Home> Spiritual
Advertisement
Prev
Next

Shukra-Budh Yuti 2023: સિંહ રાશિમાં સર્જાશે બુધ-શુક્રની યુતિ, 3 રાશિના લોકોને ચારે તરફથી મળશે પૈસો જ પૈસો

Shukra-Budh Yuti 2023: જ્યારે એક રાશિમાં બે પ્રભાવશાળી ગ્રહ એક સાથે ગોચર કરે છે ત્યારે શુભ યોગ સર્જાતા હોય છે. આવો જ શુભ યોગ સિંહ રાશિમાં સર્જાવા જઈ રહ્યો છે. સિંહ રાશિમાં શુક્ર અને બુધની યુતિના કારણે લક્ષ્મી નારાયણ યોગ સર્જાવા જઈ રહ્યો છે. આ યોગના કારણે સિંહ, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોને સૌથી વધુ લાભ થશે.

Shukra-Budh Yuti 2023: સિંહ રાશિમાં સર્જાશે બુધ-શુક્રની યુતિ, 3 રાશિના લોકોને ચારે તરફથી મળશે પૈસો જ પૈસો

Shukra-Budh Yuti 2023: ઘણી વખત ગ્રહ ગોચર દરમિયાન એક જ રાશિમાં બે ગ્રહ સાથે પ્રવેશ કરે છે. જ્યારે એક રાશિમાં બે કે તેનાથી વધારે ગ્રહ હોય તો તેને યુતિ કહેવાય છે. ગ્રહોની આ યુતિ કેટલીક વખત શુભ હોય છે તો કેટલીક વખત અશુભ હોય છે. ક્યારેક આ યુતિના કારણે વ્યક્તિનું ભાગ્ય ચમકી જાય છે તો કેટલીક વખત વ્યક્તિ બરબાદ પણ થઈ જાય છે. આવી જ એક યુતિ સિંહ રાશિમાં સર્જાવા જઈ રહી છે. જોકે આ યુતિ શુભ છે અને તેનાથી લક્ષ્મી નારાયણ યોગ બની રહ્યો છે. આ યોગની અસર તમામ રાશિના લોકોને થશે પરંતુ ત્રણ રાશિના લોકોને લક્ષ્મી નારાયણ યોગના કારણે સૌથી વધુ ફાયદો થશે. જે બે ગ્રહો લક્ષ્મી નારાયણ યોગ બનાવવા જઈ રહ્યા છે તે શુક્ર અને બુધ છે. તો ચાલો જાણીએ કે શુક્ર અને બુધ કઈ કઈ રાશિને ફાયદો કરાવશે.

fallbacks

લક્ષ્મી નારાયણ યોગથી આ 3 રાશિને થશે લાભ

આ પણ વાંચો:

ઘરમાં રાખશો મની બાઉલ તો ચુંબકની જેમ ખેંચાઈ આવશે ધન, તિજોરી નહીં થાય ક્યારેય ખાલી

Palmistry: શું તમને અચાનક મળશે પૈસા અને જમીન-મિલકત ? આ રીતે ચેક તકો તમારી હથેળીમાં

Vastu Tips: ઘરમાં આ બાબતોમાં વાસ્તુના નિયમોનું કરશો પાલન તો નક્કી બનશો કરોડપતિ

સિંહ રાશિ

લક્ષ્મી નારાયણ યોગ સિંહ રાશિના લોકો માટે લાભકારી સાબિત થશે. આ યોગ લગ્ન ભાવમાં બનવા જઈ રહ્યો છે જેના કારણે પર્સનાલિટી આકર્ષક બનશે અને આત્મવિશ્વાસ વધશે. લાઈફ પાર્ટનર સાથે સંબંધ સુધરશે અને સ્વાસ્થ્ય પણ સારું રહેશે.

વૃશ્ચિક રાશિ

વૃશ્ચિક રાશિના લોકોને લક્ષ્મી નારાયણ રાજ યોગ ખૂબ જ ફાયદો કરાવશે. આ ગોચર કુંડળીના કર્મભાવમાં થશે જેના કારણે નોકરી ધંધામાં ફાયદો થશે. નોકરીમાં નવી તક પ્રાપ્ત થશે. આ સમય દરમિયાન પિતાનો સપોર્ટ મળશે. ધન લાભ થશે અને વેપારનો વિસ્તાર પણ થશે.

ધન રાશિ

ધન રાશિના લોકોને પણ લક્ષ્મી નારાયણ યોગ લાભ કરાવશે. આ યોગ ભાગ્ય ભાવમાં બની રહ્યો છે. જેના કારણે વિદ્યાર્થીઓ જે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તેમને વધારે લાભ થશે. આ સમય દરમિયાન ઘરમાં શુભ કાર્ય થઈ શકે છે. તમે કોઈ ધાર્મિક યાત્રા પર પણ જઈ શકો છો.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More