Sankashti Chaturthi 2023: ગણેશ ચતુર્થી દર મહિનામાં બે વખત આવે છે. શુક્લપક્ષ અને કૃષ્ણ પક્ષમાં બંનેમાં ચતુર્થી નીતિથી આવે છે. જેમાં કૃષ્ણ પક્ષમાં આવતી ચતુર્થીની તિથિને સંકષ્ટી ચતુર્થી કહેવાય છે. આજે એટલે કે 7 જૂન 2023 ના રોજ સંકષ્ટી ચતુર્થી ઉજવવામાં આવશે. આ દિવસે ગણપતિ ભગવાનની આરાધના કરવાનું વિશેષ મહત્વ હોય છે. સાથે જ આ દિવસે ચંદ્રોદય થાય ત્યારે તેની પૂજા પણ કરવાની હોય છે.
આ પણ વાંચો:
Vastu Tips: ઘરના મુખ્ય દ્વાર પર લગાવો આ વસ્તુ, માતા લક્ષ્મીનું થશે આગમન
Astro Tips: મીઠાના આ ટોટકા રંકને પણ બનાવી શકે છે રાજા, કરવાથી અચાનક થાય છે ધન લાભ
Shukra Dosh: આ સરળ ઉપાય અને મંત્ર જાપથી શુક્ર દોષ થશે દુર, જીવનમાં મળશે સુખ-સમૃદ્ધિ
ચતુર્થીનું મુહૂર્ત
સંકષ્ટી ચતુર્થી તિથિ નો પ્રારંભ 6 જૂને રાત્રે 10 કલાકથી થયો છે. જેનું સમાપન 7 જૂને રાત્રે 11:00 કલાકે થશે. ઉદીયાતિથિ અનુસાર સંકષ્ટી ચતુર્થી નું વ્રત 7 જુને રાખવામાં આવશે. 7 જુને સાંજે 7 કલાક પછી પૂજા નું શુભ મુહૂર્ત છે. ચંદ્રમાને અર્ધ દેવાનો સમય રાત્રે 10.18 મિનિટે છે.
આ રાશિને થશે ધનલાભ
બુધવાર અને સંકષ્ટી ચતુર્થીના દિવસે ચંદ્ર રાશિ પરિવર્તન કરશે. સંકષ્ટી ચતુર્થી ની તિથિ પર ચંદ્ર મકર રાશિમાં પ્રવેશ કરશે. આ રાશિ પરિવર્તન મકર રાશિના લોકો માટે સુખદ સાબિત થશે. આ સમય દરમિયાન આ રાશિના લોકોને ધન લાભ થશે અને અટકેલું ધન પરત મળશે. આવક ના નવા સ્ત્રોત બનશે અને વાહન સુખ પણ વધશે. જે લોકો નોકરી કરી રહ્યા છે તેમને બઢતીની તક મળશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે