Champions Trophy 2025 IND vs AUS : ચેમ્પિયન્સ ટ્રોફીની પ્રથમ સેમિફાઈનલમાં ટીમ ઈન્ડિયાનો સામનો ઓસ્ટ્રેલિયા સામે થશે. આ મેચ દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. અત્યાર સુધી ટીમ ઈન્ડિયાએ આ મેદાન પર ત્રણ મેચ રમી છે અને દરેક મેચમાં ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કર્યું છે. ન્યુઝીલેન્ડ સામેની છેલ્લી લીગ મેચમાં ભારતીય ટીમ મેનેજમેન્ટે પ્લાન બદલી નાખ્યો અને પ્લેઇંગ 11માં એક વધારાના સ્પિનરને સામેલ કર્યો. પરંતુ સેમિફાઇનલ પહેલા સમાચાર આવ્યા કે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની આ મેચ નવી પિચ પર રમાશે. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયાના પ્લેઈંગ 11માં કોઈ મોટો ફેરફાર થાય છે કે કેમ તે જોવાનું ખાસ રહેશે.
વરસાદના કારણે IND vs AUS સેમીફાઈનલ રદ થાય તો કોને મળશે ફાઈનલની ટિકિટ? ખાસ જાણો
અચાનક પિચ બદલાઈ
અત્યાર સુધી રમાયેલી દરેક મેચમાં ટીમ ઈન્ડિયાના સ્પિનરોનું પ્રદર્શન જોવા મળ્યું છે. ન્યૂઝીલેન્ડ સામેની છેલ્લી મેચમાં વરુણ ચક્રવર્તીને પ્લેઈંગ 11માં સામેલ કરવામાં આવ્યો હતો. હવે જોવાનું એ રહે છે કે ટીમ ઈન્ડિયા નવી પિચ પર સમાન પ્લેઈંગ 11 સાથે મેદાનમાં ઉતરે છે કે પછી હર્ષિત રાણાને ફરી એકવાર ટીમમાં લાવવામાં આવશે.
જો કે પિચ નવી હોય કે જૂની, એક વાત નક્કી છે કે દુબઈમાં વિકેટ ધીમી હશે. આ મેદાનની પિચ પર હંમેશા સ્પિનરોને મદદ મળે છે અને આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયા ફરી એકવાર એ જ પ્લાન સાથે આગળ વધી શકે છે જે ન્યુઝીલેન્ડ સામે અસરકારક સાબિત થયો હતો.
IPL 2025 : એક સમયે અનસોલ્ડ રહેલો CSKનો પૂર્વ ખેલાડી બન્યો KKRનો નવો કેપ્ટન
દુબઈની પિચ સુકી રહે છે
દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમની દરેક પિચ સામાન્ય રીતે ધીમી અને શુષ્ક હોય છે. આ પિચ સ્પિન બોલરોને મદદ કરે છે. તેથી આશ રાખવામાં આવે છે કે સેમિફાઇનલમાં પણ પિચ આવી જ હશે. ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડ સામે ચાર અગ્રણી સ્પિન બોલરોને મેદાનમાં ઉતાર્યા હતા. બીજી તરફ ઓસ્ટ્રેલિયન ટીમે અત્યાર સુધી પોતાની મેચ પાકિસ્તાનમાં રમી છે અને તેની પ્રથમ મેચ દુબઈમાં છે. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયાને આ મેદાન પર થોડો વધારે ફાયદો મળી શકે છે.
ઇન્ડિયા પ્લેઇંગ 11 (સંભવિત) : રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, અક્ષર પટેલ, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, વરુણ ચક્રવર્તી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે