Home> Spiritual
Advertisement
Prev
Next

Gemstones: ઓવરથિંકિંગ, સ્ટ્રેસ, નકારાત્મકતાને રોકી શકે છે આ રત્ન, પહેરવાથી બેકાબૂ વિચારો પર બ્રેક લાગશે અને મન થશે શાંત

Gemstones to Stop Overthinking: વધારે પડતા વિચાર, નકારાત્મક વિચારો, સ્ટ્રેસ આ બધી જ માનસિક સમસ્યાઓ છે. જેને યોગ્ય ઉપાયની મદદથી કાબુ કરી શકાય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કેટલાક પ્રભાવશાળી મંત્રોની મદદથી આ કામ કરી શકાય છે.
 

Gemstones: ઓવરથિંકિંગ, સ્ટ્રેસ, નકારાત્મકતાને રોકી શકે છે આ રત્ન, પહેરવાથી બેકાબૂ વિચારો પર બ્રેક લાગશે અને મન થશે શાંત

Gemstones to Stop Overthinking: શું તમે પણ નાની નાની વાતમાં વધારે પડતું અને ખરાબ વિચારવા લાગો છો? કોઈપણ બાબતે નિર્ણય લેતા પહેલા તમને કલાકનો સમય લાગે છે? શું તમને વારંવાર ચિંતા અને બેચની થવા લાગે છે? જો તમારો જવાબ હા છે તો તમે સ્ટ્રેસ અને ઓવરથિંકિંગના શિકાર છો. વધારે પડતું અને ખરાબ વિચારવાની આદત માનસિક શાંતિ અને જીવનની ગુણવત્તાને નુકસાન કરે છે. 

fallbacks

મોટાભાગના લોકો એવું માને છે કે મનના વિચાર પર કંટ્રોલ કરી શકાય નહીં. પરંતુ રત્ન શાસ્ત્ર અનુસાર કેટલાક ખાસ રત્ન ધારણ કરવાથી નકારાત્મક વિચારો પર કંટ્રોલ કરી શકાય છે. રત્નોમાં એવી શક્તિ હોય છે જે મનને શાંત કરે છે. આજે તમને આવા જ ચમત્કારી રત્ન વિશે જણાવીએ જે ઓવરથિંકિંગ રોકવામાં મદદ કરે છે. 

સ્ટ્રેસ, નકારાત્મક વિચારને કંટ્રોલ કરતાં રત્ન

આ પણ વાંચો: આ 5 રાશિનું ભાગ્ય શુક્ર પલટી નાખશે, નાણાકીય સ્થિતિ અને લવ લાઈફ શાનદાર થઈ જશે

મોતી 

મોતી ચંદ્ર સંબંધિત રત્ન છે. ચંદ્ર મન ભાવના અને વિચારોનો સ્વામી છે. સફેદ મોતી મનને શાંત કરે છે અને ચીડીયાપણું ઓછું કરે છે. તેનાથી ગુસ્સા પર કંટ્રોલ રહે છે. જો કોઈ વ્યક્તિ ભાવનાત્મક રીતે ઝડપથી અસંતુલિત થઈ જતી હોય તો તેણે મોતી ધારણ કરવું જોઈએ. ચાંદીની વીંટીમાં જડેલું મોતી નાની આંગળીમાં સોમવારે ધારણ કરવાનું હોય છે. 

આ પણ વાંચો: 3 રાશિઓને ધનલાભ કરાવશે વક્રી શનિ, સાડાસાતી ચાલતી હોય તેમણે શનિકૃપા માટે કરવા આ ઉપાય

મુનસ્ટોન 

મૂનસ્ટોન એક પારદર્શક સફેદ રંગનું રત્ન હોય છે જેમાં બ્લુ અથવા તો દુધિયા કલરની ચમક દેખાતી હોય છે. આ રત્ન આંતરિક ઊથલપાથલને શાંત કરે છે અને લાગણીઓને બેલેન્સ કરવાનું કામ કરે છે. મુનસ્ટોન પહેરવાથી આત્મવિશ્વાસ વધે છે અને નિર્ણય લેવાની ક્ષમતામાં સ્પષ્ટતા આવે છે. 

આ પણ વાંચો: રસ્તા પર અચાનક નોળિયો દેખાય તો શુભ કે અશુભ ? જાણો નોળિયા સંબંધિત શુકન અપશુકન વિશે

લેપિડોલાઈટ 

આછા રીંગણી રંગના આ રત્ન એન્ટી સ્ટ્રેસ સ્ટોન તરીકે પણ ઓળખાય છે. તેમાં લીથીયમ નામનું મિનરલ હોય છે. આ મિનરલનો ઉપયોગ માનસિક રોગની દવાઓમાં પણ કરવામાં આવે છે. આ રત્ન માનસિક તણાવ, ચિંતા, ડર અને ઓવરથિકિંગને ઘટાડવામાં મદદ કરે છે 

આ પણ વાંચો: 14 એપ્રિલથી સૂર્ય ઉચ્ચ રાશિ મેષમાં કરશે ગોચર, મેષ સહિત 3 રાશિનું ભાગ્ય પલટી મારશે

બ્લુ લેસ અગેટ

સફેદ અને બ્લુ રંગની પટ્ટીઓ સાથે આવતું આ રત્ન દેખાવમાં સુંદર હોય છે. આ રત્ન મનની ઊથલપાથલ અને વધારે પડતા વિચારોને શાંત કરવામાં મદદ કરી શકે છે. આ રત્ન એવા લોકો માટે કામનું છે જે લોકો પોતાના વિચાર અન્ય લોકોની સામે સારી રીતે મૂકી શકતા નથી અને તેના કારણે સતત ચિંતામાં રહે છે. 

આ પણ વાંચો: આ 3 રાશિના લોકો 51 દિવસ સુધી ભોગવશે રાજા જેવો વૈભવ, મળશે સફળતા અને સમૃદ્ધિ

કેવી રીતે પસંદ કરવું યોગ્ય રત્ન? 

દરેક વ્યક્તિની માનસિક સ્થિતિ, જીવનશૈલી અને રાશિ અલગ અલગ હોય છે. અહીં દર્શાવેલા રત્ન પણ નિષ્ણાંતની સલાહ અનુસાર ધારણ કરવા જોઈએ. રત્ન વિશેષજ્ઞની સલાહ લઈને પોતાના માટે યોગ્ય રત્ન પસંદ કરી તેને ધારણ કરવો તેનાથી ફાયદો થાય છે. કારણ કે દરેક રત્નને ધારણ કરતાં પહેલાં શુદ્ધ કરવું પડે છે તેને યોગ્ય ધાતુ સાથે ધારણ કરવાનું હોય છે અને તેને પહેરવાનો દિવસ પણ અલગ હોય છે આ બધી જ જાણકારી નિષ્ણાંત પાસેથી મેળવી યોગ્ય રત્ન પસંદ કરી તેને પહેરો.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More