Home> Relationship
Advertisement
Prev
Next

Relationship Tips: સદગુરુએ શીખવાડી યંગ જનરેશનને પ્રેમ કરવાની રીત, આ રીતે રિલેશનશીપને બનાવો મીનિંગફુલ

Relationship Tips Of Sadhguru: આજની જનરેશન પ્રેમને લઈનં ક્લીયર નથી હોતી. તેથી જ રિલેશનશીપને લઈને પણ તેઓ સ્યોર નથી હોતા. જો પ્રેમ અને રિલેશનશીપમાં ક્લિયારીટી જોઈએ છે તો સદગુરુ પાસેથી જાણો રિલેશનશીપને મીનિંગફુલ કેવી રીતે બનાવી શકાય.
 

Relationship Tips: સદગુરુએ શીખવાડી યંગ જનરેશનને પ્રેમ કરવાની રીત, આ રીતે રિલેશનશીપને બનાવો મીનિંગફુલ

Relationship Tips Of Sadhguru: પ્રેમને આજની જનરેશન અલગ નજરથી જોવા લાગી છે. સમયની સાથે પ્રેમ અને સંબંધોની પરીભાષા પણ બદલી ગઈ છે. પહેલાનો સમય હતો જ્યારે એક જ વ્યક્તિ સાથે જીવનભર પ્રેમ રહેતો. હવે યુવાનો કપડાની જેમ પાર્ટનર બદલે છે. એ વાતમાં કોઈ શંકા નથી કે જીવનમાં દરેક વ્યક્તિએ મૂવ ઓન કરવું જરૂરી છે. પરંતુ પાર્ટનર બદલવા આદત બની જાય તો તે જીવન અને મેન્ટલ હેલ્થ માટે ખતરનાક સાબિત થઈ શકે છે. 

fallbacks

આ પણ વાંચો: Green Flag: આ 4 ગુણ યુવતીને બનાવે છે ગ્રીન ફ્લેગ પાર્ટનર, ચેક કરો તમારામાં કેટલા છે?

આ સ્થિતિમાં સદગુરુ જગ્ગી વાસુદેવએ એક મુલાકાતમાં રિલેશનશીપને લઈને ખૂબ જ સારી સલાહ આપી હતી. યંગ જનરેશન જો આ વાત પર ધ્યાન આપે તો તેઓ રિલેશનશીપને મીનિંગફુલ બનાવી શકે છે અને સાથે જ એક સારા વ્યક્તિ પણ બની શકે છે. આ રીતે તેઓ સાચા પ્રેમને જીવનમાં અનુભવ કરી શકે છે. 

આ પણ વાંચો: Premanand Maharaj: પ્રેમાનંદ મહારાજે જણાવ્યું પતિએ પત્નીને કેવી રીતે રાખવી જોઈએ ખુશ

પ્રેમ આઝાદી છે

સદગુરુ કહે છે કે પ્રેમ આઝાદીનું વિસ્તૃત સ્વરુપ છે. કોઈપણ વ્યક્તિને પ્રેમ કરવો એટલે બંદી બનાવવા તેવો અર્થ નથી થતો. જેને પ્રેમ કરો તેને તેના જીવનમાં બધું જ કરવાની આઝાદી હોવી જોઈએ. જો તમારી સાથે રહીને કોઈ વ્યક્તિ સહજ નથી તો પ્રેમ કરવાની રીત ખોટી છે. જો કે આઝાદીનો મતલબ ખોટા કામ કરવા એ પણ નથી. 

આ પણ વાંચો: Relationship Tips: દરેક કપલને એકબીજાની આ 5 વાતો વિશે જાણકારી હોવી જોઈએ, તમને ખબર છે?

રિલેશનશિપમાં ફેરફાર થશે

રિલેશનશીપમાં ફેરફાર થશે તે નક્કી છે. કોઈ મૃત વ્યક્તિ સાથે સમય હંમેશા એક જેવો રહી શકે. જો તમે એક જીવંત વ્યક્તિ સાથે છો તો સમય, પરિસ્થિતિ અનુસાર સંબંધોમાં પણ ફેરફાર થશે. અને આ ફેરફાર જરૂરી છે. તેથી સંબંધમાં પાર્ટનર સામે એવી ફરિયાદ કરવી નહીં કે તે પહેલા જેવા નથી. 

આ પણ વાંચો: Open Marriage એટલે શું ? લગ્ન પછી કપલ્સ વચ્ચે આ ટ્રેંડ શા માટે પોપ્યુલર છે ?

કોઈ પરફેક્ટ નથી

આજે દરેક વ્યક્તિ તેના પાર્ટનર પાસેથી પરફેક્ટ હોવાની અપેક્ષા રાખે છે જે ખોટું છે. કોઈપણ વ્યક્તિ પરફેક્ટ નથી. તેથી કોઈ વ્યક્તિ યોગ્ય છે કે અયોગ્ય તેવું કહેવાનો અધિકાર કોઈને નથી. જે વ્યક્તિ પરફેક્ટ પાર્ટનરની અપેક્ષા રાખે છે તે પોતે પણ પરફેક્ટ નથી હોતા. 

આ પણ વાંચો: જીવનમાં ખુશ રહેવા શું જરૂરી ? લોકો માટે પૈસો નહીં આ 2 વસ્તુઓ ખુશીઓનું કારણ, જાણો તમે

પ્રેમને ખાસિયત બનાવો

સદગુરુ જણાવે છે કે જો તમે કોઈને પ્રેમ કરો છો તો પ્રેમને પોતાની ખાસિયત બનાવો. ન કે સામેની વ્યક્તિની. જો કોઈ તમને છોડીને જાય તો તેમાં પોતાનામાં ખામી છે તેવું ન માનો. જે તમારી સાથે નથી રહેવા માંગતા તે તમારી ખાસિયતને નથી સમજતા. તેથી આવા લોકોને પ્રેમથી જીવનમાંથી દુર થવા દો. જે તમારા પ્રેમને ન સમજે તે જીવનથી દુર રહે તે મેંટલ હેલ્થ માટે પણ જરૂરી છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More