Chaturgrahi Yog 2025: શુક્રવાર 14 માર્ચે સૂર્ય ગ્રહે મીન રાશિમાં પ્રવેશ કર્યો છે. મીન રાશિમાં સૂર્યના ગોચરથી અત્યંત શુભ ચતુર્ગ્રહી યોગ સર્જાયો છે. મીન રાશિમાં શુક્ર, રાહુ અને બુધ ગોચર કરે છે. તેવામાં સૂર્યના પ્રવેશથી આ રાશિમાં 4 ગ્રહો એકસાથે થયા છે. આ રાશિમાં રાહુનું ગોચર 2023 માં થયું હતું.
આ પણ વાંચો: Mangal Gochar 2025 : એપ્રિલ મહિનો 3 રાશિઓ માટે શુભ, છપ્પરફાડ ધન લાભ કરાવશે મંગળ
ચતુર્ગ્રહી યોગની શુભ અસર
મીન રાશિમાં બનેલા ચતુર્ગ્રહી યોગની શુભ અસર 5 રાશિઓને થશે. સૂર્ય, શુક્ર, બુધ અને રાહુ મીન રાશિમાં એકસાથે ગોચર કરી 5 રાશિઓને શુભ ફળ આપશે. આ યોગથી 5 રાશિઓને જબરદસ્ત લાભ થશે. આ 5 રાશિઓ કઈ કઈ છે ચાલો તમને જણાવીએ.
આ પણ વાંચો: Shani Dev: 10 દિવસમાં 2 વાર ચાલ બદલશે શનિ, એપ્રિલ મહિનાથી ચમકી જશે 5 રાશિઓનું ભાગ્ય
વૃષભ રાશિ
મીન રાશિમાં બનેલો ચતુર્ગ્રહી યોગ વૃષભ રાશિના લોકોની આર્થિક સ્થિતિમાં સુધારો કરશે. આવક વધશે. રોકાણથી ધન લાભ થશે. સંતાન સંબંધિત ખુશખબરી મળી શકે છે. વેપારમાં નફો થશે. નોકરી કરતાં લોકોને લાભ થશે. પારિવારિક જીવન સુખમય રહેશે.
મિથુન રાશિ
મીન રાશિમાં આ યોગ બનવાના કારણે મિથુન રાશિના લોકોને ઉન્નતિના અવસર મળશે, શેર બજારમાં રોકાણ લાભકારી સિદ્ધ થશે. ઈચ્છાઓ પુરી થશે. માનસિક શાંતિ મળશે. વેપારમાં નવી ડીલ થઈ શકે છે. આવકમાં વૃદ્ધિ થશે. બેરોજગાર લોકોને નોકરી મળશે. સામાજિક પ્રતિષ્ઠા વધશે.
આ પણ વાંચો: 23 માર્ચથી પલટી મારશે 3 રાશિઓનું ભાગ્ય, સૂર્ય શુક્રની પૂર્ણ યુતિથી વધશે ધનની આવક
કર્ક રાશિ
ચતુર્ગ્રહી યોગ કર્ક રાશિના લોકોને ભાગ્યનો સાથ અપાવશે. અટકેલા કાર્યો પુરા થશે. જીવનમાં સકારાત્મક ફેરફાર થશે. અધ્યાત્મ પ્રત્યે રુચિ વધશે. માનસિક શાંતિ મળશે. વિદેશ યાત્રા થઈ શકે છે. વિદ્યાર્થીઓને શૈક્ષણિક સફળતા મળશે. જીવનમાં ખુશીઓ આવશે.
કન્યા રાશિ
મીન રાશિનો ચતુર્ગ્રહી યોગ કન્યા રાશિના લોકોને લાભ કરાવશે. દાંપત્યજીવનમાં મધુરતા આવશે. પાર્ટનરશિપમાં વ્યવસાય કરતા લોકોને લાભ થશે.કોર્ટ કચેરીના કામોમાં સફળતા મળશે. કાનૂની વિવાદોથી છુટકારો મળશે. માનસિક શાંતિ અને આનંદ વધશે.
આ પણ વાંચો: Mangal Gochar : 3 એપ્રિલથી આ 5 રાશિના લોકો રહે સાવધાન, મંગળનું ગોચર આ લોકો માટે અશુભ
ધન રાશિ
ચતુર્ગ્રહી યોગના કારણે ધન રાશિના લોકોના જીવનમાં સુખ અને શાંતિ વધશે. માતા તરફથી લાભ થશે. સંપત્તિ કે વાહન ખરીદવાના યોગ છે. આર્થિક સ્થિતિ મજબૂત થશે. સાસરા પક્ષ તરફથી લાભ થશે. પારિવારિક સંબંધોમાં મધુરતા આવશે. ઘરમાં સુખ-શાંતિનું વાતાવરણ રહેશે. માનસિક સંતોષ પ્રાપ્ત થશે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે