Jagannath Puri Temple: ચાર ધામમાંથી એક જગન્નાથ મંદિર રહસ્યોથી ભરપુર છે. આ મંદિરમાં આજે પણ કેટલાક ચમત્કાર થાય છે જેનો જવાબ વિજ્ઞાન પાસે પણ નથી. જગન્નાથ પુરી ધરતીનું વૈકુંઠ છે. આ મંદિરમાં ભગવાન શ્રીકૃષ્ણ ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે બિરાજમાન રહે છે. માન્યતા છે કે ભગવાન જગન્નાથના દર્શન કરવાથી મનની બધી જ ઈચ્છા પુરી થઈ જાય છે. જે વ્યક્તિ ભગવાનના દર્શન કરી લે છે તે પાપ મુક્ત થઈ જાય છે.
આ પણ વાંચો: Vastu Dosh: કોઈ પાસેથી ફ્રીમાં ન લેવી આ વસ્તુઓ, લેનાર પર તુટી પડે છે મુસીબતોના પહાડ
જગન્નાથ પુરી મંદિરનું એક રહસ્ય એવું છે જેના વિશે ઓછા લોકો જાણે છે. આ રહસ્ય મંદિરની ત્રીજી સીડીમાં છુપાયેલું છે. આજે તમને જણાવીએ આ રહસ્ય વિશે. માન્યતા અનુસાર મંદિરની ત્રીજી સીડી પર પગ મુકવાની મનાઈ છે. ખાસ કરીને મંદિરમાંથી દર્શન કરી પરત ફરતી વખતે ત્રીજી સીડી પર પગ મુકવાની મનાઈ છે. આ માન્યતા પાછળ ખાસ કારણ છે.
આ પણ વાંચો: Gold Astrology: કઈ આંગળીમાં સોનાની વીંટી પહેરવી અશુભ ? જાણો સોના સંબંધિત જરૂરી નિયમ
માન્યતા છે કે જગન્નાથ મંદિરની ત્રીજી સીડીમાં યમરાજ બિરાજમાન છે. જે વ્યક્તિ આ સીડી પર પગ મુકે છે તેના પુણ્યનો નાશ થઈ જાય છે. ખાસ કરીને મંદિરમાંથી દર્શન કરી પરત ફરતી વખતે આ ભુલ કરવાની નહીં. તેની પાછળનું કારણ શું છે ચાલો તે પણ જણાવીએ.
મંદિરની ત્રીજી સીડીનું રહસ્ય
આ પણ વાંચો: આ દિવસે ખરીદેલું સોનું નથી ફળતું કોઈને, જાણો કયા દિવસ ગોલ્ડ ખરીદવા માટે અશુભ
ભગવાન જગન્નાથના દર્શન કરી લોકો પાપ મુક્ત થવા લાગ્યા. આ જોઈને યમરાજ ભગવાન જગન્નાથ પાસે ગયા અને તેમને કહ્યું કે ભગવાને લોકોને પાપ મુક્ત થઈ જવાનો સરળ રસ્તો આપી દીધો છે. લોકો ભગવાનના દર્શન કરી પાપ મુક્ત થઈ જાય છે અને યમલોક નથી જતા. યમરાજની વાત સાંભળી ભગવાન જગન્નાથે યમરાજને કહ્યું કે તેઓ મંદિરની ત્રીજી સીડીમાં સ્થાન ગ્રહણ કરે. જે વ્યક્તિ ભગવાનના દર્શન કરી પાપમુક્ત થઈને પરત જતી વખતે આ સીડી પર પગ મુકશે તેના પુણ્યનો નાશ થઈ જશે.
આ પણ વાંચો: 15 જૂનથી 1 મહિનો આ રાશિવાળાઓ સતર્ક રહે, સૂર્યનું રાશિ પરિવર્તન આ લોકો માટે અશુભ
ત્યારથી મંદિરની ત્રીજી સીડીમાં એક યમશીલા છે. જેના પર દર્શન કરીને પરત ફરતા લોકો પગ નથી મુકતા. જે વ્યક્તિ આ શિલા પર પગ મુકે છે તેના પુણ્યનો નાશ થાય છે અને તેને યમલોક જવું પડે છે.
જગન્નાથ મંદિરમાં ન કરો આ ભુલ
આ પણ વાંચો: સૂતા પહેલા તકિયા નીચે રાખી લો આ સફેદ વસ્તુ, ગરીબી અને બીમારીથી મળી જશે છુટકારો
જગન્નાથ મંદિરના મુખ્ય દ્વારથી નીચે જતી વખતે ત્રીજી સીડી પર યમશિલા છે. મંદિરમાં દર્શન કરવા જતી વખતે આ સીડી પર પગ મુકી શકાય છે. પરંતુ પરત ફરતી વખતે આ શિલા પર પગ મુકવો નહીં. આ શિલા કાળા રંગની છે અને બાકીની સીડીના રંગ કરતા એકદમ અલગ છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ટીપ્સ સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે