Vastu Tips: હિંદુ ધર્મમાં રસોડાને મંદિર સમાન પવિત્ર ગણવામાં આવ્યું છે. રસોડામાં માં અન્નપૂર્ણાનો વાસ હોય છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર પણ મહિલાઓ રસોડામાં કેટલીક ભુલો કરે તો ઘરની સુખ-સમૃદ્ધિને અસર થાય છે. આ ભુલ કરવાથી ઘરમાં ક્લેશ થાય છે, નકારાત્મક ઊર્જા આકર્ષિત થાય છે. તેનાથી અલગ જો રસોડામાં કામ કરતી વખતે કેટલીક સામાન્ય વાતોનું પણ ધ્યાન રાખી લેવામાં આવે તો ઘરમાંથી અશાંતિ, દરિદ્રતા, દુ:ખ, બીમારી દુર થઈ શકે છે. તો ચાલો આજે તમને પણ જણાવીએ આ વાતો વિશે.
આ પણ વાંચો: જુલાઈ મહિનામાં શનિ, ગુરુ સહિતના ગ્રહોની બદલશે ચાલ, 3 રાશિઓનું ભાગ્ય હશે સાતમા આસમાને
રસોડામાં જતા પહેલા સ્નાન કરો
ધાર્મિક માન્યતા અનુસાર સ્નાન કર્યા વિના રસોડામાં જવું અશુભ છે. આમ કરવાથી માં અન્નપૂર્ણાનું અપમાન થાય છે. તેથી સવારે સ્નાન કર્યા પછી જ રસોડામાં જવું જોઈએ.
આ પણ વાંચો: જગન્નાથ પુરી મંદિરમાં દર્શન કર્યા પછી ત્રીજી સીડી પર પગ ન મુકવા પાછળ શું છે કારણ ?
ગંદા વાસણનો ઉપયોગ ન કરો
એઠા કે ગંદા વાસણનો ઉપયોગ ક્યારેય કરવો નહીં. તેનાથી સ્વાસ્થ્ય અને સુખ બંને ખરાબ થાય છે. રસોઈમાં સાફ-સફાઈનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. રાત્રે રસોડામાં એઠા વાસણ પણ રાખવા નહીં. રસોઈ બનાવી લીધા બાદ રસોડું ચોખ્ખું કરી લેવું જોઈએ.
આ પણ વાંચો: Vastu Dosh: કોઈ પાસેથી ફ્રીમાં ન લેવી આ વસ્તુઓ, લેનાર પર તુટી પડે છે મુસીબતોના પહાડ
શાંત અને પ્રસન્ન મનથી રસોઈ બનાવવી
કહેવાય છે કે જેવા ભાવ અને વિચારો સાથે ભોજન બને છે તેવા ભાવ ભોજનમાં આવે છે અને તે ભાવ ભોજન કરનારને પણ અસર કરે છે. તેથી જ ક્રોધમાં કે અશાંત મન હોય ત્યારે રસોઈ કરવી નહીં. તેનાથી નકારાત્મકતા ફેલાય છે. રસોઈ હંમેશા પ્રસન્ન મન અને શાંત ચિત્ત સાથે કરવી. તેનાથી ઘરમાં પ્રેમ અને સમૃદ્ધિ વધે છે.
આ પણ વાંચો: Gold Astrology: કઈ આંગળીમાં સોનાની વીંટી પહેરવી અશુભ ? જાણો સોના સંબંધિત જરૂરી નિયમ
રસોડું સ્વચ્છ રાખો
રસોડામાં વાસી ભોજન, કચરો એકત્ર ન થવા દો. તેનાથી નકારાત્મક ઉર્જા આકર્ષિત થાય છે. રોજ રસોડાની સફાઈ કરો. વાસી ભોજન સાચવવાનું બંધ કરો. કચરો પણ રોજ બહાર ફેંકી દો.
આ પણ વાંચો: આ દિવસે ખરીદેલું સોનું નથી ફળતું કોઈને, જાણો કયા દિવસ ગોલ્ડ ખરીદવા માટે અશુભ
અન્નનું સમ્માન કરો
અન્નને દેવતાનું રુપ માનવામાં આવે છે. તેથી ભોજનનું અપમાન ક્યારેય કરવું નહીં. થાળીમાં જે પણ અન્ન હોય તેને પુરું કરો. ક્યારેય એઠું ભોજન છોડવું નહીં. ભોજન બરબાદ ન થાય તે વાતનું ધ્યાન રાખો. જો ભોજન વધે તો ગાય અથવા જરૂરીયાતમંદને ભોજન કરાવી દો.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે