Home> Spiritual
Advertisement
Prev
Next

Chanakya Niti: આવી સ્ત્રીઓની આસપાસ પણ ન ભટકે પુરૂષ, બાકી બરબાદ થઈ જશે જીવન

Chanakya Niti: આચાર્ય ચાણક્યએ પુરૂષોને કેટલીક મહિલાઓથી દૂર રહેવાની સલાહ આપી છે, કારણ કે આવી મહિલાઓ પુરૂષોના જીવનને સંપૂર્ણ રીતે બરબાદ કરી નાખે છે.

Chanakya Niti: આવી સ્ત્રીઓની આસપાસ પણ ન ભટકે પુરૂષ, બાકી બરબાદ થઈ જશે જીવન

Chanakya Niti: આચાર્ય ચાણક્ય મહાન અર્થશાસ્ત્રી હતા. ચાણક્ય દ્વારા જણાવવામાં આવેલા વિચાર આજે પણ લોકોને તેના જીવનમાં નવો માર્ગ દેખાડવાનું કામ કરે છે. જે લોકો આચાર્ય ચાણક્યના વિચારોને પોતાના જીવનમાં ઉતારે છે તે સફળ થાય છે. તેમણે જીવનના વિવિધ પાસાઓ વિશે જાણકારી આપી છે. આચાર્ય ચાણક્યએ મહિલાઓ વિશે પણ પોતાના વિચાર રજૂ કર્યાં છે. તેમણે પુરૂષોને કેટલીક મહિલાઓથી દૂર રહેવાની વાત કહી છે, કારણ કે આવી મહિલાઓ જીવન બરબાદ કરી દે છે. આવો જાણીએ પુરૂષોએ કેવી મહિલાઓથી દૂર રહેવું જોઈએ.

fallbacks

સ્વાર્થી અને લાલચુ સ્ત્રીથી રહો દૂર
આચાર્ય ચાણક્યએ કહ્યું કે જે સ્ત્રીઓ સ્વાર્થી અને લાલચી હોય છે તેનાથી પુરૂષોએ દૂર રહેવું જોઈએ. આવી સ્ત્રીઓ પોતાના મતલબથી તમારી સાથે જોડાય છે અને કામ પૂરુ થયા બાદ દૂર જતી રહે છે. આવી સ્ત્રીઓથી પુરૂષોએ હંમેશા દૂર રહેવું જોઈએ, બાકી પુરૂષોનો સર્વનાશ થઈ જશે.

સંસ્કારહીન સ્ત્રીઓથી રહો દૂર
આચાર્ય ચાણક્યએ કહ્યુ કે જે સ્ત્રીઓમાં સંસ્કાર હોતા નથી, તેનાથી દૂર રહેવું જોઈએ, કારણ કે તનની સુંદરતા ક્ષણિક હોય છે. આ થોડા સમય માટે મૂલ્યવાન હોય છે. પરંતુ જે સ્ત્રીઓ સુશીલ અને સંસ્કારી હોય છે, તે જીવનભર બીજા વ્યક્તિનું આદર-સન્માન કરે છે. જો સંસ્કાર વગરની સ્ત્રી સાથે સંબંધ બનાવો તો તે તમારા માન-સન્માનને ઘટાડવાનું કામ કરે છે.

આ પણ વાંચોઃ ખતરનાક ષડાષ્ટક અને મંગળ-કેતુનો યોગ, દેશ-વિદેશમાં ખતરનાક દુર્ઘટનાનો સંકેત, જાણો વિગત

ચરિત્રહીન સ્ત્રીઓથી રહો દૂર
જે સ્ત્રીઓ એક સાથે ઘણા પુરૂષો સાથે સંબંધ રાખે છે તેને વેશ્યા કહેવામાં આવે છે. તેવામાં પુરૂષોએ આવી સ્ત્રીઓ પાસે ન ભટકવું જોઈએ. આ સ્ત્રીઓથી હંમેશા દૂર રહેવું જોઈએ. આચાર્ય ચાણક્યએ ત્યાં સુધી કહ્યું કે ચરિત્રહીન સ્ત્રીઓના ઘરનું ભોજન કરવું પણ પાપ સમાન છે. આવી સ્ત્રીઓ સાથે સંબંધ રાખનાર વ્યક્તિ જીવનભર પરેશાન રહે છે.

અજ્ઞાની મહિલાઓથી રહો દૂર
આચાર્ય ચાણક્ય અનુસાર તે મહિલાઓથી પણ અંતર બનાવી રાખવું જોઈએ, જે અજ્ઞાની હોય. આવી સ્ત્રીઓ સાથે રહેવાથી ખુદનું નુકસાન થાય છે. તેમણે કહ્યું કે યુવતીઓ અભ્યાસ કરવો જોઈએ, કારણ કે જ્ઞાની મહિલાઓ જ સમાજનું નિર્માણ કરે છે. આ મહિલાઓ પરિવારના વિકાસની સાથે-સાથે સમાજનો પણ વિકાસ કરે છે.

ડિસ્ક્લેમરઃ આ આર્ટિકલ માત્ર સામાન્ય જાણકારી અને માન્યતા પર આધારિત છે. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More