Home> Sports
Advertisement
Prev
Next

દાંવ પર છે ટીમ ઈન્ડિયાની 'ઈજ્જત', ઈતિહાસ રચશે ન્યૂઝીલેન્ડ! 24 વર્ષમાં પહેલીવાર થશે આવું!

India vs New Zealand: ભારત અને ન્યૂઝીલેન્ડની વચ્ચે 3 ટેસ્ટ મેચોની સીરિઝની ત્રીજો મુકાબલો મુંબઈમાં 1 નવેમ્બરથી રમાશે. કીવી ટીમ બેંગ્લુરુ અને પુણેમાં મેચ જીતીને સીરિઝને પહેલા જ પોતાના નામે કરી ચૂકી છે.

દાંવ પર છે ટીમ ઈન્ડિયાની 'ઈજ્જત', ઈતિહાસ રચશે ન્યૂઝીલેન્ડ! 24 વર્ષમાં પહેલીવાર થશે આવું!

India vs New Zealand Test Record: ભારત અને ન્યૂઝીલેન્ડની વચ્ચે 3 ટેસ્ટ મેચોની સીરિઝની ત્રીજી મેચ મુંબઈમાં 1 નવેમ્બરથી રમાશે. કીવી ટીમ બેંગ્લુરુ અને પુણેમાં મેચ જીતીને સીરિઝને પહેલા જ પોતાના નામે કરી ચૂકી છે. હવે ભારતીય ટીમની નજર વાઈટવોશથી બચવા પર છે. ન્યૂઝીલેન્ડે ભારતની 12 વર્ષની ઘરઆંગણાની ટેસ્ટ અજેયતાને તોડીને ઈતિહાસ રચ્યો છે. હવે તે રોહિત શર્માની ટીમનો વધુ એક રેકોર્ડ તોડવાનો પ્રયાસ કરશે. મુંબઈમાં રોહિત એન્ડ કંપનીનું સન્માન દાવ પર હશે.

fallbacks

ઇતિહાસ રચવાની નજીક છે ન્યૂઝીલેન્ડ
ન્યૂઝીલેન્ડ ત્રણ યા વધુ ટેસ્ટ મેચોની સીરિઝમાં ભારતને વ્હાઈટવોશ કરનાર પહેલી ટીમ બની શકે છે. ભારતના ટેસ્ટ ઈતિહાસમાં અત્યાર સુધી આવું ક્યારેય થયું નથી. કોઈ પણ ટીમે તેણે ઘરેલૂ મેદાન પર વ્હાઈટવોશ કર્યું નથી. ન્યૂઝીલેન્ડની પાસે આવું કરવાનો મોકો છે. હવે જોવાનું છે કે ભારતીય ટીમ મુંબઈ ટેસ્ટમાં કેવી રીતે વાપસી કરે છે. 

સચિનની કેપ્ટનશિપમાં મળી હતી હાર
ભારત છેલ્લે 2000માં ઘરેલૂ મેદાન પર કોઈ સીરિઝમાં એક પણ ટેસ્ટ મેચ જીતી શકી નહોતી. સાઉથ આફ્રિકાએ બે મેચોની સીરિઝ 2-0થી જીતી હતી. તે સમયે સચિન તેંદુલકર ટીમના કેપ્ટન હતા. આ સીરિઝમાં ભારત ચાર ઈનિંગમાં 250 રનનો આંકડો પણ પાર કરી શકી નહોતી. સાઉથ આફ્રિકાના કેપ્ટન તે સમયે હેંસી ક્રોનિએ હતા.

1997માં થયું હતું આવું!
ત્રણ મેચોની ટેસ્ટ સીરિઝની વાત કરીએ તો છેલ્લા ભારત 1997માં શ્રીલંકા વિરુદ્ધ એક પણ મેચ જીતી શકી નહોતી. તે સમયે પણ સચિનન તેંદુલકર કેપ્ટન હતા અને શ્રીલંકાની કેપ્ટનશિપ અર્જૂન રત્નાતુંગા કરી રહ્યા હતા. રોહિત શર્મા અને તેમની ટીમ હવે એક ખરાબ રેકોર્ડ બનાવવાના કગાર પર છે. આ કારણથી તમામની નજર ભારતના અભિગમ પર હશે કારણ કે હવે ભારતની WTC ફાઈનલમાં સ્થાન બનાવવાની સંભાવના પર દાવ પર લાગેલી છે. વાનખેડે સ્ટેડિયમની પીચ પર પણ ધ્યાન રહેશે કારણ કે પુણેમાં ભારતને સ્પિનની મદદગાર પીચ પર હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતને હવે લગભગ દરેક મેચ જીતવી પડશે જેથી WTC ફાઈનલમાં સ્થાન બનાવી શકે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More