Vaastu Shastra : વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘર બનાવવા માટે ઘણી બધી પ્રવૃત્તિઓ કરવી ખૂબ જ જરૂરી છે. જેના કારણે નકારાત્મક ઉર્જા ઘર તરફ નજર પણ નથી કરી શક્તી. એ જ રીતે, જ્યારે ઘરનો પાયો ભરવાનું કામ શરૂ કરવામાં આવે છે, તે પહેલાં પૂજા કરવામાં આવે છે અને ચાંદીના સાપ રાખવામાં આવે છે. તેની પાછળ એક મહત્વપૂર્ણ કારણ છે, જેના કારણે આ કરવામાં આવ્યું છે.
શ્રીમદ ભાગવત અનુસાર
શ્રીમદ ભાગવત મહાપુરાણના પાંચમા સ્કંધમાં વર્ણન કરવામાં આવ્યું છે કે પૃથ્વીની નીચે પણ એક દુનિયા છે, જેના સ્વામી શેષનાગ છે. એટલા માટે જ્યારે પાયાની પૂજા કરવામાં આવે છે ત્યારે ત્યાં ચાંદીનો સાપ રાખવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી તમારા ઘરમાં સંપત્તિ અને પૈસાની કમી નથી રહેતી.
મહાદેવની કૃપા
એવું માનવામાં આવે છે કે નવા ઘરના પાયા પર સાપ સ્થાપિત કરવાથી મહાદેવ સ્વયં તે ઘરની રક્ષા કરે છે. તેનાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ જળવાઈ રહે છે અને તમારા ઘરને નકારાત્મક ઉર્જાથી પણ બચાવે છે.
મંદિર અને મસ્જિદની છત ગોળાકાર કેમ હોય છે? ધર્મ સિવાય પણ એક રસપ્રદ કારણ છે
દુષ્ટ શક્તિઓથી રાહત મળશે
નવું ઘર બનાવતી વખતે, ઘણા લોકોની ખરાબ નજરમાં પડવાનો ભય છે. આવી સ્થિતિમાં આ ચાંદીના સાપ તમને આ નકારાત્મક શક્તિઓથી બચાવે છે. સૌથી નકારાત્મિક શક્તિઓ પણ સાપની સામે નબળી થઈ જાય છે.
પાયામાં કળશ મૂકવાની પરંપરા
ચાંદીના નાગ-નાગીનની જોડીને બદલે તમે પિત્તળ ઘાતુનો પણ ઉપયોગ કરી શકો છો. આ ઉપરાંત એવી માન્યતા છે કે પાયામાં કળશની સ્થાપના પણ કરવામાં આવે છે. કળશમાં ભગવાન શંકર, વિષ્ણુ અને બ્રહ્મા નિવાસ કરે છે. તે તમારા ઘરનું રક્ષણ કરે છે.
નોંધ:
આ લેખ માત્ર સામાન્ય માહિતી માટે છે. આને માત્ર એક સૂચન તરીકે લો. આવી કોઈપણ માહિતી પર કાર્ય કરતા પહેલા, કૃપા કરીને ડૉક્ટર અથવા કોઈપણ નિષ્ણાતની સલાહ લો.
સાઉથના આ ફેમસ મંદિરમાં મગરનો પુનર્જન્મ થયો, બે વર્ષ બાદ અચાનક પ્રકટ થયો મરેલો મગર
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે