Jagannathji RathYatra 2025: ઓડિશાના પુરીમાં સ્થિત ભગવાન જગન્નાથનું મંદિરના ઘણા રહસ્યો અને ચમત્કારો આજે પણ છુપાયેલા છે. આ મંદિર ફક્ત શ્રદ્ધાનું કેન્દ્ર જ નથી, પરંતુ અદ્ભુત રહસ્યો અને ચમત્કારોનું જીવંત ઉદાહરણ પણ છે. અહીંની પરંપરાઓ, મૂર્તિઓનું રહસ્ય, મંદિરનો ધ્વજ અને ભગવાનનું દર વર્ષે બીમાર પડવું આ બધામાં ઊંડા રહસ્યો છુપાયેલા છે. આવી સ્થિતિમાં ચાલો જાણીએ કે, આજે પણ ભગવાન જગન્નાથની મૂર્તિઓમાં શ્રીકૃષ્ણનું હૃદય કેમ ધબકે છે અને તેની પાછળનું રહસ્ય શું છે.
રાજા ઇન્દ્રદ્યુમ્નના સપનાનું કનેક્શન
એક પૌરાણિક માન્યતા છે કે, પ્રાચીન સમયમાં માલવાના રાજા ઇન્દ્રદ્યુમ્નને એક રાત્રે સપનું આવ્યું. સપનામાં ભગવાન શ્રીકૃષ્ણએ તેમની મૂર્તિ લીમડાના લાકડામાંથી બનાવવાનો આદેશ આપ્યો. આ આદેશ પછી જ રાજાએ જગન્નાથ મંદિર બનાવ્યું. આ મંદિરમાં સ્થાપિત મૂર્તિઓ સામાન્ય પથ્થર કે ધાતુમાંથી બનાવવામાં આવી નથી, પરંતુ ખાસ લીમડાના ઝાડમાંથી તૈયાર કરવામાં આવી છે. આ પરંપરા આજે પણ અનુસરવામાં આવે છે.
પોસ્ટ ઓફિસની સુપરહિટ સ્કીમ,દર મહિને માત્ર 3000 રૂપિયાનું કરો રોકાણ;આટલું મળશે રિટર્ન
આજે પણ કેમ ધબકે છે શ્રીકૃષ્ણનું હૃદય ?
પૌરાણિક કથાઓ અનુસાર જ્યારે ભગવાન શ્રીકૃષ્ણએ પૃથ્વી પર પોતાનું શરીર છોડ્યું હતું, ત્યારે તેમનો અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા. તેમના શરીરના બધા ભાગો પાંચ તત્વોમાં ભળી ગયા, પરંતુ તેમનું હૃદય નાશ પામ્યું નહીં. એવું પણ માનવામાં આવે છે કે, આ હૃદય આજે પણ ભગવાન જગન્નાથની મૂર્તિની અંદર સુરક્ષિત છે અને આજે પણ ધબકે છે.
દર 12 વર્ષે બદલવામાં આવે છે મૂર્તિઓ
જગન્નાથ મંદિરમાં દર 12 વર્ષે મૂર્તિઓનું નવીનીકરણ કરવામાં આવે છે. આ પ્રક્રિયાને 'નવકલેવર' કહેવામાં આવે છે. આ દરમિયાન જૂની મૂર્તિઓમાંથી એક રહસ્યમય 'બ્રહ્મ પદાર્થ' કાઢવામાં આવે છે અને નવી મૂર્તિઓમાં સ્થાપિત કરવામાં આવે છે.
અહીંના લોકો ખાવા-પીવા પર ઉડાવે છે સૌથી વધુ રૂપિયા, સ્વાદની આગળ નથી કરતા બિલની ચિંતા!
કેમ જતી રહે છે આંખોની રોશની?
પૂજારીઓના મતે જ્યારે તેઓ તેને હાથમાં રાખે છે, ત્યારે એવું લાગે છે કે કોઈ કૂદતું પ્રાણી તેમની હથેળી પર દોડી રહ્યું છે. આ બ્રહ્મ તત્વ કોઈ જોઈ શકતું નથી. જો કોઈ તેને જોવાનો પ્રયાસ કરે છે, તો તે મરી શકે છે, અથવા તેની દૃષ્ટિ ગુમાવી શકે છે. આ જ કારણ છે કે તેને સ્થાનાંતરિત કરતી વખતે પૂજારીઓ તેમની આંખો પર પટ્ટી બાંધે છે અને આ કાર્ય એક ખાસ રીતે કરે છે.
મૂર્તિઓની આંખો આટલી મોટી કેમ હોય છે?
ભગવાન જગન્નાથની મૂર્તિઓની સૌથી ખાસ વાત તેમની વિશાળ આંખો છે. એવું માનવામાં આવે છે કે, જ્યારે રાજા ઇન્દ્રદ્યુમ્ન ભગવાનના દર્શન કરવા આવ્યા ત્યારે ભગવાન તેમની ભક્તિ જોઈને એટલા ખુશ થયા કે તેમની આંખો આશ્ચર્ય અને કરુણાથી પહોળી થઈ ગઈ. આ જ કારણ છે કે આજે પણ તેમની મૂર્તિઓની આંખો સામાન્ય કરતા અનેક ગણી મોટી દેખાય છે.
જે કંઈ પણ હતું બધુ આપી દીધું... ઐશ્વર્યા સાથે છૂટાછેડાની અફવાઓ વચ્ચે અભિષેકની પોસ્ટ
સિંહ દ્વારનું રહસ્ય
જગન્નાથ મંદિરનો સિંહ દ્વાર પણ રહસ્યોથી ભરેલો છે. જ્યારે તમે મંદિરની બહાર ઉભા રહો છો, ત્યારે દરિયાઈ મોજાઓનો અવાજ તમારા કાનમાં ગુંજતો રહે છે, પરંતુ મંદિરમાં પ્રવેશતાની સાથે જ આ અવાજ અચાનક ગાયબ થઈ જાય છે. આ એક એવું રહસ્ય છે જેને વિજ્ઞાન પણ આજ સુધી સંપૂર્ણ રીતે સમજી શક્યું નથી.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. Z 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે