Tulsi Ke Achuk Upay: હિન્દુ ધર્મમાં તુલસીનું વિશેષ મહત્વ છે. તુલસીની પૂજા રવિવાર સિવાય રોજ કરવામાં આવે છે. રોજ સવારે તુલસીમાં જળ અર્પણ કરીને તેનું પૂજન કરવામાં આવે છે. ભગવાન વિષ્ણુને જે ભોગ ધરાવવામાં આવે છે તેમાં પણ તુલસી ઉમેરવામાં આવે છે. કહેવાય છે કે તુલસી ઉમેર્યા પછી જ ભગવાન ભોગ ગ્રહણ કરે છે.
ધાર્મિક માન્યતા છે કે જે ઘરમાં તુલસીનો છોડ હોય ત્યાં નકારાત્મક ઊર્જા આવતી નથી. તુલસીનો છોડ ઘરમાં રાખવાથી સુખ સમૃદ્ધિ વધે છે. તુલસી સંબંધિત કેટલાક ઉપાયો પણ પ્રચલિત છે જે જીવનમાં ખુશહાલી લાવે છે અને મનોકામના પણ પૂર્ણ કરી શકે છે.
આ પણ વાંચો: Akha Trij 2025: અક્ષય તૃતીયાથી શરુ થશે આ 7 રાશિઓનો સારો સમય, એકસાથે 6 રાજયોગ સર્જાશે
માન્યતા છે કે ઘરમાં તુલસીનો છોડ રાખી નિયમિત તેની પૂજા કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ દિવસ રાત વધતી રહે છે. આજે તમને તુલસી સંબંધીત એવા કેટલાક ઉપાયો વિશે જણાવીએ જેને શાસ્ત્રોમાં અચૂક ગણવામાં આવ્યા છે. કહેવાય છે કે આ ઉપાય જો ફરી જાય તો વ્યક્તિનું ભાગ્ય પલટી જાય છે.
તુલસીના અચૂક ઉપાય
આ પણ વાંચો: Rahu Gochar: રાહુ ગોચર કરી 4 રાશિનું જીવન બદલશે, નોકરીમાં પ્રમોશન મળશે, આવક બમણી થશે
1. સારી એવી કમાણી થતી હોય તેમ છતાં ઘરમાં પૈસા ટકતા ન હોય તો તુલસીની પૂજા કરીને તુલસીનું એક પાન તોડી લેવું. આ પાન અને ભગવાન વિષ્ણુના ચરણોમાં રાખી પછી પોતાના પર્સમાં રાખવું. આ ઉપાય કરવાથી અનાવશ્યક ધનનો વ્યય અટકી જાય છે.
2. સમાજમાં માન-સન્માન પ્રાપ્ત કરવું હોય તો પુષ્ય નક્ષત્ર હોય ત્યારે તુલસીની પૂજા કરી તેના મૂળનો એક ટુકડો તોડવો. આ ટુકડાને પીળા કપડામાં લપેટીને જમણા હાથ પર બાંધી લો. આ ઉપાય પુષ્ય નક્ષત્ર હોય ત્યારે જ કરવાનો હોય છે.
આ પણ વાંચો: Gupt Daan: આ વસ્તુઓનું ગુપ્ત દાન કરી દેશે માલામાલ, કંગાળ લોકોના દિવસો પણ બદલી જાય
3. તુલસીના પાન પણ પાવરફુલ હોય છે તેનું એક પાન પણ ધન આકર્ષિત કરવાની શક્તિ ધરાવે છે. માં લક્ષ્મીના મંત્રોનો જાપ કરીને તુલસીના પાનને અભિમંત્રિત કરી ઘરની તિજોરીમાં રાખી દો. તેનાથી ઘરમાં ધન વૃદ્ધિ થતી રહેશે.
4. વેપારમાં નુકસાન જતું હોય તો તુલસીના પાન લઈને તેને સફેદ અથવા તો લાલ કપડામાં બાંધી દુકાને કે ઓફિસના મુખ્ય દરવાજા પર બાંધી દો.
આ પણ વાંચો: પનોતી શરુ થઈ હોય તે રાશિવાળા શનિ જયંતિ પર કરે આ કામ, શનિ તમારો વાળ પણ વાંકો નહીં કરે
5. જો કોઈ સ્ત્રીના વૈવાહિક જીવનમાં સમસ્યાઓ હોય તો તેને દૂર કરવા માટે રોજ સવારે તુલસીને જળ અર્પણ કરી તેની પૂજા કરો અને તુલસીને શૃંગારનો સામાન ચડાવો. ત્યાર પછી સાંજે તુલસી પાસે દેશી ઘીનો દીવો કરો.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે