Home> Spiritual
Advertisement
Prev
Next

Shukra Gochar: શુક્રની મહેરબાનીથી આ 3 રાશિની કિસ્મત ચમકશે, 27 દિવસ સુધી રૂપિયાનો થશે વરસાદ

Shukra Gochar: આવનારા 27 દિવસો કેટલાક લોકો માટે ખૂબ જ યાદગાર રહેવાના છે. કેટલાક લોકોને પૈસાની અછતથી રાહત મળશે તો કેટલાક લોકોની જૂની ઈચ્છા પૂરી થશે. ચાલો જાણીએ તે ભાગ્યશાળી રાશિઓ વિશે, જેમના બાકી કામ ભગવાન શુક્રના આશીર્વાદથી જલ્દી પૂરા થવા જઈ રહ્યા છે.

Shukra Gochar: શુક્રની મહેરબાનીથી આ 3 રાશિની કિસ્મત ચમકશે, 27 દિવસ સુધી રૂપિયાનો થશે વરસાદ

Shukra Gochar 2024: જ્યોતિષશાસ્ત્રમાં નવ ગ્રહોમાંના એક શુક્રને લક્ઝરી લાઈફ, ઘન, સંપત્તિ, ઐશ્વર્ય, સૌંદર્ય, સંગીત, કલા, વૈભવ અને કીર્તિનો કારક માનવામાં આવે છે. જે તુલા અને વૃષભ રાશિનો સ્વામી પણ છે. એવું માનવામાં આવે છે કે, જે લોકો પર ભગવાન શુક્ર મહેરબાન હોય છે તેમને જીવનની બધી ખુશીઓ મળે છે. ખાસ કરીને પૈસાની તંગીનો સામનો કરવો પડતો નથી.

fallbacks

વૈદિક પંચાંગ મુજબ 2 ડિસેમ્બર 2024ના રોજ બપોરે 12:05 વાગ્યે શુક્ર ગ્રહ મકર રાશિમાં પ્રવેશ કરશે. જ્યાં તેઓ આગામી 27 દિવસ સુધી રહેશે. 2 ડિસેમ્બર પછી શુક્ર મકર રાશિમાંથી બહાર નીકળીને 28 ડિસેમ્બરે રાત્રે 11:48 વાગ્યે કુંભ રાશિમાં ગોચર કરશે. આ 27 દિવસોમાં શુક્ર કેટલીક રાશિઓ પર કૃપા કરશે, જેના કારણે સાધકને વિશેષ લાભ થવાની સંભાવના છે. ચાલો જાણીએ તે રાશિઓ વિશે, જે રાશિના લોકો પર 27 દિવસ સુધી ભગવાન શુક્રની કૃપા રહેશે.

બુધની કૃપાથી ડિસેમ્બરમાં 3 રાશિઓને થશે છપ્પરફાડ કમાણી, જ્યાં હાથ મુકો ત્યાં પૈસા...

આ 3 રાશિઓ માટે શુક્ર ગોચર રહેશે શુભ!
મિથુન રાશિ

મકર રાશિમાં શુક્ર દેવનું ગોચર કરવું મિથુન રાશિના જાતકો માટે સારું રહેશે. દરેક કામમાં ભાગ્ય તમારો સાથ આપશે, જેના કારણે દરેક કામ સમયસર પૂર્ણ થશે. બેરોજગાર લોકોને નોકરી મળી શકે છે. જ્યાં પોસ્ટ અને પગાર બન્નેમાં નોંધપાત્ર વધારો થશે. વ્યાપારીઓના કામમાં વધારો થશે અને તેમને જલ્દી જ મોટો ફાયદો થઈ શકે છે. વ્યાપારીઓ અને દુકાનદારોને જૂના રોકાણથી સારો નફો મળી શકે છે.

સિંહ રાશિ
નોકરી કરતા જાતકોના કામના વખાણ તેમનો બોસ સહકર્મીઓની સામે કરી શકે છે, જેનાથી સિંહ રાશિના જાતકોનો આત્મવિશ્વાસ વધશે. નવા વ્યવસાયિક સંબંધો લાભદાયક રહેશે. કામકાજમાં વૃદ્ધિ થશે. અચાનક આર્થિક લાભથી દુકાનદારોની આર્થિક સ્થિતિમાં વધારો થશે. અપરિણીત લોકો મિત્રો સાથે હિલ સ્ટેશન પર જઈ શકે છે.

Guru Gochar 2025: 10 એપ્રિલ સુધી આ 5 રાશિઓની મોજ, ગુરુની કૃપાથી થશે અપાર ધન લાભ

મીન રાશિ
આવનારા 27 દિવસો સુધી મીન રાશિના લોકો પર શુક્ર ભગવાન મહેરબાન રહેશે. ટૂંક સમયમાં જ વેપારીઓના પેન્ડિંગ કામ પૂર્ણ થઈ શકે છે. રિલેશનશિપમાં રહેલા લોકોનો સંબંધ પાર્ટનર સાથે મજબૂત થશે. મોટી ઉંમરના લોકોને આ 27 દિવસોમાં દરમિયાન કોઈ મોસમી બીમારીનો સામનો કરવો પડશે નહીં. દુકાનદારોનું વાહન કે મકાન ખરીદવાનું સપનું આ વર્ષે સાકાર થઈ શકે છે. નોકરી કરતા લોકો પગાર સિવાયના કોઈપણ સ્ત્રોતમાંથી પૈસા મેળવી શકે છે. 27 દિવસ સુધી પારિવારિક જીવન ખુશહાલ રહેશે.

Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More