ઝી ન્યૂઝ/નવી દિલ્હીઃ બુધવારનો દિવસ ભગવાન ગણેશનો માનવામાં આવે છે. જ્યારે, બુધવારનો દિવસ બુધ ગ્રહ સાથે પણ સંબંધી છે. કુંડળીમાં બુધ ગ્રહ જો દુર્બળ હોય તો નોકરી, ધંધો સહિત અનેક બાબતોમાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. બુધવારના દિવસે બુધ ગ્રહને બળવાન બનાવવા માટે તમે લાલ કિતાબ દ્વારા સૂચવેલા આ ઉપાયો કરી શકો છો. ચાલો જાણીએ કે બુધવારે કયા ઉપાય કરવા જોઈએ.
તુલસીના પાનનું સેવન
બુધવારના દિવસે તુલસીના સૂકા પાનને ધોઈને ખાવાનું ખૂબ જ શુભ છે. આમ કરવાથી કુંડળીમાં બુધ ગ્રહની શુભ અસર થાય છે.
ગાયોને ખાસ ખવડાવવું
બુધવારના દિવસે ગાયને ઘાસ ખવડાવવું શ્રેષ્ઠ માનવામાં આવે છે. બુધવારે ગાયને લીલો ચારો ખવડાવો. આનાથી ન માત્ર બુધ ગ્રહ સારો રહેશે પરંતુ રાહુના પ્રકોપથી પણ બચી શકાય છે. સૂર્યાસ્ત થયા પછી સાંજે ગાયને લીલો ચારો ખવડાવો. લીલો ચારો ખવડાવવાથી કુંડળીમાં બુધ બળવાન થશે અને રાહુના પ્રકોપથી પણ તમારું રક્ષણ થશે. લાલ કિતાબ અનુસાર બુધવારે એક સાથે 100 ગાયોને ચારો ખવડાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે.
લીલો રૂમાલ
બુધવારે તમારે તમારા ખિસ્સામાં લીલો રૂમાલ રાખવો જોઈએ. તેનાથી પણ બુધ ગ્રહ સારો થાય છે.
દેવાથી છુટકારો મેળવવાના ઉપાય
ઋણમાંથી મુક્તિ મેળવવા માટે તમારે બુધવારે રાત્રે સૂર્યાસ્ત પછી ભગવાન ગણેશની પૂજા કરવી જોઈએ. પૂજામાં ભગવાન ગણેશને દુર્વા અર્પણ કરો. ભગવાન ગણેશને દુર્વા ચઢાવવાથી ભગવાન જલ્દી પ્રસન્ન થાય છે.
Disclaimer: અહીં આપવામાં આવેલી તમામ માહિતી સામાન્ય ધારણાઓ અને માહિતી પર આધારિત છે. Zee News આ વાતની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અમલમાં મૂકતા પહેલા, કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ લો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે