Effective Vastu Tips: દરેક વ્યક્તિના જીવનમાં સુખ અને દુઃખ આવે છે ક્યારેક પરિસ્થિતિ અનુકૂળ હોય તો ક્યારેક પ્રતિકૂળ હોય છે. પરંતુ જો જીવનમાં સતત પ્રતિકૂળ પરિસ્થિતિ અને સમસ્યાઓ રહેતી હોય, મહેનત કર્યા પછી પ્રયત્ન કર્યા પછી પણ સમસ્યાનો અંત ન આવે અને દુર્ભાગ્ય સાથ છોડવાનું નામ ન લે તો એક વખત ઘરના વાસ્તુદોષ પર નજર કરવી જોઈએ. શક્ય છે કે ઘરમાં રહેલા વાસ્તુદોષ સફળતામાં બાધા બનતા હોય.
આ પણ વાંચો:જીવનમાં કોઈપણ સમસ્યા હોય એકવાર અજમાવો લીલા મગ અને સુકા નાળિયેરનો આ ટોટકા
વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના કેટલાક વાસ્તુદોષ એવા હોય છે જે સફળતામાં બાધા ઉત્પન્ન કરે છે. આવા વસ્તુ દોષ ને દૂર કરવાના ઉપાયો પણ સરળ હોય છે. કેટલીક વખત તો સરળ આદતો અપનાવીને પણ વાસ્તુદોષનો પ્રભાવ દૂર કરી શકાય છે. આજે તમને સાથ આવા જ સરળ અને પ્રભાવી ઉપાયો વિશે જણાવીએ જેને અપનાવવાની સાથે જ અસર દેખાવા લાગે છે.
આ પણ વાંચો: Weekly Horoscope: આ સપ્તાહ કર્ક રાશિના જાતકો માટે ઉત્તમ ફળ પ્રદાન કરનારું
વાસ્તુદોષ દૂર કરવાના પ્રભાવી ઉપાયો
1. વાસ્તુશાસ્ત્રમાં ઘરનું પ્રવેશ દ્વાર સૌથી મુખ્ય ગણાય છે. પ્રવેશ દ્વારથી વ્યક્તિ જ નહીં પરંતુ સુખ સમૃદ્ધિ પણ ઘરમાં પ્રવેશે છે. જો પ્રવેશ દ્વારમાં કોઈ દોષ હોય તો તે દુર્ભાગ્યનું કારણ બને છે. જો તમે પ્રવેશ દ્વારનો દોષ દૂર કરી શકો તેમ ન હોય તો ઘરના પ્રવેશ દ્વારની ઉપર અંદરની તરફ અને બહારની તરફ વિઘ્નહર્તા ગણેશજીની તસવીર લગાવી દો.
આ પણ વાંચો: 21 ઓગસ્ટથી 3 રાશિઓની ચાંદી જ ચાંદી, શુક્ર કર્ક રાશિમાં પ્રવેશ કરી કરાવશે ધન લાભ
2. સનાતન પરંપરામાં તુલસીના છોડનું પણ મહત્વ છે તેને પવિત્ર અને સૌભાગ્ય વધારનાર ગણવામાં આવે છે. હિન્દુ માન્યતા અનુસાર ઘરના મુખ્ય દ્વાર પર તુલસીનો છોડ રાખવામાં આવે તો બધા જ વાસ્તુદોષ દૂર થઈ જાય છે. હિન્દુ ધર્મમાં તુલસીને લક્ષ્મીનું રૂપ માનવામાં આવે છે, આ છોડ નકારાત્મક ઊર્જાને રોકી સકારાત્મક ઉર્જા ઘરમાં પ્રવાહિત કરે છે. ઘરના મુખ્ય દ્વારની આસપાસ તુલસીનો છોડ રાખવાથી પવિત્રતા જળવાઈ રહે છે. જોકે તુલસીનો છોડ રાખો ત્યાં નજીકમાં જૂતા ચપ્પલ કે ડસ્ટબીન રાખવી નહીં.
આ પણ વાંચો: Shani Gochar 2025: 18 ઓગસ્ટે શનિ બદલશે ચાલ, જાણો કઈ 5 રાશિઓને શનિ શુભ પરિણામ આપશે
3. વાસ્તુશાસ્ત્ર અનુસાર જે ઘરના તમામ ખૂણા ગંદકીથી ભરેલા રહે છે કરોળિયાના જાળ હોય છે ત્યાં ધનના દેવી માં લક્ષ્મી આવતા નથી. આ સ્થિતિમાં ઘરના દરેક ખૂણાને સાફ રાખવા અને ઘરનું બ્રહ્મ સ્થાન ખાલી રહે તે વાતનું ધ્યાન રાખવું.
આ પણ વાંચો: શનિ દોષ દુર થશે, સૂર્ય ભાગ્ય ચમકાવશે, 9 ગ્રહોની શાંતિ માટે ગાયને ખવડાવો આ વસ્તુઓ
4. સૌભાગ્ય અને આરોગ્યની કામના હોય તો ઘરમાં બેડ કે સોફો બીમ નીચે આવે તે રીતે રાખવો નહીં. વાસ્તુશાસ્ત્રમાં તેને સૌથી મોટો દોષ ગણવામાં આવે છે. જો કોઈ કારણવશ આ દોષ દૂર કરી શકાય તેવું ન હોય તો દોષથી બચવા માટે બીમ નીચે વાંસળી લટકાવી દેવી.
5. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના કોઈપણ દરવાજા ખોલો કે બંધ કરો તો તેમાંથી કર્કશ અવાજ ન આવવો જોઈએ. આવું થતું હોય તો પરિવારના સભ્યો વચ્ચે અકારણ કલેશ થઈ શકે છે.. તેથી ઘરના દરવાજામાં થોડા થોડા સમયે તેલ નાખતા રહેવું.
આ પણ વાંચો: શુક્ર 50 વર્ષ પછી મિત્ર શનિના ઘરમાં જશે, 23 ઓગસ્ટથી સોનાની જેમ ચમકશે આ રાશિનું ભાગ્ય
6. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં બનેલી સીડી પ્રગતિનું પ્રતીક હોય છે તેથી તેને હંમેશા સાફ રાખો. ખાસ કરીને સીડીની નીચે કોઈ પણ પ્રકારનો સામાન એકઠો કરવો નહીં. સીડીની નીચે રસોડું કે બાથરૂમ પણ બનાવવું નહીં.
7. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની છત પર વધારાની વસ્તુઓ એકઠી કરવી નહીં તેનાથી નકારાત્મક ઉર્જા વધે છે અને શનિ તેમજ રાહુ સંબંધિત દોષ પણ લાગે છે. અગાસી પર ખરાબ સામાન વધારાની વસ્તુઓ એકત્ર કરવાથી દોષ ઉત્પન્ન થાય છે તેથી અગાસીને હંમેશા સાફ રાખો.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે