Home> Sports
Advertisement
Prev
Next

કોચ ગૌતમ ગંભીરે આપ્યો મોટો સંકેત, ટેસ્ટ ક્રિકેટમાં નંબર-3 પર બેટિંગ કરશે આ ધારદાર બેટ્સમેન

IND vs ENG 4th Test: માન્ચેસ્ટરમાં ઈંગ્લેન્ડ સામેની ચોથી ટેસ્ટ મેચ ડ્રો થયા બાદ ટીમ ઈન્ડિયાના હેડ કોચ ગૌતમ ગંભીર પ્રેસ કોન્ફરન્સ માટે આવ્યા હતા. ગૌતમ ગંભીરના મતે, તે વ્યક્તિગત સ્કોર કરતાં ભાગીદારીને વધુ પસંદ કરે છે અને આ ભાગીદારીમાં ત્રીજા નંબરના બેટ્સમેનની ભૂમિકાને મહત્વ આપે છે.
 

કોચ ગૌતમ ગંભીરે આપ્યો મોટો સંકેત, ટેસ્ટ ક્રિકેટમાં નંબર-3 પર બેટિંગ કરશે આ ધારદાર બેટ્સમેન

IND vs ENG 4th Test: માન્ચેસ્ટરમાં ઈંગ્લેન્ડ સામેની ચોથી ટેસ્ટ મેચ ડ્રો થયા બાદ ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ ગૌતમ ગંભીર પ્રેસ કોન્ફરન્સ માટે આવ્યા હતા. ગૌતમ ગંભીરના મતે, તેઓ વ્યક્તિગત સ્કોર કરતાં પાર્ટનસશિપ વધારે પસંદ કરે છે અને આ પાર્ટનરશિપમાં નંબર ત્રણ બેટ્સમેનની ભૂમિકાને મહત્વ આપે છે. ગૌતમ ગંભીરે ટીકાનો સામનો કરી રહેલા બેટ્સમેનને સમર્થન આપ્યું છે. ગૌતમ ગંભીરે તેને એક ખાસ બેટ્સમેન ગણાવ્યો છે.

fallbacks

ટીમ ઈન્ડિયા માટે નંબર-3 બેટ્સમેન માથાનો દુખાવો

ભારતે ઈંગ્લેન્ડ સામેની હાલની ટેસ્ટ શ્રેણીની પહેલી મેચમાં સાઈ સુદર્શનને ત્રીજા નંબર પર બેટિંગ કરવા મોકલ્યો હતો, પરંતુ તેણે પહેલી ઇનિંગમાં શૂન્ય અને બીજી ઇનિંગમાં 30 રન બનાવ્યા હતા. ત્યારબાદ સાઈ સુદર્શનને બીજી અને ત્રીજી ટેસ્ટ મેચમાંથી બહાર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ સાઈ સુદર્શનના સ્થાને, કરુણ નાયરને બીજી અને ત્રીજી ટેસ્ટ મેચમાં નંબર-3 પર બેટિંગ કરવા મોકલવામાં આવ્યો હતો, પરંતુ તે પણ નિષ્ફળ ગયો.

બે ખેલાડીઓએ ઇનિંગ બગાડી

ઇંગ્લેન્ડ સામેની હાલની ટેસ્ટ શ્રેણીમાં, કરુણ નાયરે ત્રણ ટેસ્ટ મેચમાં 21.83 ની સરેરાશથી ફક્ત 131 રન બનાવ્યા છે. સાઇ સુદર્શન પણ નંબર-3 બેટ્સમેન તરીકે નિષ્ફળ રહ્યો. સાઇ સુદર્શને હાલની ટેસ્ટ શ્રેણીમાં ઇંગ્લેન્ડ સામે લીડ્સ અને માન્ચેસ્ટરમાં અનુક્રમે પ્રથમ અને ચોથી ટેસ્ટ મેચ રમી હતી, જેમાં તેણે ચાર ઇનિંગમાં 0, 30, 61 અને 0 રન બનાવ્યા હતા. ટેસ્ટ ક્રિકેટમાં સાઇ સુદર્શનના સ્વભાવ પર પણ પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે.

ગૌતમ ગંભીરે પોતાના નિવેદનમાં શું કહ્યું?

ગૌતમ ગંભીરે સાઇ સુદર્શનનો બચાવ કરતા કહ્યું કે હું વ્યક્તિગત રન પર ધ્યાન કેન્દ્રિત કરતો નથી. હું ફક્ત પાર્ટનરશિપ પર ધ્યાન કેન્દ્રિત કરું છું. મને લાગે છે કે જો આપણે આ ટીમ બનાવવી હોય, તો આપણે વ્યક્તિગત સ્કોરના આધારે નહીં, ભાગીદારીના આધારે ટીમ બનાવવી પડશે. મને લાગે છે કે જો ત્રીજા નંબરનો બેટ્સમેન પાર્ટનરશિપ બનાવી શકે છે અને તે પાર્ટનરશિપમાં યોગદાન આપી શકે છે, તો મને લાગે છે કે તેણે પોતાનું કામ કર્યું છે. તે ખૂબ જ મહત્વપૂર્ણ છે અને સાઇમાં એક ખાસ પ્રતિભા છે.

દરેક મેચ પછી નિર્ણય કરી શકાતો નથી

ગૌતમ ગંભીરે આગળ કહ્યું કે મને લાગે છે કે તમે દરેક મેચ પછી લોકોનો ન્યાય કરી શકતા નથી. તે (સાઈ સુદર્શન) 23 વર્ષનો છે, ઇંગ્લેન્ડમાં તેની પહેલી ટેસ્ટ શ્રેણી રમી રહ્યો છે, અને છતાં તે મજબૂત પ્રદર્શન કરી રહ્યો છે અને શાનદાર 50 કે 60 રન બનાવી રહ્યો છે. મને લાગે છે કે તમારે આ છોકરાઓ સાથે ધીરજ રાખવી પડશે. 

તમને જણાવી દઈએ કે પહેલી ટેસ્ટ ઇંગ્લેન્ડે જીતી હતી. ભારતે બીજી ટેસ્ટ જીતીને શ્રેણીની બરાબરી કરી હતી. ઇંગ્લેન્ડે ત્રીજી ટેસ્ટ જીતીને લીડ મેળવી હતી. માન્ચેસ્ટર ટેસ્ટ ડ્રો રહી હતી. શ્રેણીની પાંચમી અને છેલ્લી ટેસ્ટ 31 જુલાઈથી ઓવલ ખાતે રમાશે. ઇંગ્લેન્ડ 5 ટેસ્ટની શ્રેણીમાં 2-1થી આગળ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More