Home> Spiritual
Advertisement
Prev
Next

Black Rice: કાળા ચોખાના આ 5 ટોટકા છે અત્યંત ચમત્કારી, કરવાની સાથે કરે છે અસર

Black Rice Remedies: જ્યોતિષ શાસ્ત્રમાં કાળા ચોખાના કેટલાક એવા ઉપાયો વિશે પણ જણાવવામાં આવ્યું છે જેને કરવાથી જીવનની અનેક સમસ્યાઓ દૂર થઈ શકે છે. કાળા ચોખાના આ ઉપાયોથી દરિદ્રતાથી મુક્તિ મળે છે. સાથે ઘરની આર્થિક સ્થિતિ પણ ઝડપથી સુધરે છે. તેનાથી દાંપત્યજીવનમાં પણ મધુરતા આવે છે.

Black Rice: કાળા ચોખાના આ 5 ટોટકા છે અત્યંત ચમત્કારી, કરવાની સાથે કરે છે અસર

Black Rice Remedies: આજ સુધી પૂજા કે ઉપાયોમાં તમે સફેદ અને પીળા ચોખાનો ઉપયોગ કર્યો હશે અને તેના વિશે જાણ્યું હશે. પરંતુ શું તમે જાણો છો કે જીવનની સમસ્યાઓ અને આર્થિક તંગીથી મુક્તિ મેળવવા માટે કાળા ચોખાનો પણ ઉપયોગ થાય છે ? જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કાળા ચોખાનો ઉપયોગ તંત્ર ક્રિયાઓમાં થાય છે. પરંતુ જ્યોતિષ શાસ્ત્રમાં કાળા ચોખાના કેટલાક એવા ઉપાયો વિશે પણ જણાવવામાં આવ્યું છે જેને કરવાથી જીવનની અનેક સમસ્યાઓ દૂર થઈ શકે છે. કાળા ચોખાના આ ઉપાયોથી દરિદ્રતાથી મુક્તિ મળે છે. સાથે ઘરની આર્થિક સ્થિતિ પણ ઝડપથી સુધરે છે. તેનાથી દાંપત્યજીવનમાં પણ મધુરતા આવે છે.

fallbacks

આ પણ વાંચો:

સૂર્ય-બુધની યુતિથી સર્જાયો બુધાદિત્ય યોગ, 5 રાશિના લોકોને થશે ધન લાભ

Lizard Indication: જાણો ઘરમાં ગરોળી હોવી શુભ કે અશુભ?

5 મે 2023 ના રોજ વર્ષનું પહેલું ચંદ્ર ગ્રહણ, જાણો સૂતક કાળ માન્ય છે કે નહીં

કાળા ચોખા ઉપાયો

1. જો તમે ઈચ્છો છો કે તમારા ઘરમાં સુખ-સમૃદ્ધિ હંમેશા રહે તો એક સફેદ કપડામાં કાળા ચોખા બાંધીને સોમવારે માતા કાલીના ચરણોમાં અર્પણ કરો. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આમ કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ વધે છે અને જીવન ખુશીઓથી ભરેલું રહે છે.

2. જો તમને નોકરીમાં કે વેપારમાં સફળતા નથી મળી રહી. અથવા નવી નોકરી મેળવવામાં સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો શનિવારે શનિ મંદિરમાં જઈ શનિદેવને સરસવના તેલમાં કાળા ચોખા ઉમેરી અર્પણ કરો. આ સાથે શનિ મંત્રનો જાપ કરો. 
 
3. વિવાહિત જીવનમાં સુખ અને સંતાનપ્રાપ્તિની ઈચ્છા હોય તો પીપળાના ઝાડમાં પાણીમાં અર્પણ કરો અને તેમાં કાળા ચોખા ઉમેરો. આ સિવાય શનિવારે તેલના કાળા ચોખા ઉમેરી પીપળાના ઝાડ નીચે દીવો પ્રજ્વલિત કરો. આમ કરવાથી જલ્દી જ સંતાન સુખ પ્રાપ્ત થશે.

4. જો તમારું કોઈ કામ ઘણા દિવસોથી અટકેલું હોય તો તમારા ઘરના મંદિરમાં હનુમાનજીની એવી તસવીર લગાવો જેમાં તે ઉડતા હોય સાથે જ કાળા ચોખાની પોટલી બનાવીને હનુમાનજીની તસવીર પાછળ લગાવો. આમ કરવાથી તમારું કામ કોઈ પણ સમસ્યા વિના પૂર્ણ થશે.

5. જો તમે ઘરમાં કોઈ ઘણા દિવસોથી બીમાર હોય તો પાણીમાં દૂધ અને કાળા ચોખા મિક્સ કરી સોમવારે શિવલિંગ પર ચઢાવો. આમ કરવાથી તમને જલ્દી જ બીમારીથી છુટકારો મળશે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More