Chanakya Niti for Love: સમય જતા લોકોના વિચારો જ નહીં વ્યક્તિની પસંદ પણ બદલી જાય છે. જ્યારે વ્યક્તિના મનમાં બીજું કોઈ વસી જાય તો તે પોતાના સાથીને દગો કરવા લાગે છે. આજના સમયમાં આવું અનેક લોકો સાથે થાય છે. પ્રેમમાં દગો ખાધો હોય એવા હજારો લોકો હશે. ડિજિટલ યુગમાં કોઈના સંપર્કમાં આવ્યા પછી વ્યક્તિ પોતાના પાર્ટનરને છેતરવા લાગે છે. જે વ્યક્તિ સાથે દગો થાય છે તેના માટે જીવન મુશ્કેલ બની જાય છે.
આ પણ વાંચો: આ 2 વસ્તુ દરેક સ્ત્રી બેડરુમમાં ઈચ્છે... કરીના કપૂરે બેડરુમ સીક્રેટ વિશે કરી વાત
જો કે આજના સમયને જોતા લાગે છે કે યુવક હોય કે યુવતી તેણે ચાણક્ય નીતિની આ 4 વાતોને જીવનમાં ઉતારવી જોઈએ. જો તમે આ 4 વાતોને અપનાવી લેશો તો તમને કોઈ છેતરી શકશે નહીં અને તમે દુ:ખથી પણ બચી જશો.
લાગણી પર કંટ્રોલ રાખી વ્યક્તિને પારખી લો
આ પણ વાંચો: પાર્ટનર સાથે Vibes મેચ થાય છે કે નહીં ? આ રીતે ચેક કરો રિલેશનશીપમાં કમ્પેટિબિલિટી
લોકો પ્રેમમાં ઉતાવળ કરી બેસે છે અને પછી પસ્તાવું પડે છે. આચાર્ય ચાણક્ય કહે છે કે પ્રેમમાં શરુઆતમાં લાગણી પર કાબુ રાખવો જોઈએ. જેથી વ્યક્તિને પારખીને સમજી વિચારીને નિર્ણય લઈ શકાય. પ્રેમમાં ગળાડૂબ થઈ જાવ તે પહેલા ચકાસી લો કે વ્યક્તિ ઈમાનદાર છે કે નહીં.
આ પણ વાંચો: Emotional Dumping: ઈમોશનલ ડંપિંગ એટલે શું ? અજાણતા તમે પણ નથી કરતાં ને આ ભુલ ?
દિલથી નહીં મગજથી વિચારો
પ્રેમમાં પડે તે વ્યક્તિ દિલથી નિર્ણય લે છે. મગજથી કામ લેતા નથી. પરંતુ ચાણક્ય નીતિ અનુસાર વ્યક્તિએ પ્રેમમાં હોવા છતા મગજથી સમજીવિચારીને નિર્ણય લેવો જોઈએ. કેટલીક બાબતોમાં તો પ્રેકટીકલ બની નિર્ણય કરવો જોઈએ.
આ પણ વાંચો: યુવતીને સાસુ-સસરા સાથે રહેવું શા માટે નથી ગમતું ? 5 મુદ્દા સાસુ-સસરાને બનાવે છે વિલન
સ્વાભિમાની બની સત્યનો સામનો કરો
ચાણક્ય નીતિ અનુસાર પ્રેમમાં ક્યારેય સ્વાભિમાન સાથે સમજૂતી કરવી નહીં. જો કોઈ વ્યક્તિ પ્રેમના નામે તમારું આત્મસમ્માન છીનવે તો સંબંધને સમય રહેતા જ ખતમ કરી દેવો ઉચિત છે. જે વ્યક્તિ તમારું સમ્માન ન કરે તે વ્યક્તિ કોઈપણ સમયે દગો કરી શકે છે.
આ પણ વાંચો: લગ્નના 1 વર્ષ પછી દરેક કપલની સામે આવે સમસ્યાઓ, પહેલાથી જ ધ્યાન રાખો તો તકલીફ ન પડે
સતર્ક રહો
ચાણક્ય નીતિ કહે છે કે પ્રેમમાં સમજદારી અને સતર્કતા જરૂરી છે. ઉતાવળમાં કોઈ પણ આંધળો વિશ્વાસ કરવો નહીં. સાચું શું છે ખોટું શું છે તે જાણ્યા પછી જ આગળ વધવું, વ્યક્તિ સંબંધમાં મામુલી વાત પર પણ ખોટું બોલે તો સતર્ક રહેવું જોઈએ.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે