US Tariff Impact: વિશેષજ્ઞોનું કહેવું છે કે આ ટેરિફથી અમેરિકાને થનારી ભારતીય નિકાસમાં 40-50% સુધીનો ઘટાડો થઈ શકે છે. જેનાથી લાખો નોકરીઓ પ્રભાવિત થશે.
અમેરિકાએ રશિયા પાસેથી ભારતની ઓઈલ આયાત પર 25 ટકા વધારાનો ટેરિફ લગાવ્યો છે. જેનાથી કુલ ટેરિફ 50 ટકા થઈ ગયો છે. વિશેષજ્ઞોનું માનવું છે કે આ ટેરિફથી અમેરિકાને થનારી ભારતીય નિકાસમાં 40થી 50 ટકા સુધીનો ઘટાડો થઈ શકે છે. જેનાથી લાખો નોકરીઓને અસર થઈ શકે છે.
અમેરિકાએ ભારત પાસેથી આયાત થનારી વસ્તુઓ પર ટેરિફ વધાર્યો. જેનાથી રત્ન, વસ્ત્ર, મશીનરી, સહિત અનેક ઉત્પાદનોની કિંમત વધશે. આ ભાર ભારતીય ઉત્પાદકો અને નિકાસકારો પર પડશે.
ભારતના રત્ન આભૂષણ ઉદ્યોગને 12 અબજ ડોલરનું નુકસાન થાય તેવો ડર છે. લગભગ 50 ટકા ટેરિફ લાગૂ થવાથી અમેરિકી બજારમાં ભારતીય ઉત્પાદનો મોંઘા થશે.
વસ્ત્ર અને પરિધાનના ક્ષેત્રમાં 10.3 અબજ ડોલરના ટ્રેડ પર સૌથી વધુ અસર થશે. અમેરિકા ભારતનું સૌથી મોટું કપડાં નિકાસનું બજાર છે અને 63.9% સુધી ટેરિફ વધારો આ સેક્ટરને ખુબ નુકસાન પહોંચાડશે.
ઝીંગા (શ્રિમ્પ)ની નિકાસ 2.24 અબજ ડોલરની છે. જેના પર હવે કુલ 33.26% ટેક્સ હશે. તેનાથી ભારતીય ઝીંગા અમેરિકી બજારમાં ઈક્વાડોર જેવા હરીફોની સરખામણીએ મોંઘી અને ઓછી પ્રતિસ્પર્ધી હશે.
લેધર અને ફૂટવિયર ઉદ્યોગની 1.18 અબજ ડોલરની નિકાસ પ્રભાવિત થશે. વધેલા ટેક્સથી આ ક્ષેત્રની પ્રતિસ્પર્ધા નબળી થશે અને માર્કેટ શેર્સ ઓછા થઈ શકે છે.
ઓર્ગેનિક કેમિકલ્સ અને મશીનરી પર 50 ટકાથી વધુ ટેરિફ લગાવવામાં આવતા આ ઉદ્યોગોને પણ નિકાસમાં ભારે નુકસાન ભોગવવું પડી શકે છે.
ટેરિફમાં વધારાને પગલે નિકાસ ઘટવાથી લાખો લોકોની નોકરી અને આજીવિકા પર અસર પડશે. ખાસ કરીને MSME સેક્ટર પર દબાણ વધશે કારણ કે તે ઓછા માર્જિન પર કામ કરે છે.
વિશેષજ્ઞો માને છે કે અમેરિકાનો આ નિર્ણય ફક્ત આર્થિક રીતે જ નુકસાન કારક નથી પરંતુ ભારત સાથે વેપારી સંબંધોમાં તણાવ પણ પેદા કરી શકે છે.
નિકાસકારોએ હવે નવા બજાર શોધવા પડશે. જેથી ક રીને તેઓ અમેરિકી ટેરિફના પ્રભાવથી બચી શકે અને નિકાસમાં સ્થિરતા જાળવી શકે. વિશેષજ્ઞોને આશા છે કે ભારત અને અમેરિકા વચ્ચે દ્વિપક્ષીય વેપાર સમજૂતિ જલદી અંતિમ સ્વરૂપ લેશે, જેનાથી આ ટેરિફ સંકટથી કઈક રાહત મળશે.