Home> Sports
Advertisement
Prev
Next

Champions Trophy 2025 : ભારતીય ખેલાડીઓ માટે ગુડ ન્યૂઝ...ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા BCCIએ કરી મોટી જાહેરાત

Champions Trophy 2025 : ગુરુવારે ભારતીય ટીમ ચેમ્પિયન્સ ટ્રોફીમાં પોતાના અભિયાનની શરૂઆત કરશે. ભારતીય ટીમ બાંગ્લાદેશ સામે ટકરાશે. જો કે ભારત અને બાંગ્લાદેશની મેચ પહેલા ભારતીય ખેલાડીઓ માટે સારા સમાચાર આવ્યા છે. પાકિસ્તાન દ્વારા આયોજિત મેગા ઈવેન્ટ માટે ટીમ ઈન્ડિયા દુબઈ પહોંચી ગઈ છે અને દુબઈમાં જોરશોરથી તૈયારીઓમાં વ્યસ્ત છે.

Champions Trophy 2025 : ભારતીય ખેલાડીઓ માટે ગુડ ન્યૂઝ...ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા BCCIએ કરી મોટી જાહેરાત

Champions Trophy 2025 : ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની શરૂઆત પહેલા ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓને સારા સમાચાર મળ્યા છે. પાકિસ્તાન દ્વારા આયોજિત મેગા ઈવેન્ટ માટે ટીમ ઈન્ડિયા દુબઈ પહોંચી ગઈ છે અને દુબઈમાં જોરશોરથી તૈયારીઓમાં વ્યસ્ત છે. આ ટૂર્નામેન્ટની તૈયારી દરમિયાન BCCIએ રોહિત શર્મા એન્ડ કંપનીને એક મોટી ભેટ આપી છે.

fallbacks

ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ માટે મોટા સમાચાર એ છે કે હવે ખેલાડીઓ ચેમ્પિયન્સ ટ્રોફી માટે તેમના પરિવાર સાથે દુબઈ જઈ શકશે. જોકે, આ માટે બોર્ડ દ્વારા બહુ છૂટ આપવામાં આવી નથી. પરંતુ જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો કહેવામાં આવી રહ્યું છે કે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓને તેમના પરિવારજનો સાથે રાખવાની મંજૂરી આપવામાં આવી છે. પરંતુ એ પણ નક્કી કરવામાં આવ્યું છે કે ખેલાડીઓ દુબઈમાં માત્ર એક જ મેચમાં તેમના પરિવારના સભ્યોને સાથે લઈ જઈ શકશે.

પાકિસ્તાનની એર સ્ટ્રાઈક...100ના મોત, ચેમ્પિયન્સ ટ્રોફી પર તોળાઈ રહ્યો છે આતંકી ખતરો

ખેલાડીઓ ચેમ્પિયન્સ ટ્રોફીમાં પોતાના પરિવારને સાથે લઈ જઈ શકશે

બીસીસીઆઈ દ્વારા આપવામાં આવેલી આ છૂટથી ટીમ ઈન્ડિયાના ખેલાડીઓને રાહત મળી છે. જો કે, આ અંગેની સત્તાવાર માહિતી હજુ સામે આવી નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બોર્ડે કહ્યું છે કે જો કોઈ ભારતીય ખેલાડી તેના પરિવારને દુબઈ લઈ જવા ઈચ્છે છે તો તે માત્ર એક મેચ માટે જ લઈ જઈ શકે છે.

ટીમ ઈન્ડિયાની જર્સી પર 'પાકિસ્તાન'...ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા રોહિત સેનાનો નવો લૂક

તમને જણાવી દઈએ કે ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ટીમ ઈન્ડિયાની શરમજનક હાર બાદ બોર્ડે ઘણી કડકતા દાખવી હતી. આ હાર બાદ ખેલાડીઓને લઈને નિયમો નક્કી કરવામાં આવ્યા હતા. જેમાં ભારતીય ખેલાડીઓ અને સહાયક સ્ટાફ સાથે પરિવારને લઈ જવા પર ખાસ નિયમ બનાવાયા છે.  

ઉલ્લેખનીય છે કે ચેમ્પિયન્સ ટ્રોફી 19 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહી છે. તો 20 ફેબ્રુઆરીએ ભારતીય ટીમ બાંગ્લાદેશ સામે તેના અભિયાનની શરૂઆત કરશે. આ પછી રોહિત શર્માની આગેવાનીમાં ભારતીય ટીમ પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ સામે રમશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે 23 ફેબ્રુઆરીએ મેચ રમાશે. આ પછી ભારતીય ટીમ ન્યુઝીલેન્ડ સામે ટકરાશે. ભારત અને ન્યુઝીલેન્ડની ટીમો 2 માર્ચે સામસામે ટકરાશે. ભારતીય ટીમ તેની મેચો દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More