Champions Trophy 2025: પાકિસ્તાન પર ઘરઆંગણે સારું પ્રદર્શન કરવાની સાથે સાથે ટ્રોફી જીતવાનું પ્રેશર પણ રહેશે. 29 વર્ષ પછી ICC ઇવેન્ટનું આયોજન કરી રહ્યું છે. છેલ્લી વખત પાકિસ્તાને 1996માં ODI વર્લ્ડ કપનું સહ-યજમાની કરી હતી. ભારત માટે કરો યા મરો જેવી સ્થિતિ છે. ગત ચેમ્પિયન ટ્રોફીમાં ભારતે ફાયનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ભારત અને પાકિસ્તાનની મેચ રવિવારે રમાશે.
IND vs PAK : ભારત-પાકિસ્તાન મેચમાં વરસાદ બનશે વિલન ?
ટુર્નામેન્ટનું રોમાંચક ફોર્મેટ: પાકિસ્તાન ગ્રુપ A માં ન્યુઝીલેન્ડ, ભારત અને બાંગ્લાદેશ સાથે છે. ચેમ્પિયન્સ ટ્રોફીના નિયમો અનુસાર, ગ્રુપની બધી ટીમો એકબીજા સામે એકવાર રમશે. ટોચની 2 ટીમો સીધી સેમિફાઇનલમાં પહોંચશે. આ રીતે, કોઈપણ ટીમ માટે ભૂલ માટે કોઈ જગ્યા નથી. એક મેચમાં હાર તેને ટુર્નામેન્ટમાંથી બહાર કરી શકે છે. આવી સ્થિતિમાં, કિવી ટીમ સામેની પહેલી મેચ પાકિસ્તાન માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.
એક અઠવાડિયામાં બે હાર: તાજેતરમાં પાકિસ્તાનને (Pakistan)ન્યુઝીલેન્ડ (New Zealand) સામે એક અઠવાડિયામાં બે વાર હારનો સામનો કરવો પડ્યો છે. ઘરઆંગણે ત્રિકોણીય શ્રેણીમાં કિવીઓએ તેમને પહેલા ગ્રુપ રાઉન્ડમાં અને પછી ફાઇનલમાં પણ હરાવ્યા હતા. આવી સ્થિતિમાં, પાકિસ્તાની (Pakistan)ટીમ બદલો લેવા માટે ઉત્સુક છે અને જીત સાથે શરૂઆત કરવા માંગે છે.
Champions Trophy મેચોની ટિકિટ ક્યાંથી અને કેવી રીતે ખરીદવી ? જાણો કેટલી છે ટિકિટ
જો પાકિસ્તાન ન્યુઝીલેન્ડ સામે હારી જાય તો શું થશે : જો ન્યુઝીલેન્ડ (New Zealand) પાકિસ્તાન સામેની આ મેચ જીતી જાય છે, તો મોહમ્મદ રિઝવાનની ટીમ મુશ્કેલીમાં મુકાઈ જશે. આવી સ્થિતિમાં, તેણે કોઈપણ ભોગે તેની બાકીની બે મેચ જીતવી પડશે. તે 23 ફેબ્રુઆરીએ દુબઈમાં ભારત સામે અને 27 ફેબ્રુઆરીએ રાવલપિંડીમાં બાંગ્લાદેશ (Bangladesh)સામે રમવાની છે. પાકિસ્તાન માટે ભારત સામે જીતવું ખૂબ મુશ્કેલ હશે. જો ટીમ ઈન્ડિયા તેમને હરાવે છે, તો બે મેચમાં બે હાર બાદ, યજમાન ટીમ પહેલા રાઉન્ડમાં જ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ શકે છે.
પાકિસ્તાનની હારથી ભારતને શું ફાયદો : જો પાકિસ્તાન પહેલી મેચમાં ન્યુઝીલેન્ડ (New Zealand)સામે હારી જાય છે, તો ટીમ ઈન્ડિયા માટે સેમિફાઇનલનો રસ્તો સરળ બની જશે. તેઓ 20 ફેબ્રુઆરીએ બાંગ્લાદેશ (Bangladesh)અને 23 ફેબ્રુઆરીએ પાકિસ્તાનને (Pakistan)હરાવીને સેમિફાઇનલની નજીક પહોંચશે. ન્યૂઝીલેન્ડ સામે ICC ઇવેન્ટ્સમાં ટીમ ઇન્ડિયાનો રેકોર્ડ સારો રહ્યો નથી. જો રોહિત શર્માની ટીમ કિવીઓ સામે હારી જાય તો પણ તે બાંગ્લાદેશ અને પાકિસ્તાન (Pakistan) સામે જીતીને સેમિફાઇનલમાં પહોંચશે. એકંદરે આપણે કહી શકીએ કે પહેલી મેચમાં પાકિસ્તાનનો પરાજય ભારત માટે ફાયદાકારક રહેશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે