Home> Spiritual
Advertisement
Prev
Next

આ છે દેશનું અનોખુ મંદિર, અહીં પ્રસાદમાં મળે છે સોના-ચાંદીના આભૂષણ, જાણો વિગત

મધ્યપ્રદેશના રતલામ જિલ્લામાં એક એવું મંદિર છે જ્યાં લોકોને પ્રસાદમાં આભૂષણ આપવામાં આવે છે. તમને આ મજાક લાગશે પરંતુ આ સ્ય છે. મંદિરમાં એવી માન્યતા છે કે અહીં પર જે ભેટના રૂપમાં ચઢાવવામાં આવે છે તે વર્ષના અંતમાં ડબલ થઈ જાય છે. 
 

આ છે દેશનું અનોખુ મંદિર, અહીં પ્રસાદમાં મળે છે સોના-ચાંદીના આભૂષણ, જાણો વિગત

રતલામઃ Unique Temple in Ratlam: ભારતમાં લાખો મંદિર (Temple) છે. દેશમાં ભાગ્યે જ એવું કોઇ ગામ જોવા મળશે જ્યાં કોઇ મંદિર ન હોય. તેમાંથી તમામ એવા મંદિર પણ છે, જે પોતાની અંદર ઘણા પ્રકારના રહસ્યો (Mystery of Mahalakshmi Temple) ને સમાવીને બેઠા છે. આ ઉપરાંત તમામ મંદિરોની પોતાની અલગ ઓળખ તથા પોતાનું અલગ મહત્વ છે. એવા ઘણા રહસ્યોને પોતાની અંદર સમાયેલું એક મંદિર મધ્ય પ્રદેશ (Madhya Pradesh) ના રતલામ (Ratlam) માં આવેલું છે. આ મંદિરનું નામ મહાલક્ષ્મી (Mahalakshmi Temple) છે. 

fallbacks

મહાલક્ષ્મી મંદિર (Mahalakshmi Temple) મધ્ય પ્રદેશના માણક (Mahalakshmi Temple Manak) માં આવેલું છે. આ મંદિર આ કારણે અનોખું (Unique Temple) છે કારણ કે અહીં આવનાર ભક્તોને પ્રસાદના રૂપમાં લાડવા કે કોઇ ખાવાની વસ્તુ મળતી નથી, પરંતુ સોના-ચાંદીના ઘરેણા (Gold and Silver Jewelry) આપવામાં આવે છે. આ પ્રકારે તમે કહી શકો છો કે મહાલક્ષ્મી મંદિરમાં આવનાર દરેક ભક્ત અહીંથી માલામાલ થઇને જાય છે.  

મહાલક્ષ્મી માતાનું મંદિર
મંદિરમાં આવનાર દરેક ભક્તને અહીં પ્રસાદના રૂપમાં સોના ચાંદીના સિક્કા અને ઘરેણા લઇ જવા માટે કહેવામાં આવે છે. આ મંદિર માં મહાલક્ષ્મીનું છે. અહીં દરરોજ ભક્તોની ભારે ભીડ લાગે છે. આ મંદિરના પ્રત્યે ભક્તોની ખૂબ વધુ આસ્થા છે. તેના લીધે ભક્તો અહીં દરરોજ મા મહાલક્ષ્મીને કરોડો રૂપિયાના દાગીના ચઢાવે છે. આ ઉપરાંત ભક્તો અહીં કેશ પણ ચઢાવે છે. 

આ પણ વાંચોઃ Guru Vakri 2023: 4 સપ્ટેમ્બરથી ગુરૂ ગ્રહ ચાલશે ઉલ્ટી ચાલ, ચમકાવશે આ જાતકોનું ભાગ્ય

દીવાળી (Diwali) ના અવસરે આ મંદિરમાં ધન કુબેર (Dhan Kuber) નો દરબાર લગાવવામાં આવે છે. આ દરમિયાન ધનતેરસ (Dhanteraj) થી માંડીને પાંચ દિવસ સુધી મંદિરમાં દીપોત્સવનું આયોજન કરવામાં આવે છે અને મંદિરને ફૂલોથી નહી પરંતુ રૂપિયા અને ઘરેણાથી શણગારવામાં આવે છે. ધન કુબેરના દરબારમાં જ ભક્તોને પ્રસાદના રૂપમાં સોના-ચાંદીના ઘરેણા અને રૂપિયા આપવામાં આવે છે. 

ધનતેરસના દિવસે ખોલવામાં આવે છે કુબેરની પોટલી
દીવાળીના સમયે મંદિરના કપાટ 24 કલાક ખુલ્લા રહે છે. કહેવામાં આવે છે કે ધનતેરસના દિવસે મહિલાઓ માટે અહીં કુબેરની પોટલી ખોલવામાં આવે છે અને જે પણ ભક્ત અહીં આવે છે તે ખાલી હાથ પરત ફરતો નથી. મંદિરમાં દાયકાઓથી ઘરેણા અને રૂપિયા ચલાવવાની પરંપરા ચાલી આવે છે.  માન્યતા છે કે જૂના જમાનામાં અહીંના રાજા રાજ્યની સમૃદ્ધિ માટે ઘન અને ઘરેણા ચઢાવતા હતા. આ પરંપરાને ભક્તોએ આગળ પણ વધારી અને હવે તે પણ માતાના ચરણોમાં દાગીના, પૈસા વગેરે ચઢાવવા લાગ્યા છે. કહેવામાં આવે છે કે આમ કરવાથી લક્ષ્મીની કૃપા તેમના પર બની રહે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More