Home> Spiritual
Advertisement
Prev
Next

દેવામાં ગળાડૂબ હોવ, બહાર નીકળવાનો કોઈ રસ્તો ન સૂજે તો આ 5 ઉપાય અજમાવો, આર્થિક તંગી દૂર થશે

જીવનમાં ચારેબાજુથી દેવાની જાળમાં ફસાયેલા હોવ તો આપણા શાસ્ત્રોમાં તેના માટે કેટલાક ઉપાયો સૂચવવામાં આવ્યા છે. જેને અજમાવીને તમે કરજમાંથી છૂટકારો મેળવી શકો છો. 

દેવામાં ગળાડૂબ હોવ, બહાર નીકળવાનો કોઈ રસ્તો ન સૂજે તો આ 5 ઉપાય અજમાવો, આર્થિક તંગી દૂર થશે

કરજ વગરનું જીવન એ સૌથી ખુશહાલ જીવન હોય છે. કરજ ભલ ભલા વ્યક્તિને મુશ્કેલીમાં મૂકી દે છે. કેટલાક લોકો તેનો ભાર સહન કરી શકે છે પરંતુ ઘણા લોકો કરજને કારણે ઊભી થતી સમસ્યાઓને પહોંચી શકતા નથી અને અંતિમ પગલું ભરતા પણ ખચકાતા નથી. અનેકવાર વ્યક્તિ કરજ લે છે અને તેને ચૂકવતા ચૂકવતા આખી જીંદગી જતી રહે છે પરંતુ દેવું પૂરું થતું નથી. ક્યારેક ક્યારેક ગ્રહો અને નક્ષત્રો પણ બગડે તો કરજની જાળમાં ફસાઈ જવાય છે. તેનાથી બચવા માટે શું કરવું જોઈએ? કેટલાક ઉપાયો છે જે તમને રાહત આપી શકે છે. 

fallbacks

1. પહેલો ઉપાય
એક નારિયેળ લો અને તેના પર ચમેલીના તેલથી સ્વસ્તિક બનાવો. પછી લાડુ કે ગોળ ચણા લો અને હનુમાનજીના મંદિરમાં જાઓ તથા ઋણમોચક મંગળ સ્ત્રોતનો પાઠ કરો. તેનાથી તત્કાળ અસર થશે અને થોડા દિવસોમાં તમારું દેવું ઓછું થવાનું શરૂ થશે. 

2. બીજો ઉપાય
શનિવારના દિવસે સવારે સ્નાન વગેરે કરીને તમારી ઊંચાઈ મુજબ કાળો દોરો લો અને એક નારિયેળને લપેટી લો. પછી તેની પૂજા કરો અને વહેતા પાણી કે નદી, નહેરમાં પધરાવી દો. આ સાથે જ ભગવાનને ઋણમુક્ત થવા માટે પ્રાર્થના કરો. 

3. ત્રીજો ઉપાય
દર મહિનાની ત્રયોદશી તિથિ પર પ્રદોષ વ્રત આવે છે. પરંતુ મંગળવારના દિવસે આવતા પ્રદોષ વ્કતને ભૌમ વ્રત કહે છે. આ  દિવસે આવતા વ્રતને કરો અને ભગવાન શિવને ઋણમમુક્તિની કામના કરો. એવું કહેવાય છે કે ભૌમ પ્રદોષ વ્રત પર વિધિપૂર્વક વ્રત કરવાથી કરજથી છૂટકારો મળે છે અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ પણ દૂર થઈ શકે છે. 

4. ચોથો ઉપાય
દર મંગળવારના દિવસે ભાતપૂજા, દાન,  હોમ અને જાપ કરવા જોઈએ. મંગળ અને બુધવારે કરજની આપ લે કરો. રોજ કે દર મંગળવારે હનુમાનાષ્ટકનો પાઠ કરો. 

5. પાંચમો ઉપાય
પહેલા 5 ગુલાબ લો અને પછી દોઢ મીટર કપડું લઈને સામે પાથરો. હવે આ ફૂલોને તેમાં રાખીને 21વાર ગાયત્રી મંત્રનો જાપ કરતા તેને બાંધી દો. પછી તેને જળમાં પધરાવી દો. તેનાથી પણ જલદી કરજમાંથી મુક્તિ મળી શકે છે. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી ધાર્મિક આસ્થાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. Z 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More