વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં નવગ્રહના રાજા સૂર્ય ગણાય છે. પિતા, આત્માના કારક સૂર્ય દર મહિને રાશિ પરિવર્તન કરે છે જેનાથી કોઈને કોઈ ગ્રહ સાથે યુતિ કરે છે. 15 જૂનના રોજ સૂર્ય મિથુન રાશિમાં પ્રવેશ કરશે. આ રાશિમાં પ્રવેશ કરતાની સાથે જ સૂર્ય ટ્રિપલ રાજયોગનું નિર્માણ કરશે. મિથુન રાશિમાં પહેલેથી જ ગુરુ અને બુધ બિરાજમાન છે. આવામાં ત્રણ ગ્રહોની યુતિથી ત્રિગ્રહી, બુધાદિત્ય અને ગુરુ આદિત્ય યોગનું નિર્માણ થશે. આ રાજયોગોનું નિર્માણ થવાથી કેટલીક રાશિના જાતકોને દરેક ક્ષેત્રમાં ખુબ લાભ થઈ શકે છે. જાણો તે લકી રાશિઓ વિશે...
વૈદિક જ્યોતિષ શાસ્ત્ર મુજબ સૂર્ય 15 જૂનના રોજ સવારે 6.52 કલાકે મિથુન રાશિમાં પ્રવેશ કરશે અને 16 જુલાઈ સુધી અહીં રહેશે. આવામાં ગુરુ આદિત્ય યોગ 16 જુલાઈ સુધી રહેશે. આવો સંયોગ 12 વર્ષ બાદ બની રહ્યો છે. આ સાથે જ મિથુન રાશિમાં બુધાદિત્ય યોગ 22 જૂન સુધી રહેશે. કારણ કે ત્યારબાદ ગ્રહોના રાજકુમાર બુધ કર્ક રાશિમાં પ્રવેશ કરશે.
મિથુન રાશિ
આ રાશિના લગ્ન ભાવમાં સૂર્ય ટ્રિપલ રાજયોગ એટલે કે ત્રિગ્રહી રાજયોગ, બુધાદિત્ય રાજયોગ અને ગુરુ આદિત્ય યોગનું નિર્માણ કરશે. આવામાં આ રાશિના જાતકોને ભાગ્યનો પૂરેપૂરો સાથ મળી શકે છે. લાંબા સમયથી અટકેલા કામો એકવાર ફરીથી શરૂ થઈ શકે છે. આત્મવિશ્વાસમાં ઝડપથી વધારો થઈ શકે છે. જીવનમાં ચાલતી પરેશાનીઓ દૂર થઈ શકે છે. કાર્યક્ષેત્રે ચાલતી સમસ્યાઓનો અંત આવી શકે છે. નવી નોકરીની તકો મળી શકે છે. નેતૃત્વ ક્ષમતામાં વધારાના યોગ બની રહ્યા છે. આવામાં તમને કોઈ મોટી જવાબદારી સોંપાઈ શકે છે. જેને તમે સારી રીતે નિભાવી શકો છો. પગાર વધારાના પણ યોગ બની રહ્યા છે. સામાજિક પદ પ્રતિષ્ઠા વધશે.
સિંહ રાશિ
સિંહ રાશિના એકાદશ ભાવમાં ત્રિગ્રહી, બુધાદિત્ય અને ગુરુ આદિત્ય યોગનું નિર્માણ થઈ રહ્યું છે. આવામાં આ રાશિના જાતકોને અનેક ક્ષેત્રમાં અપાર સફળતા મળી શકે છે. માન સન્માનમાં વધારો થઈ શકે છે. લગ્નમાં ચાલતી અડચણો દૂર થઈ શકે છે. વિવાહ નક્કી થઈ શકે છે. શત્રુઓ પર વિજય મેળવી શકો છો. કોર્ટ કચેરીના મામલામાં તમારા પક્ષમાં થઈ શકે છે. આવકના નવા સ્ત્રોત ખુલી શકે છે. આર્થિક સ્થિતિ સારી રહેશે. સમાજમાં માન સન્માનમાં વધારો થઈ શકે.
તુલા રાશિ
તુલા રાશિના જાતકો માટે પણ ટ્રિપલ રાજયોગ ખુબ લાભકારી નીવડી શકે છે. આ રાશિના નવમાં ભાવમાં ગુરુ, બુધ અને સૂર્યની યુતિ થઈ રહી છે. જેનાથી આ રાશિના જાતકોના જીવનમાં ઘણો અનુકૂળ પ્રભાવ જોવા મળી શકે છે. આવકમાં ઝડપથી વધારો થઈ શકે. ભાગ્યનો સંપૂર્ણ સાથ મળી શકે. પિતાનો પૂરેપૂરો સહયોગ મળશે. જેનાથી તમે તમારા લક્ષ્યાંક મેળવી શકો. ગુરુના કારણે બુધ પણ આ રાશિના જાતકોને ખુશીઓ આપી શકે છે. આધ્યાત્મ તરફ ઝૂકેલા રહેશો. અનેક કાર્યોમાં તમે ધનનું દાન કરી શકો છો. સરકાર અને ઉચ્ચ અધિકારીઓનો સહયોગ મળી શકે છે. જેનાથી ઘણો લાભ થઈ શકે.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, Z 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે