Jyeshtha Purnima 2023: હિન્દુ ધર્મમાં જેઠ મહિનામાં આવતી પૂર્ણિમાની તિથિનું વિશેષ મહત્વ છે. આ વર્ષે આ તિથિ 3 જૂન અને શનિવારથી શરૂ થશે. ધાર્મિક માન્યતા અનુસાર આ દિવસે વ્રત કરવાનું હોય છે. આ સિવાય જે પણ વ્યક્તિ શ્રદ્ધાપૂર્વક ભગવાન વિષ્ણુની પૂજા કરે છે તેને જીવનમાં દરેક પ્રકારના સુખ અને સમૃદ્ધિ મળે છે. જો કુંડળીમાં કોઈ દોષ હોય તો આ દિવસે વ્રત કરવાથી લાભ પ્રાપ્ત થાય છે.
ધાર્મિક માન્યતા અનુસાર જેઠ માસની પૂનમના દિવસે કેટલાક કાર્યો કરવાથી તમામ પ્રકારના દોષ દૂર થાય છે. જીવનમાં સુખ સમૃદ્ધિ વધે છે. આ સાથે જ કેટલાક એવા કાર્યો પણ છે જેને કરવાની મનાઈ હોય છે. આ કામ કરવાથી વ્યક્તિના જીવનમાં સમસ્યાઓ આવે છે.
આ પણ વાંચો:
રાજસ્થાનના આ ગામમાં ક્યારેય નથી થઈ પાણીની સમસ્યા, હનુમાન મંદિરમાં છુપાયેલું છે રહસ્ય
Dhan Labh Upay: દુર થશે ધન સંબંધિત દરેક સમસ્યા, એકવાર અજમાવો આ અચૂક ટોટકા
Shani Sade Sati: શનિની સાડાસાતીની આ રાશિઓ પર નથી થતી અસર, નથી અટકતાં કોઈ કામ
જો કુંડલી માં ચંદ્ર દોષ હોય તો પૂર્ણિમાની રાત્રે ચંદ્રોદય થાય પછી પાણીમાં થોડું જલ ઉમેરીને ચંદ્રને અર્દ્ય આપો. સાથે જ ચંદ્રદેવને ખાંડ, ચોખા અને ફુલ અર્પણ કરો આમ કરવાથી ચંદ્ર દોષ દૂર થાય છે.
આ દિવસે ધનના દેવી માતા લક્ષ્મીની આરાધના કરવાથી પણ શુભ ફળ પ્રાપ્ત થાય છે. જો તમારી આર્થિક સ્થિતિ ખરાબ હોય તો આ દિવસે વિધિ વિધાનથી લક્ષ્મીજીની પૂજા કરવી જોઈએ.
આ દિવસે દાન અને દક્ષિણાનું પણ વિશેષ મહત્વ હોય છે. આર્થિક રીતે સંપન્ન થવું હોય તો આ દિવસે ગરીબને યથાશક્તિ દાન કરો. પ્રયત્ન કરો કે તમે સફેદ રંગની કોઈ વસ્તુ દાન કરો તેનાથી લાભ થાય છે.
ધાર્મિક માન્યતા અનુસાર આ તિથિ પર દિવસે સૂવું જોઈએ નહીં. તેનાથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ થાય છે.
આ દિવસે માંસાહાર કરવાથી પણ બચવું. શક્ય હોય ત્યાં સુધી સાદુ ભોજન ગ્રહણ કરવું. આ ઉપરાંત લસણ અને ડુંગળીનો પ્રયોગ પણ ન કરવો.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે