Home> Spiritual
Advertisement
Prev
Next

માઈભક્તો માટે ખુશખબર! અંબાજીનો સુપ્રદ્ધિ ભાદરવી પૂનમનો મેળાની તારીખો જાહેર થઈ

Bhadaravi Poonam : અંબાજી મંદિરમાં ભાદરવી પૂનમના મેળા માટે તૈયારીઓ શરૂ, મીટિંગ દરમિયાન આ વર્ષના મેળા માટે લેવાયા મહત્વના નિર્ણયો

માઈભક્તો માટે ખુશખબર! અંબાજીનો સુપ્રદ્ધિ ભાદરવી પૂનમનો મેળાની તારીખો જાહેર થઈ

Ambaji Temple : અંબાજી મંદિર એ કરોડો ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. માઈ ભક્તો માટે આ એક રુડો અવસર બની રહે છે. જ્યા લાખો ભક્તો દર વર્ષે ભાદરવી પૂનમ પહેલા પગપાળા નીકળે છે. વિશ્વપ્રસિદ્ધ મા અંબેના ધામ અંબાજી ખાતે દર વર્ષે આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમનો મહામેળો યોજાય છે. જેમાં વિદેશોથી પણ ભક્તો આવે છે. ત્યારે ફરી એકવાર ભાદરવી પૂનમના મેળાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ગઈકાલે યોજાયેલી એક મીટિંગમા જાહેરાત કરાઈ કે, 23 થી 29 સપ્ટેમ્બર દરમિયાન અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મેળો યોજાશે. 

fallbacks

ગત રોજ પ્રવાસન સચિવ હારિત શુક્લની અધ્યક્ષતામાં એક બેઠક યોજાઈ હતી. જેમા અંબાજી મંદિરના મહાકુંભ એવા ભાદરવી પૂનમના મેળાના આયોજન અંગે ચર્ચા કરવામાં આવી હતી. તેમજ ભક્તોને સુવિધા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. જેમાં નક્કી કરાયું કે, તારીખ 23 થી 29 સપ્ટેમ્બર દરમિયાન યોજાનાર ભાદરવી પૂનમના મેળામાં ભક્તોને કોઈ તકલીફ ન થાય તે માટે વ્યવસ્થા કરાશે. આ વર્ષે વ્યવસ્થા, રોકાણ અને ભોજન વ્યવસ્થા, સ્વાસ્થ્ય સુવિધાઓ, સ્વચ્છતા, પાર્કિંગ, કાયદો- વ્યવસ્થા, ટ્રાફિક નિયમન, અંબાજી નગરમાં લાઇટિંગ, મંદિરમાં દર્શન વ્યવસ્થા પર ખાસ ધ્યાન રાખવામાં આવશે. 

fallbacks

ભાદરવી પૂનમના રોજ આવતા ભક્તોનો વ્યાપ દિવસેને દિવસો વધતો જાય છે. તેથી ભક્તોની સુરક્ષાને પ્રાથમિકતા આપવામાં આવશે. ભક્તોને દર્શન કર્યા બાદ સુખદ અનુભવ થાય તે પ્રકારનું સમગ્ર આયોજન હશે. જેમાં કચાશ રાખવામાં નહિ આવે. ઉલ્લેખનીય છે કે, આ મહામેળામાં મોહનથાળના પ્રસાદનો પણ ખાસ મહિમા છે. તેથી નિયમિત કરતા વધુ મોહનથાળનો પ્રસાદ આ દિવસોમાં બને છે.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More