Gautam Gambhir on Virat and Rohit Test Retirement: વિરાટ કોહલી અને રોહિત શર્મા વિના ભારત ઇંગ્લેન્ડ પ્રવાસ પર 5 મેચની ટેસ્ટ સિરીઝ રમશે, જેના માટે ભારતીય ટીમની જાહેરાત શનિવારે થાય તેવી શક્યતા છે. આ સિરીઝ પહેલા કેપ્ટન રોહિત અને વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહી દીધું છે. ભારતીય ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીરને એક શો દરમિયાન પૂછવામાં આવ્યું હતું કે, શું તેઓ આ અનુભવી ખેલાડીઓના નિવૃત્તિ વિશે પહેલાથી જ જાણતા હતા?
બે ગ્રહોનું વક્રી થઈને ઉલ્ટી ચાલ ચાલવાથી બદલાશે કિસ્મતનું ગણિત,આ 5 રાશિઓ થશે માલામાલ
પહેલગામ હુમલા પછી ભારતે પાકિસ્તાનમાં આતંકવાદી છાવણીઓ પર હવાઈ હુમલા કર્યા. તેને ઓપરેશન સિંદૂર નામ આપવામાં આવ્યું, જે 7 મેથી શરૂ થયું. તે જ સાંજે રોહિત શર્માએ પોતાની ટેસ્ટ નિવૃત્તિની જાહેરાત કરી. પછી સમાચાર આવ્યા કે વિરાટ કોહલી પણ ટેસ્ટમાંથી નિવૃત્તિ લેવા માંગે છે, પરંતુ 'ઓપરેશન સિંદૂર' વચ્ચે તેને આમ કરવાની મનાઈ ફરમાવી દેવામાં આવી છે. 10 મેના રોજ ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામ કરાર પછી વિરાટે પણ 12 મેના રોજ ટેસ્ટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી. હવે ગૌતમ ગંભીરે આ અંગે પોતાનું મૌન તોડ્યું છે કે શું તેને આ વિશે પહેલાથી ખબર હતી.
કેરળમાં Monsoon ક્યારે આપશે દસ્તક? ગુજરાત સહિત આ રાજ્યોમાં આંધી-વરસાદ મચાવશે તબાહી!
ગૌતમ ગંભીરે શું કહ્યું?
'ક્રિકેટ નેક્સ્ટ' શોમાં ગૌતમ ગંભીરને પૂછવામાં આવ્યું હતું કે, શું તેમને અગાઉથી ખબર હતી કે બન્ને દિગ્ગજ ખેલાડીઓ નિવૃત્તિ લેવાના છે. આના પર ગંભીરે કહ્યું કે, "જ્યારે તમે રમત રમવાનું શરૂ કરો છો અને નિવૃત્તિ લો છો, ત્યારે તે સંપૂર્ણપણે વ્યક્તિગત નિર્ણય છે. કોઈને પણ પછી ભલે તે કોચ હોય, સિલેક્ટર હોય કે આ દેશમાં કોઈપણ વ્યક્તિ હોય, કોઈ પાસે અધિકાર નથી કે તમને જણાવે કે ક્યારે નિવૃત્તિ લેવી છે કે નથી લેવી. આ તેમનો નિર્ણય હોય છે."
અહીં કુંવારાઓને પડી જશે મોજ! આ મુસ્લિમ દેશમાં 15 દિવસ માટે મળી જાય છે પત્ની
ગૌતમ ગંભીરે સ્વીકાર્યું કે, ટીમ ઈન્ડિયામાં તેમની ખોટ સાલશે, પરંતુ તેમણે એમ પણ કહ્યું કે, આ રીતે યુવા ખેલાડીઓને તેમની પ્રતિભા દર્શાવવાની તક મળે છે. તેમણે કહ્યું કે, "હા, આ અમારા માટે મુશ્કેલ હશે, પરંતુ હજુ પણ એવા લોકો હશે જે ચોક્કસપણે પોતાનો હાથ આગળ વધારશે. કોઈની ગેરહાજરી અન્ય વ્યક્તિને દેશ માટે કંઈક ખાસ કરવાની તક આપે છે."
ગૌતમ ગંભીરે વધુમાં કહ્યું કે, "આ જ પ્રશ્ન મને ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા પુછવામાં આવ્યો હતો, જ્યારે જસપ્રીત બુમરાહ ત્યાં નહોતો. ત્યાં પણ આવું જ થયું, અને આનાથી કોઈ અન્ય ખેલાડીને દેશ માટે કંઈક ખાસ કરવાની તક મળી."
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે