IND vs ENG: રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા દિગ્ગજ આ દિવસોમાં IPLમાં વ્યસ્ત છે. IPL 2025 પછી ભારતીય ટીમ ઈંગ્લેન્ડ સાથે ટેસ્ટ સિરીઝ રમશે. રોહિત અને વિરાટને આ સિરીઝમાંથી બહાર કરવાના સમાચારે જોર પકડ્યું છે. યુનિવર્સ બોસ ક્રિસ ગેલે બન્ને સ્ટાર બેટ્સમેનોના સપોર્ટમાં પોતાનું મૌન તોડ્યું હતું. 13 એપ્રિલે પ્રો ક્રિકેટ લીગની બીજી સિઝનના લોન્ચિંગ સમયે તેમણે રોહિત અને વિરાટ બન્ને વિશે મોટું નિવેદન આપ્યું હતું.
ક્રિસ ગેલે શું કહ્યું?
ક્રિસ ગેઈલે રોહિત શર્મા અને વિરાટ કોહલીને ટેસ્ટ ક્રિકેટમાં રહેવાનું સમર્થન કરતાં કહ્યું કે, તેઓ જેટલા લાંબા સમય સુધી સાથે રહેશે તેટલું ક્રિકેટ જગત માટે સારું રહેશે. તેમણે ANI સાથે વાત કરતા કહ્યું કે, 'અલબત્ત તેઓ હજુ પણ રમી રહ્યા છે, તેનામાં હજુ ઘણું સારું ક્રિકેટ બાકી છે. તેમને બહાર કરશો નહીં, ક્રિકેટ જગતને તેની જરૂરત છે. તેમનું હજુ પણ સાથે રહેવું ઘણુ સારું છે. તેઓ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારે મૂલ્ય ઉમેરે છે. હંમેશા કોઈને કોઈ તેમની પાછળ રહેશે, પરંતુ તેઓ જેટલા લાંબા સમય સુધી સાથે રહેશે તેટલું સારું થશે.'
કોણ છે હરિયાણાનો રામપાલ કશ્યપ? જેમને PM મોદીએ પોતાના હાથે પહેરાવ્યા બુટ અને કેમ?
ક્યારે શરૂ થશે ઈંગ્લેન્ડ સિરીઝ?
ભારતનો ઈંગ્લેન્ડ પ્રવાસ IPL 2025 પછી 20 જૂનથી થશે. ટીમ ઈન્ડિયા આ સિરીઝમાં 5 ટેસ્ટ મેચ રમશે. રોહિત શર્મા અને વિરાટ કોહલીનું પ્રદર્શન ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન ઘણું નિરાશાજનક જોવા મળ્યું હતું. જ્યારબાદ બન્નેને ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો.
20000 કરોડની દોલત... જયપુરની આ પ્રિસેન્સના ગ્લેમરની આગળ ભૂલી જશો અંબાણી વહુઓનો અંદાજ
ભવાની ટાઈગર્સ માટે રમશે ક્રિસ ગેલ
ક્રિસ ગેલે વિરાટ-રોહિતને લઈને પ્રો ક્રિકેટ લીગ ઈવેન્ટ દરમિયાન પોતાનું મૌન તોડ્યું હતું. આ લીગમાં ગેલ ગાઝિયાબાદ ભવાની ટાઈગર્સનો લીજેન્ડ પ્લેયર હશે. તેમણે આ માટે જર્સીનું અનાવરણ કર્યું. પ્રો ક્રિકેટ લીગ જૂનમાં શરૂ થશે, જેમાં ક્રિસ ગેલ પોતાની વિસ્ફોટક અંગાદથી ક્રિકેટ માટે પ્રેરિત કરતો જોવા મળશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે