PHOTOS

Shukra Nakshatra Parivartan: 4 દિવસ બાદ શુક્રનું નક્ષત્ર પરિવર્તન, 3 રાશિઓના સ્વં લક્ષ્મી, મળશે સફળતા અને ખૂલશે નસીબના દ્વાર

hatra: જ્યોતિષ ગણના અનુસાર 16 મે બપોરે 3:48 મિનિટ પર કૃત્તિકા નક્ષત્રમાં પ્રવેશ કરશે. ત્યારબાદ 27 મે સુધી નક્ષત્રમાં બિરાજમાન ...

Advertisement
1/4
શુક્રનું નક્ષત્ર પરિવર્તન
શુક્રનું નક્ષત્ર પરિવર્તન

Shukra Nakshatra Parivartan: વૈદિક શાસ્રના અનુસાર દરેક એક નિશ્વિત કાળ બાદ પોતાની રાશિ અને ચાલ પરિવર્તન કરે છે. તેના લીધે ભૌતિક સુખ સુવિધાઓના દાતા શુક્ર પોતાનું નક્ષત્ર પરિવર્તન કરવાના છે. તેની અસર તમામ 12 રાશિઓ પર પડવાની છે. શુક્રનું નક્ષત્ર પરિવર્તન 3 રાશિના લોકો માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેનાથી આ રાશિના લોકોને ઘણી સફળતા અને આર્થિક લાભ મળશે. ચાલો જાણીએ ત્રણ રાશિઓ વિશે.

2/4
1. કર્ક
 1. કર્ક

શુક્રનું નક્ષત્ર પરિવર્તન કર્ક રાશિના લોકો માટે સારા સમાચાર લાવશે. આ સમય તમારા કરિયર માટે ઘણો ફાયદાકારક સાબિત થઈ શકે છે. નોકરી કરતા લોકોના કામની પ્રશંસા થશે અને પ્રમોશન પણ થઈ શકે છે. આવકના નવા સ્ત્રોત બનશે જેનાથી આર્થિક સ્થિતિમાં સુધારો થશે. પારિવારિક સંબંધો વધુ મજબૂત બનશે. તમને તમારા માતા-પિતા તરફથી સંપૂર્ણ સહયોગ મળશે. જો તમે કોઈ રોગથી પરેશાન છો તો તેનાથી રાહત મળી શકે છે.

Banner Image
3/4
2. કન્યા
2. કન્યા

કૃતિકા નક્ષત્રમાં શુક્રના ગોચરને કારણે કન્યા રાશિના લોકોને સારા સમાચાર સાંભળવા મળી શકે છે. તમારું અટકેલું કામ પૂર્ણ થઈ શકે છે, તમારી લાંબા સમયથી ચાલતી ઈચ્છા પૂરી થઈ શકે છે. જો તમારી પાસે પૈસા ફસાયેલા છે તો તમે તેને પાછા મેળવી શકો છો. કરિયરની દ્રષ્ટિએ સમય સાનુકૂળ છે. નોકરી શોધી રહેલા લોકોને તેમની ઈચ્છિત નોકરી મળી શકે છે. વ્યાપારીઓને નવા સોદા મળી શકે છે જેનાથી મોટો ફાયદો થઈ શકે છે. જો તમારા મનમાં કોઈ વાતને લઈને તણાવ છે તો તે દૂર થઈ શકે છે.

4/4
3. મકર
3. મકર

મકર રાશિના લોકોનું લગ્ન જીવન સારું રહેશે. પતિ-પત્નીને એકબીજાનો પૂરો સહયોગ મળશે. આર્થિક લાભની પ્રબળ શક્યતાઓ બની શકે છે. તમે પ્રવાસ પર પણ જઈ શકો છો. નોકરી કરતા લોકોનો પગાર વધારવાની સાથે પ્રમોશન પણ થઈ શકે છે. બીમારીમાંથી રાહત મળશે. વ્યાપારીઓનો વેપાર વધી શકે છે અને આ સમયે રોકાણ પણ તમને સારું પરિણામ આપશે.





Read More