Home> Spiritual
Advertisement
Prev
Next

કોણ હતા મહાભારતના નકલી શ્રીકૃષ્ણ, કેવી રીતે થયો હતો તેમનો અંત?

story of fake shri krishna In Mahabharat : મહાભારતમા એક નકલી કૃષ્ણ પણ હતા, જેમને શ્રીકૃષ્ણએ પોતાના હાથથી માર્યા હતા, આખરે શું છે આ કિસ્સો 

કોણ હતા મહાભારતના નકલી શ્રીકૃષ્ણ, કેવી રીતે થયો હતો તેમનો અંત?

mahabharata interesting fatcs : શ્રીકૃષ્ણ અને તેમની લીલાઓ વિશે બધા જાણે છે. પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે મહાભારતમાં એક નકલી શ્રીકૃષ્ણ પણ હતા. મહાભારતમાં પૌંડ્રક નગરીના રાજ નકલી શ્રીકૃષ્ણ કહેવાતા હતા. જેઓ પોતાની જાતને ભગવાન વાસુદેવ ગણાવતા હતા. એટલુ જ નહિ, તેઓએ પોતાની આસપાસ શ્રીકૃષ્ણ જેવી જ વસ્તુઓ મૂકતા હતા. શાસ્ત્રોમાં પણ તેનુ વર્ણન કરવામાં આવ્યું છે. 

fallbacks

કહેવાય છે કે, સનાતન ધર્મમાં ભાગવત પુરાણમાં રાજા પૌંડ્રકનું વર્ણન કરવામાં આવ્યું છે. શાસ્ત્રોમા ઉલ્લેખ અનુસાર, રાજા પૌંડ્રક પુંડ્ર દેશના રાજા હતા. જે ભગવાન શ્રીકૃષ્ણને નકલી અને ખુદને અસલી કૃષ્ણ ગણાવતા હતા. કથાઓ અનુસાર, શ્રીકૃષ્ણ લાંબા સમય સુધી તેમની ભૂલો પર માફી આપતા રહ્યા હતા. પરંતુ તેમ જેમની ભૂલો વધતી ગઈ તો ભગવાન કૃષ્ણએ પણ પોતાની લીલા બતાવવાનું શરૂ કર્યુ. 

અર્જુન સિવાય કોણે કોણે કર્યા હતા શ્રીકૃષ્ણના વિરાટ સ્વરૂપના દર્શન?

આ રાજા ભગવાન કૃષ્ણની જેમ કપડા પહેરીને ફરતા ને તેમની જેમ સુદર્શન ચક્ર પણ રાખતા હતા. પૌંડ્રક ભગવાન શ્રીકૃષ્ણની જેમ જ સંદેશ આપતા હતા, અને પોતાને વિષ્ણુના ખરા અવતાર ગણાવયા હતા. એટલુ જ નહિ, પૌંડ્રક એ ભગવાન કૃષ્ણને યુદ્ધ માટે લલકાર્યા પણ હતા. જેથી અંતમાં ભગવાન શ્રીકૃષ્ણને પૌંડ્રક સાથે યુદ્ધ કરવું પડ્યું હતું. પૌંડ્રકની રાસે અનેક રાક્ષસો હતા તેમજ તેઓએ નકલી હનુમાન પણ રાખ્યા હતા. 

મહાભારતની આ કહાની જાણીને રુંવાડા ઉભા થઈ જશે, એક પાંડવે મજબૂરીમાં કર્યુ હતું આ

પૌંડ્રકે નકલી ચક્ર, શંખ, તલવાર, મોર મુકુટ અને કૌસ્તુભ મણિ પણ પાસે રાખ્યા હતા. પૌંડ્રકે શ્રીકૃષ્ણને ચક્ર અને શંખ છોડવાના આદેશ આપ્યા હતા. તેમના પિતાનું નામ વાસુદેવ હતું, તેથી તેઓ ખુદને વાસુદેવ કૃષ્ણ ગણાવતા હતા. આખરે ભગવાન કૃષ્ણએ તેમની સાથે યુદ્ધ કર્યુ હતું. જેના બાદ કૃષ્ણએ આ નકલી કૃષ્ણને માર્યા હતા. 

મહાભારતની આ સ્ટોરીઓ પણ વાંચો :

મહાભારત યુદ્ધના 18 દિવસ દરમિયાન શ્રીકૃષ્ણ કેમ રોજ ખાતા હતા મગફળી?

શ્રીકૃષ્ણ ઉપરાંત બીજું કોણ જાણતું હતું મહાભારત યુદ્ધનું પરિણામ?

શકુની મામા પાસે હતી અદભૂત શક્તિ, જાદુઈ પાસાથી તેઓ ક્યારેય કોઈ બાજી નથી હાર્યા

મહાભારતના એક એવા યોદ્ધાની કહાની, જેનું માથું ખોળામાં લઈને બેસી રહ્યા હતા શ્રીકૃષ્ણ

મહાભારતમાં 18 ના અંકે સર્જ્યો હતો મોટો ચમત્કાર, અંતિમ રહસ્ય તમને પણ આશ્ચર્યચકિત કરશે

માન્યામાં નહી આવે પણ સાચી છે વાત, મહાભારતમાં પતિ વિના પત્ની થઈ શક્તી હતી પ્રેગ્નેન્ટ

છળકપટથી માર્યા ગયા હતા મહાભારતના આ 5 યોદ્ધા, શ્રીકૃષ્ણનો હતો આદેશ

કુરુક્ષેત્ર ભૂમિની જ કેમ શ્રીકૃષ્ણે મહાભારતના યુદ્ધ માટે પસંદગી કરી હતી?

મહાભારત યુદ્ધના 15 વર્ષ બાદ એક રાતે જીવિત થયા તમામ યોદ્ધા, ગંગા કાંઠે થયો હતો ચમત્કા

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More