક્યારેય ધનની તંગી સર્જાતી નથી. અમીર લોકોના ઘરમાં આવી તસવીર મોટાભાગે લાગેલી જોવા મળે છે.