Budh Gochar 2024: જ્યોતિષશાસ્ત્ર અનુસાર જ્યારે ગ્રહ રાશિ પરિવર્તન કરે છે તો તેની શુભ અને અશુભ અસર દરેક વ્યક્તિના જીવન પર જોવા મળે છે. આ ક્રમમાં ગ્રહોના રાજકુમાર બુધ જે જીવનમાં સુખ, સમૃદ્ધિ અને બૌદ્ધિક ક્ષમતાના કારક ગ્રહ ગણાય છે તે મે મહિનાના અંતે રાશિ બદલશે. બુધના પ્રભાવથી જ વ્યક્તિને કરિયરમાં ઊંચું સ્થાન પ્રાપ્ત થાય છે અને બિઝનેસમાં પણ સફળતા મળે છે.
આ પણ વાંચો: June 2024: જૂનમાં 4 રાશિનો શરુ થશે ગોલ્ડન ટાઈમ, વક્રી શનિ કરાવશે ધન લાભ અને પદોન્નતિ
બાર મહિના પછી બુધ ગ્રહ 31 મે 2023 ના રોજ બપોરે 12 કલાક અને 2 મિનિટે વૃષભ રાશિમાં પ્રવેશ કરશે. વૃષભ રાશિમાં પહેલાથી જ શુક્ર ગ્રહ ગોચર કરે છે. વૃષભ રાશિમાં બુધ અને શુક્ર એકસાથે હોવાથી લક્ષ્મીનારાયણ રાજયોગ સર્જાશે. આ રાજયોગ ત્રણ રાશિના લોકો માટે લાભકારી સાબિત થશે. કઈ છે આ ત્રણ રાશિ ચાલો તમને જણાવીએ.
આ પણ વાંચો: 27 મે થી 2 જૂન સુધીનો સમય કઈ કઈ રાશિ માટે શુભ, જાણવા વાંચો સાપ્તાહિક રાશિફળ
મેષ રાશિ
લક્ષ્મીનારાયણ રાજયોગ મેષ રાશિ માટે શુભ સાબિત થશે. અટકેલા કામ પૂરા થશે માન સન્માનમાં વૃદ્ધિ થશે. ધનની આવકના રસ્તા ખુલશે. શુભ કાર્યોના યોગ બની રહ્યા છે. મહેનત કરનારને સફળતા પ્રાપ્ત થશે. આ સમય દરમિયાન પ્રમોશન કે ઇન્ક્રીમેન્ટના પણ ચાન્સ છે. વેપાર કરતા લોકોને ફાયદો થશે. આત્મવિશ્વાસ વધશે.
આ પણ વાંચો: રવિવારે શોપિંગ કરો તો ભુલથી પણ ન લેવી આ વસ્તુઓ, કરોડપતિમાંથી થઈ જાશો કંગાળ
કન્યા રાશિ
કન્યા રાશિ માટે પણ લક્ષ્મીનારાયણ રાજયોગ શુભ છે. આ યોગના કારણે ભાગ્યનો સાથ મળશે. અટકેલા કામ પુરા થશે. મહેનત થી વધારે સફળતા પ્રાપ્ત થશે. આર્થિક સ્થિતિમાં લાભ થશે. લાઈફ પાર્ટનરનો સાથ મળશે. દાંપત્ય જીવનમાં પ્રેમ વધશે. સ્વાસ્થ્ય સારું રહેશે
મીન રાશિ
આ પણ વાંચો: જૂન મહિનો 3 રાશિ માટે ભારે, શનિ-મંગળ કારર્કિદી અને પારિવારિક જીવનમાં વધારશે મુશ્કેલી
લક્ષ્મીનારાયણ રાજયોગ મીન રાશિના લોકોને દરેક ક્ષેત્રમાં સફળતા અપાવશે. વેપારની સાથે નોકરીમાં પણ સફળતા પ્રાપ્ત થશે. જે લક્ષ્ય બનાવ્યું હતું તે પૂર્ણ થશે. ધન લાભના યોગ બનશે. લવ લાઈફ સારી રહેશે. સ્વાસ્થ્ય પણ સારું રહેશે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે