મંગળવારનો દિવસ ભારત માટે ખુબ આઘાતજનક રહ્યો. પૃથ્વીનું સ્વર્ગ કહેવાતા કાશ્મીરના પહેલગામમાં આતંકીઓએ પર્યટકો પર ગોળી વરસાવી અને 26 જેટલા પ્રવાસીઓના મોતની ઘટનાએ દેશને આઘાતમાં નાખી દીધો. આ ઘટનાએ લોકોની આંખોમાં આંસુ લાવી દીધા ત્યારે ભારતીય ટીમના હેડ કોચ ગૌતમ ગંભીરે પણ એક ભાવુક પોસ્ટ શેર કરીને ચેતવણી આપી દીધી છે. તેમણે લખ્યું કે ગુનેહગારોને ભારત છોડશે નહીં. અત્રે જણાવવાનું કે આ આતંકી હુમલામાં 26 લોકોના મોતની પુષ્ટિ થઈ છે જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ છે.
ગૌતમ ગંભીરે સોશિયલ મીડિયા એક્સ પર લખ્યું કે મૃતકોના પરિવારો માટે પ્રાર્થના કરું છું. આ માટે જવાબદાર લોકોએ તેની કિંમત ચૂકવવી પડશે. ભારત હુમલો કરશે. ભારીય ટીમના સ્ટાર ઓપનર શુભમન ગીલ, પૂર્વ ઓપનર વિરેન્દ્ર સહેવાગ, ધાકડ ઓલરાઉન્ડર યુવરાજ સિંહ, અને આકાશ ચોપડા સહિત અનેક ક્રિકેટરોએ આ દુખદ સમયે પીડિત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.
Praying for the families of the deceased. Those responsible for this will pay. India will strike. #Pahalgam
— Gautam Gambhir (@GautamGambhir) April 22, 2025
શુભમન ગિલનું નિવેદન
આઈપીએલ 2025માં ગુજરાત ટીમનું નેતૃત્વ સંભાળતા શુભમન ગીલે લખ્યું કે પહેલગામમાં થયેલા હુમલા અંગે સાંભળીને દિલ તૂટી ગયું. મારી પ્રાર્થનાઓ પીડિતો અને તેમના પરિવારો સાથે છે. આ પ્રકારની હિંસા માટે આપણા દેશમાં કોઈ જગ્યા નથી.
Heartbreaking to hear about the attack in Pahalgam. My prayers are with the victims and their families. Violence like this has no place in our country.
— Shubman Gill (@ShubmanGill) April 22, 2025
યુવરાજ સિંહનું નિવેદન
યુવરાજ સિંહે લખ્યું કે પહેલગામમાં પર્યટકો પર થયેલા હુમલાથી ખુબ દુખી છું. પીડિતો અને તેમના પરિવારોની શક્તિ માટે પ્રાર્થના કરું છું. આવો આપણે આશા અને માનવતામાં એકજૂથ રહીએ.
Deeply saddened by the attack on tourists in Pahalgam. Praying for the victims and for the strength of their families 🙏🏻 Let us stand united in hope and humanity. #PahalgamTerroristAttack
— Yuvraj Singh (@YUVSTRONG12) April 22, 2025
વિરેન્દ્ર સહેવાગનું નિવેદન
વીરેન્દ્ર સહેવાગે લખ્યું કે પહેલગામમાં નિર્દોષ પર્યટકો પર થયેલા નિંદનીય આતંકી હુમલા વિશે જાણીને ખુબ દુખ થયું. મારી સંવેદનાઓ એવા લોકો સાથે છે જેમણે પોતાના સ્વજનોને ગુમાવ્યા છે. ઘાયલો માટે પ્રાર્થના કરું છું.
Deeply pained to hear of the reprehensible terrorist attack on innocent tourists in #Pahalgam .
My heart goes out to those who have lost their loved ones. Prayers for the injured 🙏🏼— Virrender Sehwag (@virendersehwag) April 22, 2025
આકાશ ચોપડાનું નિવેદન
આકાશ ચોપડાએ લખ્યું કે પહેલગામમાં અકલ્પનીય અત્યાચાર. પીડિતો અને તેમના પરિવારો પ્રત્યે સંવેદનાઓ...શાંતિ. આશા છે કે અપરાધીઓ ને તેમના સમર્થકોની ઓળખ કરાશે અને તેમને પકડવામાં આવશે. તથા તેમને સજા અપાશે જેના તેઓ હકદાર છે.
Unimaginable atrocity in Pahalgam.
Heart goes out to the victims and their families. 🕉️ शान्ति।
Hope the perpetrators (and their sympathisers) are identified, caught and given the punishment they deserve.— Aakash Chopra (@cricketaakash) April 22, 2025
અત્રે જણાવવાનું કે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં 26 પર્યટકો માર્યા ગયા છે અને અનેક લોકો ઘાયલ થયા છે. પીએમ મોદી પણ તેમનો સાઉદી અરબ પ્રવાસ ટૂંકાવીને ભારત પાછા ફર્યા છે. જ્યારે અમિત શાહ હાલ જમ્મુ અને કાશ્મીરમાં છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે