Kankhajura: ઘરમાં ઘણીવાર બાથરૂમ કે રસોડાના પાઇપમાંથી કાનખજૂરા નીકળે છે. કાનખજૂરાને જોઈને ડર લાગે છે અને ચીતરી પણ ચઢે છે. ઘણા લોકો તો કાનખજુરાને જોઈને તેને તુરંત મારી નાખે છે. કાનખજૂરને જોઈને ડર એટલા માટે પણ લાગે કે એવું માનવામાં આવે છે કે કાનખજૂરો કાનમાં ઘૂસી જાય તો તે મગજમાં પહોંચીને મગજને કોતરી નાખે છે. કાનખજૂરો કરડે તો શરીરમાં ખંજવાળ અને એલર્જીની સમસ્યા પણ થઈ શકે છે.
આ પણ વાંચો: દૈનિક રાશિફળ 17 ફેબ્રુઆરી: વૃશ્ચિક રાશિ માટે ભાગ્ય આજે મહત્વની ભૂમિકા ભજવશે
જો કે જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ કાનખજૂરો ઘરમાં દેખાય તેનો વિશિષ્ટ અર્થ હોય છે. આજે તમને જણાવીએ ઘરમાં અચાનક કાનખજુરો દેખાય તો તે શુભ ગણાય કે અશુભ.
ઘરમાં કાનખજૂરો નીકળવો શુભ કે અશુભ?
આ પણ વાંચો: 19 ફેબ્રુઆરીથી આ 3 રાશિઓ થશે માલામાલ, બુધ શુક્રનો શુભ યોગ કરાવશે અણધાર્યા લાભ
- જ્યોતિષશાસ્ત્ર અનુસાર કાનખજૂરો રાહુનું રૂપ માનવામાં આવે છે. તેથી કાન ખજુરો ઘરમાં નીકળે તેનો શુભ અને અશુભ બંને પ્રકારનો પ્રભાવ હોઈ શકે છે. ઘરમાં અચાનક કાનખજૂરો ફરતો જોવા મળે તો તેને શુભ માનવામાં આવે છે તેનો અર્થ થાય છે કે નજીકના ભવિષ્યમાં કંઈક સારું થવાનું છે.
- જો ઘરના મંદિરમાં કાનખજૂરો દેખાય તો કોઈ મોટા સારા સમાચાર મળે તેવી સંભાવના હોય છે. મંદિરમાં કાનખજૂરો નીકળે તો તે ધન સમૃદ્ધિનું આગમન દર્શાવે છે.
આ પણ વાંચો: Weekly Horoscope: આ રાશિઓ માટે આર્થિક દ્રષ્ટિકોણથી અઠવાડિયું શુભ, સાપ્તાહિક રાશિફળ
- કાનખજૂરો ઘરમાં અચાનક દેખાય અને થોડીવારમાં જ તે ગાયબ થઈ જાય એટલે કે ખબર ન પડે કે ક્યાં ગયો તો સમજી લેવું કે તમારું ભાગ્ય તમને સાથ આપશે.
- ટોયલેટ કે બાથરૂમમાં કાનખજૂરો અચાનક નીકળે તો તેને અશુભ માનવામાં આવે છે. કુંડળીમાં જ્યારે રાહુની ખરાબ દશા ચાલતી હોય ત્યારે આવો સંકેત મળી શકે છે.
- સપનામાં કાનખજૂરો દેખાય તો તેનો અર્થ થાય છે કે જૂની સમસ્યા કે બીમારીથી મુક્તિ મળવાની છે. કાનખજૂરો સપનામાં દેખાય તો નોકરીમાં પ્રમોશન મળવાનો સંકેત પણ હોઈ શકે છે.
આ પણ વાંચો: Mahashivratri: મહાશિવરાત્રી પર ભોળાનાથને ચઢાવો આ 5 વસ્તુઓ, નોકરીમાં વધશે પદ, મળશે યશ
- જો સપનામાં મરેલો કાનખજુરો દેખાય તો સમજી લેવું કે ભવિષ્યમાં કોઈ મોટી મુસીબત ઘર પર આવવાની છે. જો સપનામાં તમે કાનખજૂરાને મારતા હોય તેવું દેખાય તો સમજી લેવું કે જીવનની સમસ્યાનું નિવારણ આવવાનો સંકેત છે.
- સપનામાં થોડી મિનિટો માટે કાનખજુરો દેખાય અને પછી દેખાતો બંધ થઈ જાય તો સમજી લેવું કે ભાગ્યના બંધ દરવાજા ખુલી જવાના છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે