tic People : આજકાલ ખરાબ જીવનશૈલીના કારણે લોકોમાં અનેક પ્રકારની ગંભીર બીમારીઓ જોવા મળી રહી છે. જ્યારે કેટલાક રોગો જીવલેણ હોય છે...
ડાયાબિટીસના દર્દીઓને ખાવા-પીવામાં સાવધાની રાખવાની સલાહ આપવામાં આવે છે. ઘણી એવી ખાદ્ય વસ્તુઓ છે જેમાં સુગરનું પ્રમાણ વધુ હોય છે અને ડોક્ટરો ડાયાબિટીસના દર્દીઓને તે ખાવાની ના પાડે છે. આ ખાદ્ય પદાર્થોમાં કેટલાક ફળોનો પણ સમાવેશ થાય છે. આજે અમે તમને એવા ફળો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે ડાયાબિટીસના દર્દીઓએ ના ખાવા જોઈએ.
આ યાદીમાં કેળાનું નામ પ્રથમ આવે છે. કેળામાં માત્ર સુગર જ નહીં પરંતુ કાર્બોહાઈડ્રેટ પણ વધુ માત્રામાં હોય છે. આ બંનેની વધુ માત્રા શરીરમાં બ્લડ સુગરનું સ્તર વધારી શકે છે. આ જ કારણ છે કે ડાયાબિટીસના દર્દીઓને કેળા ખાવાનું ટાળવાનું કહેવામાં આવે છે.
દ્રાક્ષ પણ એવા ફળોમાં સામેલ છે જે ડાયાબિટીસથી પીડિત લોકોએ ન ખાવી જોઈએ. આમાં સુગરનું પ્રમાણ પણ ઘણું વધારે હોય છે. તેનો ગ્લાયકેમિક ઇન્ડેક્સ પણ ઘણો વધારે છે, જે શરીરમાં સુગર બેલેન્સને ડિસ્ટર્બ કરે છે.
ઉનાળામાં ઉગાડવામાં આવતા તરબૂચમાં પણ ઘણી બધી કુદરતી સુગર હોય છે. જો ડાયાબિટીસના દર્દીઓ તેને ખાય તો તે તમારી સુગર વધારી શકે છે.
કેરીને ફળોનો રાજા માનવામાં આવે છે. કેરીનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઘણો વધારે છે. આ સાથે તેમાં સુક્રોઝ અને ફ્રુક્ટોઝ પણ નોંધપાત્ર માત્રામાં હોય છે, તેથી ડાયાબિટીસના દર્દીઓએ તેનાથી દૂર રહેવું જોઈએ.
Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.