Home> Spiritual
Advertisement
Prev
Next

Rudraksha Niyam: રુદ્રાક્ષ પહેરો છો તો ભૂલથી પણ ન કરતાં આ ભૂલો નહીંતર મહાદેવ થઈ શકે છે ક્રોધિત

Rudraksha Wearing Rules: શ્રાવણ મહિનામાં રુદ્રાક્ષ ધારણ કરવાનું ખુબ મહત્વ છે. પરંતુ તેને પહેરવાના કેટલાક નિયમોનું પાલન કરવું ખુબ જરૂરી છે. ચાલો જાણીએ તેને પહેરવાના નિયમો..

Rudraksha Niyam: રુદ્રાક્ષ પહેરો છો તો ભૂલથી પણ ન કરતાં આ ભૂલો નહીંતર મહાદેવ થઈ શકે છે ક્રોધિત

Rudraksha Wearing Rules: શ્રાવણ મહિનામાં ભગવાન શિવની પૂજા કરવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે. આ દરમિયાન શિવભક્તો પણ વિવિધ ઉપાયો કરીને ભોલેનાથને પ્રસન્ન કરવામાં લાગેલા હોય છે. આ ઉપાયોમાંથી એક ઉપાય છે શ્રાવણ મહિનામાં રુદ્રાક્ષ ધારણ કરવું. શ્રાવણ મહિનામાં રુદ્રાક્ષ ધારણ કરવાનું પણ ઘણું મહત્વ છે. પરંતુ તેને પહેરતા પહેલા કેટલાક નિયમો જાણવા ખૂબ જ જરૂરી છે.

fallbacks

શાસ્ત્રોમાં રૂદ્રાક્ષને પૂજનીય માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે રુદ્રાક્ષ ભગવાન શિવના આંસુમાંથી બને છે. તેથી જ તેને ચમત્કારિક અને અલૌકિક માનવામાં આવે છે. કહેવાય છે કે ઘણા વર્ષોની તપસ્યા પછી જ્યારે શિવજીએ આંખો ખોલી ત્યારે તેમની આંખમાંથી પડતા આંસુમાંથી રૂદ્રાક્ષની ઉત્પત્તિ થઈ.

એવું કહેવાય છે કે જે વ્યક્તિ શ્રાવણ મહિનામાં રુદ્રાક્ષ ધારણ કરે છે તેના પર ભગવાન શિવની અપાર કૃપા વરસે છે. એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિ નિયમો અનુસાર રૂદ્રાક્ષ ધારણ કરે છે તેને જીવનની દરેક પ્રકારની પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે અને અકાળ મૃત્યુનો ભય નથી રહેતો. આવો જાણીએ રુદ્રાક્ષ ધારણ કરવાના નિયમો.

fallbacks

જાણો રૂદ્રાક્ષ ધારણ કરવાના નિયમો

- સોમવાર અથવા શ્રાવણ શિવરાત્રીનો દિવસ રુદ્રાક્ષની માળા પહેરવાનો શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે. ધ્યાન રાખો કે રુદ્રાક્ષની માળામાં ઓછામાં ઓછા 27 રુદ્રાક્ષ હોવા જોઈએ. તેને પહેરવા માટે સૌથી પહેલા રુદ્રાક્ષને લાલ કપડા પર રાખો અને તેને મંદિરમાં રાખો અને ઓમ નમઃ શિવાયનો જાપ કરો.

- રુદ્રાક્ષની માળા ગંગાના જળથી શુદ્ધ કરો. જો તમે સંકલ્પ સાથે ધારણ કરો છો તો પહેલા હાથમાં ગંગાનું જળ લઈને સંકલ્પ લો. પછી તેને ગંગાજળથી ધોઈને ધારણ કરો.

- રુદ્રાક્ષ હંમેશા સ્નાન કર્યા પછી ધારણ કરવો જોઈએ અને સૂતા પહેલા તેને ઉતારીને કોઈ પવિત્ર સ્થાન પર રાખવું જોઈએ.

- રુદ્રાક્ષની માળા પહેરવા માટે હંમેશા પીળા કે લાલ દોરાનો ઉપયોગ કરવો જોઈએ.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. ZEE24KALAK તેની પુષ્ટિ કરતું નથી.)

આ પણ વાંચો:
માત્ર 3 દિવસમાં ભારતે વેસ્ટ ઈન્ડિઝને ઘરઆંગણે ધૂળ ચટાડી, આ ખેલાડીઓએ દેખાડ્યો દમ
શનિ દેવને કરવા હોય ઝડપથી પ્રસન્ન તો શનિવારે પહેરો આ રંગના કપડા, શુભ રહેશે શનિવાર

આગામી 7 દિવસ ગુજરાતમાં કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદની આગાહી, આ શહેરોમાં થશે જળબંબા
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More