ક્સીની બેલ્જિયમમાં ધરપકડ કરવામાં આવી છે. ભારતીય તપાસ એજન્સીઓ તરફથી પ્રત્યર્પણની માંગ બાદ આ પગલું ભરવામાં આવ્યું. ચોકસી પર પંજાબ નેશનલ બ...
દેશના સૌથી મોટા બેંક કૌભાંડોમાંના એક પંજાબ નેશનલ બેંક (PNB સ્કેમ)ના આરોપી હીરા વેપારી મેહુલ ચોકસીની બેલ્જિયમમાંથી ધરપકડ કરવામાં આવી છે. તપાસ એજન્સીઓ તેને ભારત લાવવાનો પ્રયાસ કરી રહી છે. ડાયમંડ બિઝનેસમેન અને ભાગેડુ મેહુલ ચોકસીએ તેના ભત્રીજા નીરવ મોદી સાથે મળીને 13,500 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી છે.
પરંતુ લોકો મેહુલ ચોક્સી વિશે વધુ માહિતી નથી જાણતા. 5 મે 1960ના રોજ ગુજરાતના ઉદ્યોગપતિ ચિનુભાઈ ચોકસીના ઘરે જન્મેલા મેહુલે ગુજરાતના પાલમપુરમાં જીડી મોદી કોલેજમાં અભ્યાસ કર્યો અને પછી મુંબઈ આવી ગયા. ત્યાં તેણે મુંબઈ યુનિવર્સિટીમાં અભ્યાસ અધવચ્ચે જ છોડી દીધો અને પાછો ફર્યો અને તેના પિતાના વ્યવસાયમાં જોડાયો હતો. મેહુલ ચોકસીનો જન્મ એક ગુજરાતી પરિવારમાં થયો હતો.
ત્યારબાદ 26 વર્ષ પછી મેહુલ ચોક્સીએ ગીતાંજલિ જેમ્સ નામની કંપની બનાવી અને આ કંપની હીરા અને જ્વેલરીનો વેપાર કરતી હતી. તેના દ્વારા બનાવેલી જ્વેલરી પણ ઘણી લોકપ્રિય બની હતી અને તેની હરાજી કરવામાં આવી હતી. તેની સૌથી લોકપ્રિય જ્વેલરીની 105 કરોડ રૂપિયામાં હરાજી કરવામાં આવી હતી.
મેહુલ ચોક્સી આંતરરાષ્ટ્રીય હીરા ઉદ્યોગપતિ પણ છે, જેને વર્ષ 2011માં એશિયા પેસિફિક આંત્રપ્રિન્યોરશિપમાં એવોર્ડ મળ્યો છે. મેહુલની કંપની, જે ઈટાલી, ચીન, જાપાન, હોંગકોંગ અને થાઈલેન્ડ જેવા દેશોમાં હીરાની જ્વેલરીની નિકાસ કરે છે, તેની ઘણી બ્રાન્ડ્સ છે. ગિલી, નક્ષત્ર, આસમી, માયા, દિયા, સંગિની તમામ મોટી બ્રાન્ડ આ મેહુલ ચોકસીની છે.
2008 માં આવેલી મંદી બાદ પણ તેની કંપનીની કમાણી દરરોજ વધી રહી હતી. તેણે પોતાના ભાણેજ નીરવ મોદીની સાથે મળી PNB માંથી LoU પેપર હાસિલ કરતો હતો, જેના બદલે કોઈ સિક્યોરિટી નહોતો આપતો. ત્યારબાદ તેને વિદેશી બેંકોમાંથી લોન સરળતાથી મળી જતી હતી. LoU જાહેર કર્યા બાદ બેંકની જવાબદારી બની જતી હતી કે તે વિદેશી બેંકના પૈસાની ચુકવણી કરે. એટલું જ નહીં નીરવ મોદી અને મેહુલ ચોકસી પીએનબીને વ્યાજની ચુકવણી પણ નહોતા કરતા.
વધુમાં, આ લોકોએ ઘણા દેશોમાં શેલ કંપનીઓ બનાવી છે, જે માત્ર કાગળ પર કામ કરે છે. કોઈપણ પ્રકારના પૈસાની લેવડદેવડ થતી નથી. આ શેલ કંપનીઓની મદદથી આ લોકોએ પીએનબી પાસેથી કરોડો રૂપિયા વિદેશમાં લીધા હતા. આ મામલો જાન્યુઆરી 2018માં પ્રકાશમાં આવ્યો હતો અને ત્યારબાદ મેહુલ ચોક્સી અને નીરવ મોદી વિરુદ્ધ FIR નોંધવામાં આવી હતી. પરંતુ તે પહેલા જ બંને દેશ છોડીને ભાગી ગયા હતા.
હવે તેની બેલ્જિયમમાંથી ધરપકડ કરવામાં આવી છે. રિપોર્ટ અનુસાર તે કેન્સરની સારવાર માટે બેલ્જિયમમાં રહેતો હતો. અગાઉ તે એન્ટિગુઆમાં રહેતો હતો, જ્યાં તેણે ખોટા દસ્તાવેજોની મદદથી નાગરિકતા મેળવી હતી. હવે ભાગેડુ હીરાના વેપારી મેહુલ ચોક્સી હાલમાં બેલ્જિયમની જેલમાં બંધ છે.