Home> Spiritual
Advertisement
Prev
Next

Shani Gochar 2024: માર્ગી થઈ શનિએ બદલી પોતાની ચાલ, આ 3 રાશિઓના જીવનમાં વધશે ખુશીઓ, ઈનકમ ડબલ થઈ જશે

Shani Gochar 2024: કર્મફળના દાતા શનિએ માર્ગી થયા ત્યારબાદ પહેલીવાર પોતાની ચાલ બદલી છે. શનિની બદલાયેલી ચાલ 3 રાશિના લોકોને માલામાલ કરી શકે છે. આ રાશિના લોકોના જીવનમાં ખુશીઓ વધશે. આ રાશિઓ કઈ છે અને તેમને કેવા લાભ થશે ચાલો જાણીએ.
 

Shani Gochar 2024: માર્ગી થઈ શનિએ બદલી પોતાની ચાલ, આ 3 રાશિઓના જીવનમાં વધશે ખુશીઓ, ઈનકમ ડબલ થઈ જશે

Shani Gochar 2024: 27 ડિસેમ્બર અને શુક્રવારે શનિ ગ્રહ પોતાની ચાલ બદલી છે. 15 નવેમ્બરથી શનિ માર્ગી થયા હતા ત્યાર પછી પહેલીવાર શનિએ પોતાની ચાલ બદલી છે. 27 ડિસેમ્બરની રાત્રે શતભિષા નક્ષત્રમાંથી નીકળી પૂર્વા ભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ કર્યો છે. આ નક્ષત્રમાં શનિનો પ્રવેશ જ્યોતિષ દ્રષ્ટિકોણથી સૌથી વધુ મહત્વપૂર્ણ છે. 

fallbacks

આ પણ વાંચો: કુંભ રાશિમાં બનશે શનિ-શુક્રની યુતિ, 3 રાશિઓ માટે 26 દિવસ મુશ્કેલીભર્યા, ખર્ચા વધશે

પૂર્વા ભાદ્રપદ નક્ષત્રનો સ્વામી ગ્રહ ગુરુ છે. આ નક્ષત્ર 27 નક્ષત્રોમાંથી 25 મું નક્ષત્ર છે. ખાસ વાત એ છે કે આ નક્ષત્ર શનિની રાશિ કુંભ અને ગુરુની રાશિ મીનને પણ જોડે છે. તેથી જ શનિનો આ નક્ષત્રમાં પ્રવેશ સૌથી વધુ મહત્વપૂર્ણ છે. આ નક્ષત્ર એકાગ્રતા, વિચાર અને પરિવર્તનકારી ઉર્જાનું પ્રતીક હોય છે. આ નક્ષત્રમાં હવે શનિનો પ્રવેશ થયો છે તેથી લોકો પોતાના કર્મ અને તેના પરિણામ સાથે જ દીર્ઘકાલીન યોજનાઓ પર વિચાર કરીને કામ કરશે. 

આ પણ વાંચો: કુંડળીમાં સૂર્ય નબળો હોય કે અશુભ હોય તો થાય છે આ 3 ગંભીર રોગ, જાણી લો ઉપાય પણ

પૂર્વા ભાદ્રપદ નક્ષત્રમાં શનિના ગોચરની અસર  

માર્ગી થયા પછી શનિએ પહેલી વખત પોતાની ચાલ બદલી છે. શનીનું નક્ષત્ર પરિવર્તન 3 રાશીના લોકોના ભાગ્યને બુલંદ કરશે. પૂર્વ ભાદ્રપદ નક્ષત્રમાં શનિનું ગોચર ત્રણ રાશિના લોકો માટે સકારાત્મક અસર લાવનાર સાબિત થશે. આ રાશીઓના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવશે. તેઓ કાર્યક્ષેત્રમાં ઉન્નતિ કરશે. તો ચાલો તમને જણાવીએ આ ત્રણ રાશિ કઈ છે અને તેમને શનિ કેવું ફળ આપશે ?

આ પણ વાંચો: ઘરમાં આ વસ્તુઓ હશે ત્યાં સુધી નહીં ટકે સુખ-સમૃદ્ધિ, ઘરમાં હોય તો તુરંત કાઢી નાખજો

મેષ રાશિ 

શનિદેવનું નક્ષત્ર પરિવર્તન મેષ રાશિના લોકોને વિશેષ લાભ આપી શકે છે. મહેનતનું ફળ મળશે લાંબા સમયથી અટકેલા કામ પૂરા થઈ શકે છે નોકરીમાં પ્રમોશન સાથે નવી જવાબદારીઓ મળી શકે છે. નવા રોકાણ અને ભાગીદારી કરવા માટે અનુકૂળ સમય. ધાતુ સંબંધિત વેપારમાં નફો વધશે. મેષ રાશિના લોકો આધ્યાત્મિકતા અને માનસિક શાંતિ પર ધ્યાન આપશે. જીવનમાં અનુસાશન વધશે. આત્મવિશ્વાસમાં વધારો થશે. 

આ પણ વાંચો: Tripushkar Yoga: 31 ડિસેમ્બરે બનશે ત્રિપુષ્કર યોગ, 7 રાશિઓ માટે શુભ દિવસ

કન્યા રાશિ 

કન્યા રાશિને પણ શનિનું ગોચર અનુકૂળ પરિણામ આપશે. પારિવારિક જીવનમાં આનંદ વધશે. ઘરમાં શાંતિ અને ખુશહાલીનું વાતાવરણ રહેશે. ભૂમિ, વાહન અને સંપત્તિ ખરીદવાના યોગ બની શકે છે. પારિવારિક વિવાદો સમાપ્ત થશે અને સંબંધોમાં મીઠાશ આવશે. સ્વાસ્થ્યમાં સુધારો થશે બીમારીઓથી રાહત મળી શકે છે. માનસિક ચિંતા ઓછી થશે. લગ્ન ઈચ્છુક લોકોને પ્રસ્તાવ મળી શકે છે. 

આ પણ વાંચો: Mulank 6: આ 3 તારીખોએ જન્મેલા લોકો પર હોય છે શુક્ર ગ્રહ અને લક્ષ્મીજીની કૃપા

મકર રાશિ 

શનિનું આ ગોચર મકર રાશિના ધન અને વાણીને સૌથી વધુ અસર કરશે. આર્થિક સમૃદ્ધિ અને આત્મવિશ્વાસ સારો રહેશે. આવકના નવા સ્ત્રોત ખુલશે. જુના રોકાણથી લાભ થશે. આર્થિક સમસ્યાઓનું સમાધાન મળશે. વેપારનો વિસ્તાર થશે. વિદ્યાર્થીઓ માટે સમય સારો. કારકિર્દી માટે ઉત્તમ તક મળશે. વાણીથી અન્ય પ્રભાવિત કરવામાં સફળતા મળશે. જો કે આ સમય દરમિયાન બિનજરૂરી ખર્ચ પર કંટ્રોલ કરવો.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More