Home> Spiritual
Advertisement
Prev
Next

Money Vastu Tips: ઘરમાં પૈસાની તંગીનું કારણ બને છે આ 4 વસ્તુઓ, પરિવારના એક એક વ્યક્તિને કરી દે છે કંગાળ

Money Vastu Tips: વાસ્તુ શાસ્ત્રમાં ઘરની સુખ, સમૃદ્ધિ વધે તેવા ખાસ નિયમ જણાવેલા છે. સાથે જ એવી 4 વસ્તુઓ વિશે પણ જણાવ્યું છે જે આર્થિક સંકટનું કારણ બને છે. આ વસ્તુઓ ઘરના લોકોને કંગાળ કરી નાખે છે.

Money Vastu Tips: ઘરમાં પૈસાની તંગીનું કારણ બને છે આ 4 વસ્તુઓ, પરિવારના એક એક વ્યક્તિને કરી દે છે કંગાળ

Money Vastu Tips: ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ બનાવી રાખવી હોય તો તેના માટેના કેટલાક નિયમ વાસ્તુશાસ્ત્રમાં જણાવેલા છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ક્યારેક વ્યક્તિની નાની નાની ભૂલ પણ નકારાત્મક ઉર્જા અને આર્થિક તંગીનું કારણ બને છે. વાસ્તુશાસ્ત્રના જાણકાર હંમેશા સલાહ આપે છે કે ઘરમાં પોઝિટિવ ઉર્જાનું સંતુલન જાળવી રાખવું. 

fallbacks

આ પણ વાંચો: 2 ફેબ્રુઆરીએ શનિની સ્થિતિ બદલશે, 3 રાશિઓનું ભાગ્ય થશે મજબૂત, થશે અણધાર્યો લાભ

આજે તમને ઘરમાં રહેલી કેટલીક એવી વસ્તુઓ વિશે જણાવીએ જે આર્થિક સંકટનું કારણ બને છે.  આ ચાર ભુલ વ્યક્તિની બરબાદીનું સૌથી મોટું કારણ છે. જે ઘરમાં આ 4 કાર્ય થતા હોય ત્યાં લોકોનું પતન થવાની શરૂઆત થઈ જાય છે. જો તમે પણ ઘરમાં ખુશહાલી અને બરકત જાળવી રાખવા માંગો છો તો આ 4 વસ્તુઓથી બચીને રહેવું. 

આ પણ વાંચો: વર્ષ 2025 માં 80 દિવસ અસ્ત રહેશે બુધ ગ્રહ, અસ્ત થઈને પણ 5 રાશિઓને કરાવશે લાભ

તૂટેલા વાસણ 

વાસ્તુશાસ્ત્ર અનુસાર કેટલાક લોકોને એવી આદત હોય છે કે તે તૂટેલા વાસણ ઘરમાં રાખે અને તેનો ઉપયોગ પણ કરે. વાસ્તુશાસ્ત્ર અનુસાર આવી ભૂલ ક્યારે કરવી નહીં. તૂટેલા વાસણ ઘરમાં રાખવા અને તેનો ઉપયોગ કરવો આર્થિક તંગીને આમંત્રણ છે. 

પાણીની બરબાદી 

વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં પાણી બરબાદ થતું હોય તો તે પણ અશુભ છે. પાણીની બરબાદી આર્થિક સંકટને વધારે છે. ઘરમાં કોઈ જગ્યાએથી પાણી લીક થતું હોય તો તેને પણ તુરંત જ બરાબર કરી લેવું જોઈએ જો આવું ન કરવામાં આવે તો ધીરે ધીરે આર્થિક સંકટ ઘેરાવા લાગે છે. 

આ પણ વાંચો: Bad Habits: સ્ત્રીની 8 ખરાબ આદતો ઘરમાં લાવે છે ગરીબી, ધન બચાવવું હોય તો તુરંત સુધારો

અધર્મનું ધન 

વાસ્તુશાસ્ત્ર અનુસાર જો ઘરમાં ખોટી રીતે કમાયેલા પૈસા આવે છે તો તે દરિદ્રતાનું કારણ બને છે. અધર્મથી કમાયેલું ધન જે ઘરમાં આવે છે ત્યાં ક્યારેય બરકત રહેતી નથી. આવા ઘરમાં અચાનક એવી ઘટનાઓ બને છે કે ઘર બરબાદ થવા લાગે છે. 

પૂજા પાઠનો અભાવ 

જે ઘરમાં પૂજા પાઠ એટલે કે ઈશ્વરનું નામ ન લેવાતું હોય ત્યાં પણ ક્યારેય બરકત હોતી નથી. આવા ઘરમાં સકારાત્મક ઉર્જા હોતી નથી અને નકારાત્મક શક્તિઓનો પ્રભાવ વધારે હોય છે. જેના કારણે ઘરમાં આર્થિક સમસ્યાઓ પણ રહે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે.  ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More