trong>આજના સમયમાં સંબંધોનું આયુષ્ય ઓછું થતું જાય છે. નાની એવી વાતમાં પણ સંબંધ તૂટવામાં વાર નથી લાગતી. રિલેશનશિપ જ નહીં પરંતુ કેટલીક વખત...
સંબંધોમાં પ્રેમ હોવો જરૂરી છે. પરંતુ ઘણી વખત ફક્ત પ્રેમથી કામ નથી ચાલતું. સંબંધની ટકાવી રાખવા માટે અન્ય કેટલીક બાબતો પર પણ ધ્યાન આપવું પડે છે.
કોઈપણ સંબંધમાં બે વ્યક્તિ વચ્ચે વિશ્વાસ હોવો જરૂરી છે. એ વાત હંમેશા ધ્યાનમાં રાખવી જોઈએ કે સંબંધમાં જ્યાં સુધી વિશ્વાસ જાળવી રાખવામાં આવે ત્યાં સુધી જ સંબંધ ટકે છે. જો કોઈ એક વ્યક્તિ બીજાનો વિશ્વાસ તોડે તો સંબંધ પણ તૂટી જાય છે.
લગ્ન જીવનને સુખી રાખવું હોય તો પતિ પત્નીએ એકબીજા પ્રત્યે સારો વ્યવહાર કરવો જોઈએ. જો બંને એકબીજાનું માન જાળવે નહીં અને વ્યવહાર સારો ન કરતા હોય તો સંબંધ ટકતો નથી.
સુખી લગ્ન જીવનમાં બે વ્યક્તિ વચ્ચે પ્રેમ હોય તેની સાથે જરૂરી છે કે તેઓ એકબીજાની રિસ્પેક્ટ પણ કરતા હોય. જો અન્ય લોકોની સામે પાર્ટનરની રિસ્પેક્ટ કરવામાં ન આવે તો સંબંધ ઝડપથી પૂરા થઈ જાય છે.
લડાઈ ઝઘડા દરેક સંબંધમાં થાય છે. પતિ પત્ની વચ્ચે પણ સમસ્યા થાય તે સ્વાભાવિક છે. પરંતુ લડાઈ ઝઘડામાં એકબીજા માટે એવું વર્તન ન કરવું જેને ક્યારેય ભૂલી ન શકાય. સાથે જ લડાઈ ઝઘડામાં અન્ય કોઈને સામેલ ન કરવા.
કોઈપણ વ્યક્તિ પરફેક્ટ હોતી નથી. તેથી પાર્ટનર પ્રત્યે વધારે અપેક્ષા રાખવાને બદલે તેની નાની મોટી ભૂલ હોય તો તેને પણ નજરઅંદાજ કરીને ખુશ રહેવાનું શીખી લો.
પરિસ્થિતિ કેવી પણ હોય હંમેશા પોતાના પાર્ટનર સાથે પ્રેમ અને સમજદારીથી વાત કરવી જોઈએ. ખાસ કરીને અન્ય લોકોની સામે જો પાર્ટનર સાથે ખરાબ વર્તન કરશો તો સંબંધ ટકશે નહીં.