સૂર્ય ગ્રહ 15 જૂનના રોજ વૃષભ રાશિમાંથી નીકળીને મિથુન રાશિમાં પ્રવેશ કરશે. અહીં બુધ અને ગુરુ પહેલેથી જ બિરાજમાન છે. આવામાં સૂર્યના મિથુન રાશિમાં આવવાથી સૂર્ય બુધ અને ગુરુનો ત્રિગ્રહી યોગ બનશે. જ્યોતિષમાં આ યોગને બ્રહ્મ આદિત્ય યોગ કહે છે. આ યોગ ખુબ ભાગ્યશાળી અને શક્તિશાળી ગણાય છે. તેના પ્રભાવથી કેટલીક રાશિના જીવનમાં સકારાત્મક પરિવર્તન જોવા મળી શકે છે.
મિથુન રાશિ
સૂર્ય ગુરુ અને બુધ તમારી જ રાશિમાં ત્રિગ્રહી યુતિ બનાવશે. તેના પ્રભાવથી તમારા જીવનને વિવિધ ક્ષેત્રોમાં સારા પરિણામો મળી શકે છે. તમારામાં આત્મવિશ્વાસ વધુ જોવા મળશે. જેનાથી કરિયરમાં ચમત્કારી ફેરફાર આવી શકે છે. અચાનકથી આ રાશિના કેટલાક જાતકોને પદોન્નતિ મળી શકે છે. ભૂતકાળમાં કરાયેલી મહેનતનું પણ યોગ્ય પરિણામ મળશે. આ રાશિના વેપારીઓ સારો નફો રળી શકે છે. તમારી કળા અને રચનાત્મક ક્ષમતાથી કેટલાક લોકો દેશ દુનિયામાં નામ કમાઈ શકે છે.
સિંહ રાશિ
સિંહ રાશિના જાતકોને જીવનમાં આ યોગ બનવાથી સારો પ્રભાવ જોવા મળી શકે છે. ગુરુ જ્યાં તમારા જ્ઞાનમાં વધારો કરશે ત્યાં સૂર્ય તમને વિચારોની શક્તિ આપશે. આ દરમિયાન તમે શત્રુઓ પર હાવિ રહેશો અને હરીફોને જડબાતોડ જવાબ આપશો. સ્વાસ્થ્ય પણ સારું રહેશે. કરિયરમાં પ્રગતિ મેળવવા માટે કરી રહેલા પ્રયત્નોમાં સફળતા મળશે.
ધનુ રાશિ
ગુરુની સાથે સૂર્યનું મળવું એ તમારા જીવનમાં પ્રગતિ લાવી શકે છે. તમને અનેક મુદ્દે સફળતા અપાવી શકે છે. ચમત્કારીક રીતે તમે સમાજમાં ચર્ચાનો વિષય બની શકો છો. લેખન, ગાયન, વાદ્યક્ષેત્રમાં તમારી કોઈ રચના વાયરલ થઈ શકે છે. આ રાશિના જાતકો પોતાના ઘરના લોકો સાથે તાલમેળ બેસાડી શકશે. જેનાથી ઘરમાં પણ સકારાત્મક ફેરફાર જોવા મળશે. સારા લોકો સાથે મુલાકાત થઈ શકે છે. કેટલાક જાતકોની ઈચ્છાઓ પૂરી થવાની શક્યતા છે.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, Z 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે