PHOTOS

જેમને પૂછ્યા વગર મુકેશ અંબાણી કોઈ નિર્ણય નહતા લેતા, તેઓ ₹750000000નો પગાર છોડી સાધુ બની ગયા

ાક ખાસ મિત્રો અને કર્મચારીઓ છે જે વર્ષોથી તેમની સાથે પડછાયાની જેમ છે. તેમની સારા-ખરાબ કોઈ પણ નિર્ણયમાં તેમની સાથે છે. કંપની સંલગ્ન મામલ...

Advertisement
1/6

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના પૂર્વ વાઈસ પ્રેસિડેન્ટ પ્રકાશ શાહે પોતાની હાઈ પ્રોફાઈલ નોકરી છોડી અને 75 કરોડ રૂપિયાનું વાર્ષિક પેકેજ છોડીને અચાનક દીક્ષા લઈ જૈન સાધુ બની ગયા. 

2/6
મુકેશ અંબાણીના રાઈટ હેન્ડ હતા
મુકેશ અંબાણીના રાઈટ હેન્ડ હતા

તમને આ વાત કદાચ જ ખબર હોય કે પ્રકાશ શાહ મુકેશ અંબાણીના ખુબ જ નજીકના એટલે કે રાઈટ હેન્ડ ગણાતા હતા. રિલાયન્સના અનેક મહત્વના પ્રોજેક્ટ્સ અને નિર્ણયોમાં તેમની સીધી ભૂમિકા રહેતી હતી. મુકેશ અંબાણી જ્યારે પણ કોઈ મોટી ડીલ કરતા હતા કે કંપની સંલગ્ન કોઈ મોટો નિર્ણય લેતા ત્યારે પ્રકાશ શાહની સલાહ જરૂર લેતા હતા. પોતાના અનુભવને પગલે તેમણે રિલાયન્સને નવી ઊંચાઈઓ પર પહોચાડી હતી. પરંતુ હવે તેમણે બિઝનેસ વર્લ્ડ છોડીને સન્યાસ અપનાવી લીધો છે. 

Banner Image
3/6
પત્ની સાથે મળીને વૈરાગ્યનો માર્ગ
પત્ની સાથે મળીને વૈરાગ્યનો માર્ગ

રિપોર્ટ્સ મુજબ ફક્ત પ્રકાશ શાહ જ નહીં પરંતુ તેમના પત્ની નૈના શાહ અને પુત્રએ પણ સાંસારિક જીવન ત્યાગીને સાથે દીક્ષા લીધી છે. હવે આ કપલ ફક્ત સફેદ કપડાં પહેરે છે. ખુલ્લા પગે ચાલે છે અને એકદમ ઓછામાં ઓછી વસ્તુ સાથે જીવન વિતાવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે પ્રકાશ શાહ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં વાઈસ પ્રેસિડેન્ટ હતા. વર્ષોથી રિલાયન્સ સાથે જોડાયેલા હતા. તેમણે કંપનીને લાંબો સમય આપ્યો પરંતુ હવે 63 વર્ષની ઉંમરે રિટાયરમેન્ટ લઈ લીધુ અને સંન્યાસી બની ગયા. 

4/6
અચાનક કેમ છોડ્યું બિઝનેસ વર્લ્ડ?
અચાનક કેમ છોડ્યું બિઝનેસ વર્લ્ડ?

પ્રકાશ શાહની નજીકની વ્યક્તિ જણાવે છે કે તેઓ લાંબા સમયથી જૈન દર્શન અને ધ્યાન-સમર્પણ પ્રત્યે આકર્ષિત હતા. આ ફેરફાર અચાનક નહીં પરંતુ અંદરથી આવનારી શાંતિની શોધનું પરિણામ છે. તેમણે મોબાઈલ, ગાડી, બેંક બેલેન્સ અને અન્ય તમામ સાંસારિક સુવિધાઓનો ત્યાગ કર્યો છે. 

5/6
સોશિયલ મીડિયામાં વાયરલ થઈ તસવીરો
સોશિયલ મીડિયામાં વાયરલ થઈ તસવીરો

સોશિયલ મીડિયા પર પ્રકાશ શાહની સાધુ જીવનની તસવીરો ખુબ વાયરલ થઈ રહી છે. તેમાં તેઓ સાધારણ કપડાંમાં, હાથમાં ઓછામાં ઓછો સામાન લઈને, શાંતિથી ખુલ્લા પગે ચાલતા જોવા મળ્યા. એક ટોપ કોર્પોરેટ લીડરનું બધુ  ત્યાગી દેવું લોકોને ચોંકાવી રહ્યું છે. 

6/6

તમને જણાવી દઈએ કે પ્રકાશ શાહ કેમિકલ એન્જિનિયર છે અને તેમણે IIT મુંબઈથી પોસ્ટ ગ્રેજ્યુએટ કર્યું છે. તેમના કરિયરમાં પેટકોક માર્કેટિંગ અને જામનગર ગેસીફિકેશન પ્રોજેક્ટ જેવા મહત્વના કામ સામેલ રહ્યા છે. પ્રકાશ શાહની આ જીવનયાત્રા ફક્ત માણસના ફેરફાર માટે નહીં પરંતુ તે સવાલની છે કે અસલ સુખ શું છે- પૈસા, પોઝિશન કે આત્માની શાંતિ? અત્રે જણાવવાનું કે જૈન દર્શન મુજબ સાચું જીવન એ છે કે જે ઈચ્છાઓથી મુક્ત હોય, સત્ય અને સાધનાથી ભરેલું હોય. 





Read More