Home> Spiritual
Advertisement
Prev
Next

Shani Gochar 2025: શનિની કૃપાથી આ 3 રાશિઓને મળશે કુબેરનો ખજાનો, કિસ્મત ચમકશે; થશે છપ્પરફાડ ધનલાભ!

Shani Gochar 2025: કર્મફળ દાતા વર્ષ 2025માં ગુરુની રાશિ મીન રાશિમાં પ્રવેશ કરશે, જેનાથી 12 રાશિઓને અલગ-અલગ રીતે પ્રભાવિત કરી શકે છે. ચાલો જાણીએ કે શનિ ગોચરને કારણે કઈ 3 રાશિઓ પર શુભ પ્રભાવ પડી શકે છે.

Shani Gochar 2025: શનિની કૃપાથી આ 3 રાશિઓને મળશે કુબેરનો ખજાનો, કિસ્મત ચમકશે; થશે છપ્પરફાડ ધનલાભ!

Shani Gochar 2025: શનિના દુષ્ટ પ્રકોપથી દરેક વ્યક્તિ ડરે છે. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે કર્મફળ દાતા શનિદેવની કૃપા તેમના પર વિશેષ રહે અને ન્યાયાધીશ તેમના જીવનમાં ખુશીઓ વરસાવે. આ વર્ષે 2025માં શનિદેવ લગભગ અઢી વર્ષ પછી રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યા છે. આવી સ્થિતિમાં સાડાસાતીની અસર કેટલીક રાશિઓ પર ઓછી થશે અને અન્ય પર અસર શરૂ થશે. શનિ ધૈયાની 12 રાશિઓ પર પણ અલગ-અલગ અસર પડશે. જ્યારે શનિનું ગોચર પણ તમામ રાશિઓને અલગ અલગ રીતે અસર કરી શકે છે.

fallbacks

શનિ ગોચર 2025
વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર 29 માર્ચ 2025ના રોજ ગુરુની રાશિમાં શનિ ગ્રહ પ્રવેશ કરશે. લગભગ અઢી વર્ષ સુધી કુંભ રાશિમાં વિરાજમાન રહ્યા બાદ શનિ મીન રાશિમાં પ્રવેશ કરશે. આવી સ્થિતિમાં 3 ભાગ્યશાળી રાશિઓ હશે જેમને કર્મફળ દાતા પાસેથી વિશેષ આશીર્વાદ મળશે.

મેષ રાશિ
ગુરુની રાશિ મીનમાં શનિનો પ્રવેશ મેષ રાશિ માટે ફળદાયી રહેશે. મેષ રાશિના જાતકો માટે રાશિ પરિવર્તન સારું પરિણામ લાવશે. સમાજમાં તમારું માન-સન્માન વધશે. મકાન ખરીદવાની યોજના બની શકે છે. ધન વૃદ્ધિ માટે યોગ બનશે. તમે કંઈક નવું કરવાની યોજના બનાવી શકો છો જે ભવિષ્યમાં તમારા માટે ફાયદાકારક રહેશે. બિનજરૂરી તણાવથી દૂર રહેવાથી સફળતા મળી શકે છે. વેપારીઓને વેપારમાં નફો થઈ શકે છે. નોકરી કરતા લોકોને પ્રમોશન મળી શકે છે.

રોજ કરો માત્ર 20 રૂપિયાનું રોકાણ, 20 વર્ષમાં થઈ જશે 34 લાખ; જાણી લો નહીં તો પછતાશો

મિથુન રાશિ
મિથુન રાશિના લોકો માટે વર્ષ 2025 ખાસ રહેશે. નોકરી કરતા લોકો અને વ્યાપારીઓ માટે સમય સારો રહેશે. કામકાજમાં પ્રગતિ થઈ શકે છે. પગાર વધી શકે છે. તમે કંઈક નવું શરૂ કરી શકો છો જે તમારા માટે ફાયદાકારક રહેશે. પતિ-પત્ની વચ્ચેના સંબંધો સુધરશે. ધન લાભનો યોગ બનશે. સફળતા મેળવવાની નવી તકો મળશે.

કુંભ રાશિ
ગુરુ બૃહસ્પતિની રાશીમાં પ્રવેશ કરવાથી કુંભ રાશિના જાતકોને લાભ થશે. વાહન, મિલકત અથવા અન્ય કોઈ વસ્તુ ખરીદવાની યોજના બનાવી શકો છો. નોકરી બદલવાનું વિચારી શકો છો. નોકરી કરતા લોકો માટે પણ સમય સારો રહેશે જેના કારણે પ્રમોશનની સાથે તેમની આવકમાં પણ વધારો થશે. વેપારી માટે સમય સારો રહેશે. પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે. લગ્નનો સંયોગ બની શકે છે.

સવારે ખાલી પેટ ખાઈ લો આ પાન, ફાયદાઓ જાણીને ચોંકી જશો; આ લોકો માટે છે અમૃત!

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More