PHOTOS

ભારતીય નોટો પર મહાત્મા ગાંધીની જ તસવીર કેમ? હવે RBIએ કર્યો ખુલાસો, જાણો શું છે સાચું કારણ

Indina Currency Interesting Facts: શું તમે જાણો છો કે ભારતીય રૂપિયા પર મહાત્મા ગાંધીની જ તસવીર કેમ જોવા મળે છે અને ભારતીય રિઝર્વ બેન્ક ભારતીય કરન્સીને દેશના ખુણે ખુણે સુધી દરેક ગામ સુધી કેવી રીતે પહોંચાડે છે. દરેક જગ્યાએ રૂપિયા-પૈસા પહોંચાડવા માટે કેન્દ્રીય બેન્ક લક્ષદ્વીપમાં જળમાર્ગોનો ઉપયોગ કરે છે, જ્યારે નક્સલ પ્રભાવિત જિલ્લાઓમાં વિમાન અને હેલિકોપ્ટરનો પણ ઉપયોગ કરે છે.

Advertisement
1/5

શું તમે જાણો છો કે ભારતીય રૂપિયા પર મહાત્મા ગાંધીની જ તસવીર કેમ જોવા મળે છે? અન્ય કોઈ સ્વાતંત્ર્ય સેનાની, કવિ કે નેતા કેમ નહીં? હવે આ પ્રશ્નનો જવાબ RBIએ જ આપ્યો છે. ભારતીય રિઝર્વ બેન્ક (RBI)એ જણાવ્યું છે કે, ભારતીય રૂપિયા પર કોઈ પ્રખ્યાત વ્યક્તિની તસવીર લગાવવા માટે રવિન્દ્રનાથ ટાગોર, મધર ટેરેસા સહિત ઘણા નામો પર વિચાર કરવામાં આવ્યો હતો, પરંતુ સર્વસંમતિ મહાત્મા ગાંધીના નામ પર બની હતી. તે સર્વસંમતિનું પરિણામ એ આવ્યું છે કે, નોટ પર ગાંધીજીની તસવીર લાંબા સમયથી બનેલી છે. ભારતીય રિઝર્વ બેન્ક (RBI)ના કાર્યપ્રણાલી પર બનેલી એક દસ્તાવેજીમાં આ વાત કહેવામાં આવી છે.

2/5
એટલા માટે પ્રખ્યાત વ્યક્તિની તસવીર લગાવવામાં આવી
એટલા માટે પ્રખ્યાત વ્યક્તિની તસવીર લગાવવામાં આવી

કેન્દ્રીય બેન્કે કહ્યું કે, પાછળથી ખ્યાલ આવ્યો કે જો કોઈ બેન્ક નોટમાં કોઈ પ્રખ્યાત વ્યક્તિની તસવીર હોય, તો તેને ઓળખવું સરળ બને છે. નકલી નોટની જો ડિઝાઇન ઠીક ન હોય, તો પ્રખ્યાત વ્યક્તિની તસવીર લોકો માટે અસલી અને નકલી નોટ ઓળખવાનું સરળ બનાવે છે. ભારતીય સંદર્ભમાં નોટની ડિઝાઇન અને સુરક્ષા વિશેષતાઓને ધ્યાનમાં રાખીને, ઘણી એવી હસ્તીઓ હતી જેમની તસવીર નોટ પર દેખાઈ શકતી હતી. આ માટે રવિન્દ્રનાથ ટાગોર, મધર ટેરેસા અને અબુલ કલામ આઝાદ સહિત ઘણા પ્રખ્યાત લોકો પર વિચાર કરવામાં આવ્યો હતો, પરંતુ અંતે મહાત્મા ગાંધી પર સર્વસંમતિ બની.

Banner Image
3/5
આઝાદી પહેલા કોની હતી તસ્વીર
આઝાદી પહેલા કોની હતી તસ્વીર

આઝાદી પહેલા બ્રિટિશ ભારતીય રૂપિયામાં વસાહતીવાદ અને તેના સંબંધિત ઐતિહાસિક અને રાજકીય સંદર્ભોનો ઉલ્લેખ કરવામાં આવતો હતો. તેમાં વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિ (વાઘ, હરણ)ની તસવીર હતી. રૂપિયા પર બ્રિટિશ સામ્રાજ્યની ભવ્યતાને 'સુશોભિત હાથીઓ' અને રાજાના અલંકૃત ચિત્રો દ્વારા દર્શાવવામાં આવતી હતી. RBI અનુસાર, પરંતુ જ્યારે ભારત સ્વતંત્ર થયું, ત્યારે ધીમે ધીમે રૂપિયા પર છપાયેલી તસવીરમાં પણ બદલાવ આવ્યો. શરૂઆતમાં રૂપિયા પર અશોક સ્તંભના સિંહનું પ્રતીક, પ્રખ્યાત સ્થળો વગેરેનો ઉપયોગ થતો હતો. ધીમે-ધીમે ભારતના વિકાસ અને પ્રગતિ સાથે રૂપિયાએ ચિત્રો દ્વારા વિકાસની કહાની કહેવાનું શરૂ કર્યું. દેશમાં વિજ્ઞાન ક્ષેત્રે પ્રગતિ અને હરિયાળી ક્રાંતિની સિદ્ધિઓ આર્યભટ્ટ અને ખેતી કરતા ખેડૂતો વગેરેના ચિત્રો દ્વારા નોટ પર સુંદર રીતે કોતરવામાં આવી હતી.

4/5
1969માં પહેલી વાર નોટ પર મહાત્મા ગાંધીની લગાવાઈ તસ્વીર
1969માં પહેલી વાર નોટ પર મહાત્મા ગાંધીની લગાવાઈ તસ્વીર

રિઝર્વ બેન્કની વેબસાઇટ અનુસાર, પહેલીવાર 1969માં મહાત્મા ગાંધીની જન્મ શતાબ્દી નિમિત્તે 100 રૂપિયાની સ્મારક નોટ જાહેર કરવામાં આવી હતી. તેમાં તેમની તસવીરને સેવાગ્રામ આશ્રમ સાથે દર્શાવવામાં આવી હતી. તેમની તસવીર નિયમિતપણે રૂપિયા પર 1987થી જોવા મળી. તે વર્ષે ઓક્ટોબરમાં ગાંધીજીની તસ્વીર સાથે 500 રૂપિયાની નોટો જાહેર કરવામાં આવી હતી. રિપ્રોગ્રાફિક ટેકનોલોજીના વિકાસ સાથે પરંપરાગત સુરક્ષા સુવિધાઓ અપૂરતી માનવામાં આવી હતી. 1996માં નવી સુરક્ષા સુવિધાઓ સાથે નવી 'મહાત્મા ગાંધી શ્રેણી' રજૂ કરવામાં આવી હતી.

5/5
આ રીતે દેશભરમાં પહોંચાડવામાં આવે છે રૂપિયા
આ રીતે દેશભરમાં પહોંચાડવામાં આવે છે રૂપિયા

RBIએ તેની કામગીરી અને ભૂમિકાઓને લોકો સુધી પહોંચાડવા માટે તાજેતરમાં જાહેર કરાયેલી ડોક્યુમેન્ટ્રી દ્વારા એમ પણ જણાવ્યું છે કે, તે પ્રિન્ટિંગ પ્રેસથી દેશના ખૂણે ખૂણે રૂપિયા પહોંચાડવા માટે ટ્રેન, જળમાર્ગ, વિમાન સહિતની મુખ્ય પરિવહન પ્રણાલીઓનો ઉપયોગ કરે છે. આ પહેલી વાર છે જ્યારે RBIના કાર્યને દસ્તાવેજી સ્વરૂપમાં લાવવામાં આવ્યું છે. દસ્તાવેજી ફિલ્મનું નામ 'RBI અનલોક્ડ: બિયોન્ડ ધ રૂપી' છે.





Read More